‘CM યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનો ખરીદવાની મુદતમાં 15 દિવસનો વધારો Smart Farming
ખેડૂતો માટે મોટી રાહત: ‘CM યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ સાધનો ખરીદવાની મુદતમાં 15 દિવસનો વધારો ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ અને રાહતભર્યો નિર્ણય લીધો છે. વર્ષ 2026-27 માટેની CM યાંત્રીકરણ યોજના’ હેઠળ કૃષિ ઓજારો અને ટ્રેક્ટર સંચાલિત સાધનોની ખરીદી માટે પાત્રતા ધરાવતા ખેડૂતોને આપવામાં આવેલી સમયમર્યાદામાં વધુ 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતો, ધારાસભ્યો, સંસદસભ્યો અને અન્ય આગેવાનો તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી એવા ખેડૂતોને સીધી રાહત મળશે, જેમની અરજી મંજૂર થઈ ગઈ છે પરંતુ એકસાથે મોટી સંખ્યામાં અરજીઓ મંજૂર થવાના કારણે તેમને સમયસર કૃષિ સાધનો મળી શક્યા નથી. સાધનોના ઉત્પાદકો…







