ચંડોળા તળાવના ડિમોલિશન પર સ્ટેની અરજી હાઈકોર્ટે નકારી, લલ્લુ બિહારીનો આલીશાન રિસોર્ટ થયો જમીનદોસ્ત

અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા વિસ્તારમાં થઈ રહી છે. આ દરમિયાન આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો. અને તાત્કાલિક સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે મામલે આજે સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢી ડિમોલિશનને લીલી ઝંડી આપી છે. ‘મિની બાંગ્લાદેશ’ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીનો આજે બીજો દિવસ છે. જોકે આ ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો અને અરજદારોએ કહ્યું કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. જોકે હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢી છે. લલ્લુ…