કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ હાલમાં ભારતની મુલાકાતે છે. તેમણે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે તેમની ભારત મુલાકાત દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેનેડાના વિદેશ મંત્રી સાથેની તેમની મુલાકાતની તસવીરો શેર કરી છે. તસવીરો શેર કરતી વખતે પીએમ મોદીએ લખ્યું, “કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદનું સ્વાગત છે. પરસ્પર વિકાસ અને સમૃદ્ધિ માટે વેપાર, ટેકનોલોજી, ઉર્જા, કૃષિ અને લોકો-થી-લોકોના આદાનપ્રદાનમાં સહયોગને મજબૂત કરવાના પગલાંઓ પર ચર્ચા કરી.” પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “વડાપ્રધાનએ કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદનું સ્વાગત કર્યું અને કહ્યું કે તેમની મુલાકાત ભારત-કેનેડા દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપવાના ચાલુ પ્રયાસોમાં ફાળો…