દિલ્હી મેટ્રોનું થશે વિસ્તરણ…… મોદી કેબિનેટે ₹12,000 કરોડથી વધુના પ્રોજેક્ટને આપી મંજૂરી
દિલ્હી મેટ્રો અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ફેઝ 5A માં દિલ્હી મેટ્રોનું વિસ્તરણ થશે, જેમાં 16 કિલોમીટર સુધી 13 નવા સ્ટેશનો હશે. મોદી કેબિનેટે દિલ્હી મેટ્રોના વિસ્તરણ માટે ₹12,015 કરોડને મંજૂરી આપી છે. દિલ્હી મેટ્રોને તુગલકાબાદથી કાલિંદી કુંજ, રામકૃષ્ણ આશ્રમથી ઇન્દ્રપ્રસ્થ અને એરોસિટીથી ટર્મિનલ 1 સુધી લંબાવવામાં આવશે. ન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય મંત્રીમંડળે ₹12,015 કરોડના ખર્ચે દિલ્હી મેટ્રોના ફેઝ 5A ને મંજૂરી આપી છે. આનાથી મેટ્રો લાઇન 16 કિલોમીટર સુધી વિસ્તૃત થશે અને 10 ભૂગર્ભ અને ત્રણ એલિવેટેડ સ્ટેશન સહિત 13 સ્ટેશનો ઉમેરાશે. મંત્રીમંડળના નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા વૈષ્ણવે આ ટિપ્પણી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે મેટ્રો વિસ્તરણ પ્રોજેક્ટ ત્રણ વર્ષનો સમય લેશે. નવા વિસ્તરણ સાથે, દિલ્હી…
દેવામાં ડૂબેલા પાકિસ્તાનમાં મંત્રીઓના પગારમાં 188ટકા સુધીનો વધારો, કેબિનેટે આપી દીધી મંજુરી
પાકિસ્તાન હાલમાં ગંભીર ફુગાવા અને દેવાના સંકટનો સામનો કરી રહ્યું છે. સામાન્ય લોકો બે ટંકના ભોજન માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ સરકાર તેના મંત્રીઓ અને અધિકારીઓના પગારમાં ભારે વધારો કરી રહી છે. તાજેતરમાં, પાકિસ્તાનના મંત્રીમંડળે મંત્રીઓ, રાજ્યમંત્રીઓ અને સલાહકારોના પગારમાં ૧૮૮% સુધીના વધારાને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ તેમનો માસિક પગાર હવે 5,19,000 પાકિસ્તાની રૂપિયા થશે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી લોનનો બીજો હપ્તો મળ્યો છે. આ પણ વાંચો :- Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે” આર્થિક સંકટ છતાં નેતાઓ પ્રત્યે દયા :- પાકિસ્તાનનું અર્થતંત્ર નાદારીની આરે છે. ફુગાવો રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો છે…
કર્ણાટકમાં સરકારી ટેન્ડરોમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા અનામતને કેબિનેટની મંજુરી
કર્ણાટક કેબિનેટે કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ (KTPP) એક્ટમાં સુધારાને મંજૂરી આપી છે. મંત્રીમંડળે નિર્ણય લીધો કે KTPP એક્ટ વર્તમાન વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેમાં સુધારા કરવામાં આવશે. આ કાયદામાં ફક્ત સરકારી ટેન્ડરોમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને અનામત આપવા માટે ફેરફારો કરવામાં આવ્યા છે. આ અનામતની મર્યાદા 4 ટકા રાખવાની છે. સૂત્રોના હવાલેથી આ માહિતી પ્રકાશમાં આવી છ. આ પણ વાંચો :- તમિલનાડુ સરકાર દ્વારા રૂપિયાનું સિમ્બોલ ‘₹’દુર કરવાનો મામલો, જાણો તેના ડિઝાઇનરની શું આવી પ્રતિક્રિયા શુક્રવારે (૧૪ માર્ચ) કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં વિધાનસભાના કેબિનેટ હોલમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ, 7 માર્ચે કર્ણાટક સરકારના બજેટની રજૂઆત દરમિયાન, મુસ્લિમોને સરકારી કોન્ટ્રાક્ટમાં અનામત આપવામાં આવશે તેની પુષ્ટિ કરવામાં આવી હતી. ૧ કરોડ રૂપિયા…









