ભારત સામે ઝૂક્યું અમેરિકા : વેપારમાં મોટો ફેરફાર, ટેરિફ 25%થી ઘટીને 18%
અમેરિકાએ ભારત માટે ટેરિફમાં મોટા પાયે ઘટાડો કર્યો છે. આ નિર્ણયની જાણકારી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી હતી. ટ્રમ્પે જણાવ્યું કે આજે સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરવી મારા માટે સન્માનની વાત હતી. તેમણે વડાપ્રધાન મોદીને “મારા સૌથી નજીકના મિત્ર પૈકીના એક” અને “શક્તિશાળી અને સન્માનિત નેતા” ગણાવ્યો. ટેરિફ ઘટાડો: અમેરિકાએ ભારત માટે ટેરિફને 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દીધું છે. ટ્રમ્પે જણાવ્યું કે આ નિર્ણય ભારતના રશિયા પાસેથી તેલ ખરીદીને બંધ કરવાની સંમતિ અને અમેરિકા પાસેથી તેલ ખરીદવા માટેની પ્રતિબદ્ધતાને લીધે લીધો છે. તેમણે ઉમેર્યું કે આ પગલાં યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદરૂપ થશે. અમેરિકા-ભારત સંબંધ: ટ્રેડ કરારમાં બંને દેશો એકબીજા સાથે સહમતિએ આગળ વધશે. વડાપ્રધાન મોદાએ 500 અબજ ડોલરથી વધારેની અમેરિકી ઊર્જા, ટેકનોલોજી, કૃષિ, કોલસો અને અન્ય ઘણા ઉત્પાદનો ખરીદવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. ટ્રમ્પે ભાર આપી જણાવ્યું કે ભારત સાથેના અદ્ભૂત સંબંધો હવે વધુ મજબૂત થશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
અનિલ અંબાણીને ફરી લાગ્યો મોટો ઝટકો, ED દ્વારા 1,800 કરોડ રૂપિયાની મિલકત કરાઈ જપ્ત
રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી સાથે સંકળાયેલી કંપનીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. બેન્ક છેતરપિંડી અને અન્ય આરોપોને પગલે EDએ આશરે ₹1,885 કરોડની મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી છે. EDની કાર્યવાહી હેઠળ કયા માલસામાન જપ્ત થયા? ED દ્વારા 4 અલગ-અલગ આદેશોના માધ્યમથી કંપનીઓના બેન્ક બેલેન્સ, બાકી લેણાં, અનલિસ્ટેડ કંપનીઓમાં શેરહોલ્ડિંગ અને સ્થાવર મિલકતો જપ્ત કરાયા છે. તેમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના BSES યમુના પાવર, BSES રાજધાની પાવર અને મુંબઈ મેટ્રો વનના શેર પણ સામેલ છે. વેલ્યુ કોર્પ ફાઈનાન્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ દ્વારા રાખવામાં આવેલા ₹148 કરોડના બેન્ક બેલેન્સ અને ₹143 કરોડના બાકી લેણાં પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, રિલાયન્સ ગ્રુપના બે વરિષ્ઠ કર્મચારીઓ અંગારાય સેથુરામનના રહેણાંક મકાન અને પુનીત ગર્ગના શેર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણો પણ EDએ જપ્ત કર્યા છે. પહેલા જ જપ્ત થયેલી સંપત્તિ ED અગાઉથી રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ સાથે સંબંધિત ₹10,117 કરોડની સંપત્તિ જપ્ત કરી ચુકી છે. અત્યાર સુધીમાં કુલ જપ્તી આશરે ₹12,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. RCOM પર લોન છેતરપિંડીના આરોપ તપાસ દરમિયાન EDએ ખુલાસો કર્યો કે અનિલ અંબાણી જૂથની કંપનીઓએ જાહેર ભંડોળનો દુરુપયોગ કર્યો અને ભંડોળને અન્ય જગ્યાએ વાપર્યું. 2017 અને 2019 વચ્ચે યસ બેન્કે રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું, જે પછી NPA બની ગયું. RCOM પર ₹40,000 કરોડથી વધુની લોન છેતરપિંડીના પણ આરોપો છે. ED જણાવે છે કે તપાસ ચાલુ છે અને ગુનામાંથી મળેલી રકમને પીડિતોને પરત કરવાના પ્રયાસો કરવામાં આવશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ED Raid: કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત 21 સ્થળોએ EDના દરોડા, જાણો શું છે કારણ
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને ઊંચા નફાનું લાલચ આપીને ભારત તેમજ વિદેશના નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કુલ 21 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મેસર્સ ચોથા બ્લોક કન્સલ્ટન્ટ્સ અને તેની સાથે જોડાયેલા સહયોગીઓ સામે કરવામાં આવી હતી. નકલી ક્રિપ્ટો રોકાણ પ્લેટફોર્મ દ્વારા છેતરપિંડી EDને આ કેસની માહિતી કર્ણાટક પોલીસ દ્વારા નોંધાયેલી FIR અને શેર કરાયેલા ઇનપુટ્સ પરથી મળી હતી. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ નકલી ક્રિપ્ટોકરન્સી રોકાણ પ્લેટફોર્મ તૈયાર કરીને તેને વાસ્તવિક અને વિશ્વસનીય બતાવ્યું હતું. આ પ્લેટફોર્મ પર રોકાણ કરવાથી ટૂંકા સમયમાં ભારે નફો મળશે તેવી લાલચ આપવામાં આવતી હતી. MLM મોડેલ જેવી યોજના તપાસ મુજબ આરોપીઓની યોજના મલ્ટી-લેવલ માર્કેટિંગ (MLM) જેવી હતી. શરૂઆતમાં થોડા રોકાણકારોને રકમ પરત આપી વિશ્વાસ જીતવામાં આવ્યો હતો અને પછી તેમને વધુ લોકો જોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. આ રીતે મોટા પાયે નાણાં એકત્રિત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયાનો દુરુપયોગ આ ગેંગે લોકોને ફસાવવા માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. સાથે જ, જાણીતા ક્રિપ્ટો નિષ્ણાતો અને સેલિબ્રિટીઓના ફોટા અને નામનો પરવાનગી વગર ઉપયોગ કરીને ભ્રામક જાહેરાતો ચલાવવામાં આવી હતી. ક્રિપ્ટો વોલેટથી હવાલા સુધી નાણાંની લોન્ડરિંગ EDની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ નકલી ક્રિપ્ટો વોલેટ, વિદેશી બેંક ખાતા અને શેલ કંપનીઓ ઉભી કરી હતી. છેતરપિંડીથી મળેલી રકમ ક્રિપ્ટોકરન્સીમાં એકત્રિત કરીને બાદમાં હવાલા, ફર્જી એન્ટ્રીઓ અને P2P ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન દ્વારા ભારત અને વિદેશમાં નાણાંની લોન્ડરિંગ કરવામાં આવી હતી. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ 2015થી ચાલતી હોવાની શક્યતા તપાસમાં સામે આવી છે. ગેરકાયદેસર નફાથી ભારત તેમજ વિદેશમાં જંગમ અને સ્થાવર મિલકતો ખરીદવામાં આવી હતી. દરોડામાં મળેલા મહત્વપૂર્ણ પુરાવા દરોડા દરમિયાન EDએ અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને ક્રિપ્ટો વોલેટના સરનામા શોધી કાઢ્યા છે. સાથે જ, આરોપીઓ દ્વારા વિદેશમાં ચલાવવામાં આવતા ગુપ્ત બેંક ખાતા અને કંપનીઓ વિશે પણ મહત્વની માહિતી મળી હોવાનું જણાવાયું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, GIFT સિટીમાં દારૂના નિયમો વધુ હળવા
ગુજરાતના વૈશ્વિક આર્થિક હબ સમાન GIFT સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા માટે રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત આપી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી નોટિફિકેશન મુજબ હવે ગિફ્ટ સિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ અને બહારના નાગરિકોને દારૂ પીવા માટે પરમિટ લેવાની ફરજ રહેશે નહીં. આ નિર્ણય ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રોકાણકારો, વિદેશી મહેમાનો અને કોર્પોરેટ સેક્ટરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. નવા નિયમોની મુખ્ય બાબતો સરકારના જાહેરનામા અનુસાર, ગિફ્ટ સિટીમાં ‘વાઇન એન્ડ ડાઈન’ સુવિધાને વધુ સરળ બનાવવામાં આવી છે. ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તેમજ વિદેશી નાગરિકોને હવે દારૂ સેવન માટે અલગ પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. તેઓ માત્ર પોતાનું માન્ય ઓળખપત્ર બતાવીને ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ, રેસ્ટોરન્ટ અથવા ક્લબમાં દારૂ પી શકશે. વિદેશી નાગરિકો માટે પણ પ્રક્રિયા ખૂબ સરળ બનાવવામાં આવી છે, જેથી આંતરરાષ્ટ્રીય બિઝનેસ અને પ્રવાસન ક્ષેત્રને કોઈ પ્રકારની અસુવિધા ન થાય. કડક શરતો યથાવત સરકારે છૂટછાટ આપી હોવા છતાં, કેટલીક શરતો કડક રાખવામાં આવી છે. આ છૂટછાટ માત્ર GIFT સિટીના નિર્ધારિત વિસ્તારમાં જ લાગુ પડશે. ગિફ્ટ સિટીમાંથી દારૂની બોટલ અથવા જથ્થો બહાર લઈ જવાની મંજૂરી નહીં હોય. નિયમનો ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વૈશ્વિક બિઝનેસ માટે ફાયદાકારક પગલું બિઝનેસ નિષ્ણાતો માને છે કે દુબઈ અને સિંગાપોર જેવા આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો સાથે સ્પર્ધા કરવા માટે આ પ્રકારની નીતિગત છૂટછાટ જરૂરી હતી. આ નિર્ણયથી ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ ઇવેન્ટ્સ, હોસ્પિટાલિટી અને પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળવાની શક્યતા છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ભારત અને કેનેડા ફરીથી FTA માટે ટેબલ પર, વાટાઘાટોની રૂપરેખા પર કામ શરૂ
ભારત અને કેનેડા વચ્ચે આર્થિક સંબંધો ફરી સક્રિયતા પામવા જઈ રહ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે બંને દેશો હાલ મુક્ત વ્યાપાર કરાર (FTA) માટેના Terms of Reference (ToR) નક્કી કરવા પર કામ કરી રહ્યા છે. ToR એ તે પ્રક્રિયા છે જેના દ્વારા આગળની વાટાઘાટો માટે રૂપરેખા, પ્રાથમિકતાઓ અને વ્યાપાર ક્ષેત્ર નક્કી થાય છે. આ નિર્ણય એ દર્શાવે છે કે રાજકીય મતભેદો હોવા છતાં, ભારત અને કેનેડા આર્થિક સહયોગ વધારવા માટે ઉત્સુક છે. અગાઉ 2023માં આ FTA વાટાઘાટો રોકાઈ ગયા હતા, પરંતુ હવે બંને દેશો ફરીથી આને આગળ વધારવા તૈયાર છે. વિશ્વ અર્થવ્યવસ્થામાં વેપાર અને રોકાણ વધારવા માટે આ પગલાં મહત્વપૂર્ણ છે. વાટાઘાટો સફળ થયા, તો વેપારીઓ અને રોકાણકારો માટે નવી તકો અને બજારો ખુલશે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
શેરબજારમાં મંગળવારે હલચલની શક્યતા: અદાણી એનર્જી, Paytm સહિતના સ્ટોક્સ રહેશે રાડાર પર
સોમવારે શેરબજાર બંધ થયા બાદ અનેક મોટી કંપનીઓએ એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો અને બિઝનેસ અપડેટ્સ જાહેર કર્યા છે. આ કારણે 23 ડિસેમ્બર, મંગળવારે બજાર ખુલતાની સાથે જ કેટલાક સ્ટોક્સમાં તેજી અથવા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. રોકાણકારો માટે આ શેરો પર ખાસ નજર રાખવી જરૂરી બની શકે છે. અદાણી એનર્જી સોલ્યુશન્સે માહિતી આપી છે કે તેની પેટાકંપની દ્વારા ‘ATSOL ગ્લોબલ IFSC લિમિટેડ’ નામની નવી કંપનીની સ્થાપના કરવામાં આવી છે. આ જાહેરાત બાદ સોમવારે કંપનીનો શેર 2.18 ટકાના વધારા સાથે રૂ. 1,009.80 પર બંધ થયો હતો. કંપનીના વિસ્તરણના પગલાંને કારણે રોકાણકારોમાં સકારાત્મક ભાવના જોવા મળી રહી છે. ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રની દિગ્ગજ કંપની Paytm એ પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીએ ઇન્ડોનેશિયા અને લક્ઝમબર્ગમાં બે નવી પેટાકંપનીઓ સ્થાપવાની મંજૂરી આપી છે. આ પગલાં Paytmના આંતરરાષ્ટ્રીય બિઝનેસને નવી દિશા આપશે અને શેર પર તેની અસર જોવા મળી શકે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટરમાં પણ સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. સાત્વિક ગ્રીન એનર્જીને રૂ. 486 કરોડનો સોલર મોડ્યુલ્સ સપ્લાય કરવાનો મોટો ઓર્ડર મળ્યો છે. જ્યારે GPT ઇન્ફ્રા રાજસ્થાનના જોધપુરમાં રૂ. 670 કરોડના એલિવેટેડ રોડ પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવનાર (L-1) કંપની તરીકે ઉભરી આવી છે. આ બંને સમાચાર કંપનીઓના શેર માટે પોઝિટિવ માનવામાં આવી રહ્યા છે. એગ્રી-કેમિકલ ક્ષેત્રની જાણીતી કંપની UPL એ વિયેતનામની હાઈબ્રિડ સીડ્સ કંપનીમાં હિસ્સો ખરીદવાનો નિર્ણય લીધો છે, જે તેના આંતરરાષ્ટ્રીય વિસ્તરણને દર્શાવે છે. બીજી તરફ, મેન ઇન્ડસ્ટ્રીઝે સ્પષ્ટતા કરી છે કે આવકવેરા વિભાગની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેની બિઝનેસ કામગીરી પર કોઈ નકારાત્મક અસર પડી નથી. જો કે, સુપ્રીમ પેટ્રોકેમના રોકાણકારો માટે થોડી સાવચેતી જરૂરી છે. મહારાષ્ટ્ર સ્થિત કંપનીના પ્લાન્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા ત્યાંની કામગીરી અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવી છે, જેના કારણે શેર પર દબાણ આવી શકે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
દોઢ વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવ અડધા થશે!, J.P. મોર્ગનની ચોંકાવનારી આગાહી
વિશ્વની અગ્રણી વૈશ્વિક રોકાણ બેંક J.P. મોર્ગને ક્રૂડ ઓઇલ માર્કેટ અંગે એક મહત્ત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે, જે ભારત સહિત તમામ આયાતકાર દેશો માટે મોટી ખુશખબર સાબિત થઈ શકે છે. બેંકના નવા રિપોર્ટ મુજબ, આવતા દોઢ વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવ હાલના સ્તરથી અડધાથી પણ નીચે આવી શકે છે. હાલની સ્થિતિ હાલમાં બ્રેન્ટ ક્રૂડ $60–$65 પ્રતિ બેરલની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. ભાવ ઘટાડાનાં મુખ્ય કારણો – પુરવઠામાં તીવ્ર વધારો J.P. મોર્ગન અનુસાર, 2025–2026 દરમિયાન વૈશ્વિક પુરવઠો માંગ કરતાં ત્રણ ગણો ઝડપી વધશે, જે સીધું ભાવોને નીચે ધકેલી શકે છે. – બિન-OPEC દેશોનો મોટો ફાળો ભવિષ્યમાં વૈશ્વિક ઓઇલ પુરવઠાનો 50% ભાગ OPEC બહારના દેશોમાંથી આવશે. ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ અને આર્જેન્ટિના આ બે દેશોમાં શેલ ઓઇલ ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. સાથે જ ઓછા ખર્ચે ઓફશોર પ્રોજેક્ટ્સ પણ બજારમાં પુરવઠો વધારશે. – વૈશ્વિક ભંડારમાં વધારો 2025 ના અંત સુધી વૈશ્વિક તેલના ભંડારમાં 1.5 મિલિયન બેરલ પ્રતિ દિવસનો વધારો થવાનો અંદાજ છે, જે વધારાના દબાણથી ભાવ વધુ ઘટશે. J.P. મોર્ગનનું ભાવ અનુમાન વર્ષ બ્રેન્ટ ક્રૂડનો અંદાજિત સરેરાશ ભાવ 2026 $60 પ્રતિ બેરલ 2027 (સરેરાશ) $42 પ્રતિ બેરલ માર્ચ 2027 $30 પ્રતિ બેરલ સુધી શક્ય ભારત માટે સુપર રાહત! ભારત તેની 84% તેલની જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. તેથી જો J.P. મોર્ગનની આગાહી સાચી ઠરે તો— – ક્રૂડ ઓઇલ બિલમાં મોટો ઘટાડો થશે – રૂપીની સ્થિરતા વધારે મજબૂત બનશે – પેટ્રોલ–ડીઝલના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો શક્ય – મોંઘવારીમાં રાહત મળશે ભારત માટે આ ચોક્કસપણે મોટી આર્થિક રાહત સાબિત થઈ શકે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ભારતીય ચલણને ઝટકો: રૂપિયો 7 પૈસા ઘટ્યો, ડોલર સામે ₹88.63 પર બંધ!
ભારતીય ફોરેક્સ માર્કેટમાં આજે રૂપિયામાં નબળાઈ જોવા મળી છે. ટ્રેડિંગના અંતિમ તબક્કે રૂપિયો યુએસ ડોલર સામે 7 પૈસા ઘટીને ₹88.63 પર બંધ થયો. અમેરિકન ડોલરની વૈશ્વિક મજબૂતાઈ અને વૈશ્વિક અર્થતંત્રની અનિશ્ચિતતા રૂપિયાને દબાણમાં લાવી છે. વિશ્લેષકો અનુસાર, ડોલર ઇન્ડેક્સ 99.61 ના સ્તરે પહોંચ્યો છે, જે યુએસ ડોલરની શક્તિ દર્શાવે છે. વૈશ્વિક બજારોમાં ડોલરની માંગમાં વધારો અને વિદેશી મૂડીની અવરજવર રૂપિયાની દિશાને અસર કરી રહ્યા છે. નાણાકીય નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં રૂપિયાના મૂલ્યમાં વધુ ચઢાવ-ઉતાર જોવા મળી શકે છે, ખાસ કરીને જો અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ફેરફાર થાય તો. ભારતીય શેરબજારમાં પણ રૂપિયાની આ નબળાઈનો મિશ્ર પ્રભાવ જોવા મળ્યો છે. નિકાસકારો માટે આ સ્થિતિ અનુકૂળ ગણાય છે, જ્યારે આયાતકારો માટે ખર્ચ વધી શકે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
કરદાતાઓ માટે રાહતના સમાચાર, GSTR-3B ફાઇલિંગની છેલ્લી તારીખ હવે 25 ઑક્ટોબર
જો તમે હજુ સુધી GSTR-3B રિટર્ન ફાઇલ કરેલ ન હોય તો ચિંતા નહીં – હવે તમારી પાસે વધુ 5 દિવસનો સમય છે. કેન્દ્ર સરકારે GSTR-3B ફાઇલિંગ માટેની છેલ્લી તારીખ 20 ઑક્ટોબરથી વધારીને 25 ઑક્ટોબર 2025 કરી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા આ જાહેરાત સત્તાવાર રીતે સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. દિવાળીના તહેવારને કારણે તારીખ લંબાવવામાં આવી 20 ઑક્ટોબરે દિવાળીના તહેવારને કારણે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના જૂથે સરકારને અરજી કરી હતી કે GSTR-3B ફાઇલિંગ માટેની સમયમર્યાદા લંબાવવી જોઈએ. તેના જવાબમાં CBICએ સપ્ટેમ્બર 2025 માટેની માસિક અને જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક રિટર્ન્સ માટે 25 ઑક્ટોબર સુધી સમયમર્યાદા લંબાવી છે. GSTR-3B શું છે? GSTR-3B એ એક માસિક/ત્રિમાસિક ટેક્સ રિટર્ન ફોર્મ છે, જે હેઠળ નોંધાયેલ કરદાતા પોતાની GST જવાબદારી દર્શાવે છે અને તે મુજબ ટેક્સ ભરવો પડે છે. – માસિક ફાઇલિંગ: દર મહિને 20, 22, કે 24 તારીખે (રાજ્ય પ્રમાણે અલગ) – ત્રિમાસિક ફાઇલિંગ: નાના વેપારીઓ માટે QRMP યોજના હેઠળ સમયસર રિટર્ન ન ભરવાનો દંડ GSTR-3B રિટર્ન મોડું ફાઇલ કરવાથી નીચે મુજબ પેનાલ્ટી લાગૂ પડે છે: – દંડ: ₹50 પ્રતિ દિવસ (₹25 CGST + ₹25 SGST) – શૂન્ય કરદાતાઓ માટે: ₹20 પ્રતિ દિવસ – મહત્તમ દંડ: ₹5,000 સુધી – વ્યાજ: ચુકવવા લાયક કર રકમ પર 18% વાર્ષિક કેવી તૈયારી રાખવી? કરદાતાઓ માટે સલાહ છે કે તેઓ નીચેના પગલાં ઝડપથી પૂર્ણ કરે: – ITC (Input Tax Credit) નું સમીક્ષણ – ચોક્કસ દસ્તાવેજો તૈયાર રાખવા – ઓનલાઇન પોર્ટલ પર પ્રવેશ મેળવી ફાઇલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવી – દંડ અને વ્યાજ ટાળવા 25 ઑક્ટોબર પહેલા રિટર્ન ફાઇલ કરો છેલ્લી તારીખ યાદ રાખો: 25 ઑક્ટોબર, 2025 આ ફેરફાર વેપારીઓ, કંપનીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે ખૂબ જ રાહતભર્યો છે. ખાસ કરીને દિવાળીની વ્યવસ્થા વચ્ચે ટેક્સ ફાઇલિંગમાં જરૂરી સમય મળવો ખૂબ મહત્વનો બની રહે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
















