ગુજરાત સરકાર ખેડૂતોને કૃષિ વીજ જોડાણ આપવા કટિબદ્ધ: બે વર્ષમાં ભાવનગર માં 4,555 નવા વીજ જોડાણો અપાયા: ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ

વિધાનસભા ગૃહમાં સામાન્ય કૃષિ વીજ જોડાણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત વીજળી આપવા મક્કમ છે. છેલ્લા બે વર્ષમાં માત્ર ભાવનગર જિલ્લામાં જ વિવિધ યોજનાઓ હેઠળ રૂ6,685 લાખના ખર્ચે 4,555 કૃષિ વીજ જોડાણો આપવામાં આવ્યા છે. મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, એક નવું કૃષિ વીજ જોડાણ આપવા માટે થાંભલા, લાઇન અને ટ્રાન્સફોર્મર, HVDS સિસ્ટમ વગેરે મળીને સરેરાશ રૂ1.73 લાખનો ખર્ચ થાય છે. જેની સામે ખેડૂતોએ માત્ર લોડ પ્રમાણે નજીવો ચાર્જ આપવાનો હોય છે અને બાકીની રકમ રાજ્ય સરકાર સબસિડી પેટે સીધી વીજ કંપનીઓને ચૂકવે છે. રાજ્ય સરકારની ઉદાર નીતિના ભાગરૂપે, અનુસૂચિત જાતિ વર્ગના અને આદિજાતિ વિસ્તારના ખેડૂતોને ફિક્સ ચાર્જ ભરવામાંથી…

સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ AI ટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભગીરથ પ્રયાસોથી ભારત હવે નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં પણ ડંકો વગાડવા તૈયાર છે. આગામી 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ગુજરાતના સાણંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી, ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે. માઇક્રોનના સાણંદ પ્લાન્ટમાં 2000 લોકોની ટીમ કાર્યરત, દિવ્યાંગ નાગરિકો માટે પણ તક સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વની ભૂમિકામાં છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સઘન પ્રયાસોથી સાણંદમાં માઇક્રોનનો પ્લાન્ટ નિર્ધારિત સમયસીમામાં કાર્યરત થવા જઇ રહ્યો છે. આ પ્લાન્ટ એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સુપોષિત ભારત’ ના વિઝનને વેગ આપવા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની જોગવાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ‘સુપોષિત ભારત’ના વિઝનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ₹7,690 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ બાબતે વિગતે માહિતી આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં 2,000 નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ.360 કરોડની જોગવાઈ આંગણવાડી કેન્દ્રો ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ કન્સેપ્ટ પર બનશે, જેમાં મોડ્યુલર ફર્નિચર, RO મશીન, LED ટીવી સ્ક્રીન અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક સુવિધાઓ આદિજાતિ વિસ્તારોના ૫૩ ઘટકોમાં દૂધ સંજીવની યોજનાનો વિસ્તાર કરાશે. દૂધમાં ફેટનું પ્રમાણ 1.5% થી વધારીને 3% અને 4.5% (પાયલોટ પ્રોજેક્ટ તરીકે નર્મદા, દાહોદ અને ડાંગમાં) કરવા માટે રૂ.38.64 કરોડની જોગવાઈ ઓછા વજન…

CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રાકૃતિક ખેતી માટે નવા જોડાયેલા ખેડૂતોને પ્રોત્સાહન રૂપે કુલ 6.97 કરોડની સહાય ડી.બી.ટી.થી બેંક ખાતામાં જમા કરાવી

રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતો આ ખેતી અપનાવે તે માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીમાં નવા જોડાયેલા 33 જિલ્લાઓના 35829 ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે એક એકર માટે રૂ.2000 ની સહાયનું ડી.બી.ટી.થી વિતરણ કર્યું હતું. કૃષિ મંત્રીજીતુ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રીરમેશ કટારાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં યોજાયેલા આ અંગેના સમારોહમાં મુખ્યમંત્રીએ કુલ રૂપિયા 6.97 કરોડની પ્રોત્સાહક સહાય સિંગલ ક્લિકથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી હતી. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુસર ત્રણ-ત્રણ ગ્રામ પંચાયતોના એક ક્લસ્ટર એમ 1015 ક્લસ્ટરમાં પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહક સહાય પૂરી પાડવામાં આવે છે.…

પાકિસ્તાનના ભક્કારમાં આત્મઘાતી વિસ્ફોટ: 2 પોલીસ જવાનોના મોત, 4 ઘાયલ

પાકિસ્તાનના ભક્કાર જિલ્લામાં મંગળવારે સાંજે આત્મઘાતી હુમલાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ડેરા ઈસ્માઈલ ખાનને પંજાબ પ્રાંત સાથે જોડતા પુલ નજીક આવેલી પોલીસ ચેકપોસ્ટને નિશાન બનાવી આ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ઘટનામાં બે પોલીસ કર્મીઓના મોત થયા છે જ્યારે ચાર અન્ય જવાનો ઘાયલ થયા છે. CCTVમાં કેદ થયા દ્રશ્યો જિલ્લા પોલીસ અધિકારી શહેઝાદ રફીકના જણાવ્યા મુજબ, પોલીસ ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી ત્યારે હુમલાખોર ચેકપોસ્ટ તરફ આગળ વધ્યો. સુરક્ષાકર્મીઓની નજીક પહોંચતા જ તેણે પોતાના શરીર પર બાંધેલા વિસ્ફોટકો સક્રિય કરી દીધા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. વિસ્તારમાં અફરાતફરી વિસ્ફોટ બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સુરક્ષા કારણોસર ખૈબર પખ્તુનખ્વા અને પંજાબને જોડતો મુખ્ય હાઈવે અસ્થાયી રીતે બંધ રાખવામાં આવ્યો છે. ડેરા દરિયા…

EDની મોટી કાર્યવાહી: અનિલ અંબાણીનું મુંબઈ સ્થિત 3,716 કરોડનું ‘અબોડ’ ઘર જપ્ત

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણી વિરુદ્ધ Enforcement Directorate (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીએ મુંબઈ સ્થિત તેમના ભવ્ય નિવાસ ‘અબોડ’ને જપ્ત કરી લીધું છે. આ પ્રોપર્ટીની અંદાજિત કિંમત રૂ. 3,716 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. 17 માળનું આલિશાન નિવાસ ‘અબોડ’ મુંબઈના પાલી હિલ વિસ્તારમાં આવેલું આ 17 માળનું આલિશાન ઘર લગભગ 66 મીટર ઊંચું છે. આ પ્રોપર્ટી શહેરની સૌથી પ્રીમિયમ રહેણાંક મિલ્કતોમાંની એક ગણાય છે. ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર જારી કરીને આ મિલ્કત જપ્ત કરવામાં આવી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન કેસ સાથે જોડાણ માહિતી મુજબ, આ કાર્યવાહી Reliance Communications સાથે સંકળાયેલા કથિત બેંક ફ્રોડ કેસના ભાગરૂપે કરવામાં આવી છે. ઈડીના દાવા મુજબ કંપની સામે થયેલા આર્થિક…

સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન માટે ઐતિહાસિક કરાર, ₹1,527.56 કરોડના એમઓયુ (MoU)થયાં : પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિત

વિધાનસભા ગૃહ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલા એમઓયુની વિગતો આપતાં પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિતે જણાવ્યું કે VGRC-2025 અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન માટે કુલ ₹1,527.56 કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. પ્રવાસન રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પ્રવાસન અને આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનાં પગલાં લેવામાં આવ્યાં છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પ્રવાસન સુવિધાઓ ઊભી કરવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા તથા સ્થાનિક સ્તરે રોજગારી અને આવકના સ્રોતમાં વધારો કરવા વ્યૂહાત્મક એમઓયુ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઈકો-ટૂરિઝમના વિકાસ માટે અને હોટલો, રિસોર્ટ્સ અને એડવાન્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવશે. નિષ્ણાત સંસ્થાઓ સાથે ચાર જેટલાં સ્ટ્રેટેજિક એમઓયુ પણ કરવામાં આવ્યાં છે. જેનો…

અમેરિકામાં ઐતિહાસિક ‘બોમ્બ ચક્રવાત’નો કહેર: 40 મિલિયનથી વધુ લોકો અસરગ્રસ્ત

અમેરિકામાં હાલમાં દાયકાઓમાં સૌથી શક્તિશાળી ગણાતા શિયાળાના તોફાનનો સામનો કરી રહ્યું છે. ઐતિહાસિક ‘બોમ્બ ચક્રવાત’ના પ્રભાવથી દેશના ઉત્તરપૂર્વ વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. 40 મિલિયનથી વધુ લોકો હિમવર્ષા અને ભારે પવનની ચેતવણી હેઠળ છે. ન્યૂ યોર્કનું આકાશ બરફથી ઢંકાયું શિયાળાના આ ભયંકર વાવાઝોડાએ Virginiaથી લઈને Maine સુધીના વિસ્તારોને બરફની જાડી ચાદરમાં ઢાંકી દીધા છે. New York Cityમાં ભારે હિમવર્ષા અને તીવ્ર પવનને કારણે માર્ગ અને હવાઈ વાહનવ્યવહાર લગભગ ઠપ્પ થયો છે. શહેરનું આકાશ ઘન બરફથી ઢંકાઈ ગયું છે અને નાગરિકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. શું છે ‘બોમ્બ ચક્રવાત’? ‘બોમ્બ સાયક્લોન’ અથવા વૈજ્ઞાનિક ભાષામાં ‘બોમ્બોજેનેસિસ’ એ એવું તોફાન છે જેમાં ખૂબ જ ટૂંકા ગાળામાં તેની તીવ્રતા વિસ્ફોટક રીતે વધી જાય છે. જ્યારે કોઈ…

ગુજરાતમાં 10 વર્ષમાં 2.10 લાખથી વધુ સરકારી ભરતી: મંત્રી ઈશ્વરસિંહ પટેલનું મોટું એલાન

વિધાનસભા ગૃહ ખાતે ગુજરાત જાહેર સેવા આયોગમાં કરવામાં આવતી ભરતી વિશે પુછાયેલા પ્રશ્નોના જવાબ આપતાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ના વિઝનને સાકાર કરવા અને રાજ્યની યુવાશક્તિને સરકારી સેવામાં જોડાવાની ઉમદા તક પૂરી પાડવા ગુજરાત સરકાર મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. રાજ્ય સરકારની વહીવટી કાર્યક્ષમતા વધારવા અને યુવાનોને રોજગારી આપવા અમારી સરકાર કટિબદ્ધ છે. મંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ ને વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 306 જગ્યાઓ માટે માંગણાપત્રક મોકલવામાં આવ્યા છે. જેમાં વર્ષ 2024માં 73 અને વર્ષ 2025માં 233 જગ્યાઓનો સમાવેશ થાય છે. આ પૈકી 240 જગ્યાઓ માટેની પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થઈ ચૂકી છે, જેના પરિણામો જાહેર…

વંદે ભારત એક્સપ્રેસ હવે જમ્મુ-શ્રીનગર વચ્ચે દોડશે, 5 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરશે અંતર

ઉત્તર રેલવેએ જમ્મુ અને કાશ્મીર વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તર રેલ્વે દ્વારા શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રેલ્વે સ્ટેશન-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસને હવે જમ્મુ સુધી લંબાવવામાં આવી છે. આ પગલાથી મુસાફરોને હવે જમ્મુથી સીધી શ્રીનગર સુધી ઝડપી અને આરામદાયક મુસાફરીનો વિકલ્પ મળશે. લાંબા સમયથી ચાલી આવતી લોકમાગને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયથી હજારો મુસાફરોને લાભ મળશે. નવી વ્યવસ્થા મુજબ ટ્રેન સેવા 1 માર્ચથી શરૂ થશે. ટ્રેન નંબર અને રૂટ વિગતો ટ્રેન નં. 26401 – જમ્મુ તાવી-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ – સવારે 6:15 વાગ્યે જમ્મુ તાવીથી પ્રસ્થાન કરશે. – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – સવારે 8:08 વાગ્યે – રિયાસી – સવારે 8:28 વાગ્યે – બનિહાલ –…