ગુજરાત સરકાર ખેડૂતોને કૃષિ વીજ જોડાણ આપવા કટિબદ્ધ: બે વર્ષમાં ભાવનગર માં 4,555 નવા વીજ જોડાણો અપાયા: ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ

વિધાનસભા ગૃહમાં સામાન્ય કૃષિ વીજ જોડાણ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે સસ્તી અને ગુણવત્તાયુક્ત વીજળી આપવા મક્કમ છે. છેલ્લા બે વર્ષમાં માત્ર ભાવનગર જિલ્લામાં જ વિવિધ યોજનાઓ હેઠળ રૂ6,685 લાખના ખર્ચે 4,555 કૃષિ વીજ જોડાણો આપવામાં આવ્યા છે.

મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, એક નવું કૃષિ વીજ જોડાણ આપવા માટે થાંભલા, લાઇન અને ટ્રાન્સફોર્મર, HVDS સિસ્ટમ વગેરે મળીને સરેરાશ રૂ1.73 લાખનો ખર્ચ થાય છે. જેની સામે ખેડૂતોએ માત્ર લોડ પ્રમાણે નજીવો ચાર્જ આપવાનો હોય છે અને બાકીની રકમ રાજ્ય સરકાર સબસિડી પેટે સીધી વીજ કંપનીઓને ચૂકવે છે.

રાજ્ય સરકારની ઉદાર નીતિના ભાગરૂપે, અનુસૂચિત જાતિ વર્ગના અને આદિજાતિ વિસ્તારના ખેડૂતોને ફિક્સ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે માત્ર રજીસ્ટ્રેશન, ડિપોઝીટ અને ટેસ્ટ રિપોર્ટ જેવા સામાન્ય ચાર્જ જ ચૂકવવાના રહે છે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

 ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું: કોંગ્રેસ-AAP એ ગણાવી યુવાનોની જીત 2026 Youth Victory

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ રાજકીય ગરમાવો: કોંગ્રેસ-AAPએ કહ્યું ‘યુવાનોની જીત’, વિરોધ પક્ષોની તીખી પ્રતિક્રિયા  ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોંગ્રેસ-AAPનો મોટો દાવો, ‘આ યુવાનોની જીત’ કહી સરકાર પર સાધ્યું નિશાન  કેન્દ્રીય…

102 ડિગ્રી તાવ અને H1N1! અભિનેત્રી શબાના આઝમી આઇસોલેશનમાં, પ્રદર્શનને આપ્યું સમર્થન : Shocking Update

મુંબઈ: જાણીતી દિગ્ગજ અભિનેત્રી અને સામાજિક કાર્યકર શબાના આઝમીને H1N1 (સ્વાઇન ફ્લૂ) હોવાનું નિદાન થયું છે. તબિયત બગડતાં ડૉક્ટરોએ તેમને ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવા અને આઇસોલેશનમાં…