‘ઓપરેશન સિંદૂર’થી પાકિસ્તાન હજુ પણ ફફડેલું, LoC પર એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત
ભારતના ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાનમાં હજુ પણ ભયનો માહોલ છે. પાકિસ્તાને પાક-અધિકૃત કાશ્મીર (PoK)માં લાઇન ઓફ કંટ્રોલ (LoC) નજીક આધુનિક એન્ટી-ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે. રિપોર્ટ્સ મુજબ, રાવલકોટ, કોટલી અને ભિમ્બર સેક્ટરમાં નવી કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ (C-UAS) લગાવવામાં આવી છે. પાકિસ્તાની સેનાને આશંકા છે કે ભારત ફરી કોઈ ચોક્કસ અને ઝડપી કાર્યવાહી કરી શકે છે. આ કારણે LoC પર 30થી વધુ ખાસ એન્ટી-ડ્રોન યુનિટ્સ તૈનાત કરવામાં આવી છે. આ તૈનાતી મુર્રી સ્થિત 12મી અને 23મી ઇન્ફન્ટ્રી ડિવિઝન દ્વારા કરવામાં આવી છે, જે કોટલી-ભિમ્બર ક્ષેત્રની બ્રિગેડ્સનું સંચાલન કરે છે. કઈ એન્ટી-ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી? – સ્પાઈડર કાઉન્ટર-UAS સિસ્ટમ: આ સિસ્ટમ રેડિયો ફ્રીક્વન્સી દ્વારા ડ્રોનને ઓળખે છે અને લગભગ 10 કિલોમીટર સુધી નાના ડ્રોન…
વર્ષ 2026માં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે ટ્રમ્પ પ્રશાસનની ઝૂંબેશ, $170 બિલિયન ભંડોળ કરાયું મંજૂર
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન આગામી વર્ષ 2026માં ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે વધુ કડક કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ICE અને બોર્ડર પેટ્રોલને 170 બિલિયન ડોલર વધારાનું ભંડોળ મળ્યું છે. મધ્યસત્ર ચૂંટણી પહેલાં આ કડક પગલાં રાજકીય વિવાદ અને જાહેર સમર્થન ઘટાડવાનો કારણ બન્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે અનેક મુખ્ય યુએસ શહેરોમાં ઇમિગ્રેશન એજન્ટોની સંખ્યા વધારી છે અને એજન્ટોએ રહેણાંક વિસ્તારોમાં દરોડા પણ પાડ્યા છે. આ વર્ષે કેટલાક મોટા વ્યવસાયો પર પણ દરોડા થયા છે, જ્યારે ખેતરો અને ઉદ્યોગોને બચાવી લેવાયું છે, કારણ કે આ અમેરિકન અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. ભંડોળ બિલ: જુલાઈમાં રિપબ્લિકન-નિયંત્રિત કોંગ્રેસે ખર્ચ બિલ પસાર કર્યું. ICE અને બોર્ડર પેટ્રોલને સપ્ટેમ્બર 2029 સુધી $170 બિલિયન વધારાનું ભંડોળ મળશે, જે વર્ષના વર્તમાન બજેટ કરતાં ઘણું વધારે…
બાંગ્લાદેશમાં હિંસા બાદ ભારતીય સેના એલર્ટ, પૂર્વીય કમાન્ડરે સરહદની સમીક્ષા કરી
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વધતી હિંસા અને રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના સંપૂર્ણ રીતે સતર્ક બની છે. શેખ હસીના વિરોધી ચળવળના નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યા છે. ભારત વિરોધી નારા અને ભારતીય હાઇ કમિશન પર હુમલાના પ્રયાસ બાદ સુરક્ષા ચિંતા વધી છે. આ તંગ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આર.સી. તિવારીએ બાંગ્લાદેશને અડીને આવેલી સરહદોની મુલાકાત લઈને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. સરહદ પર ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક લેફ્ટનન્ટ જનરલ તિવારીએ મિઝોરમના પરવા વિસ્તારમાં સ્થિત આસામ રાઇફલ્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના કંપની ઓપરેટિંગ બેઝની મુલાકાત લીધી. અહીં તેમણે સ્પીયર કોર્પ્સ હેઠળ કાર્યરત દળો સાથે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી. મુલાકાત દરમિયાન ભારત-બાંગ્લાદેશ સરહદ પરની હાલની…
ભારતીય કોસ્ટગાર્ડની મોટી કાર્યવાહી : કચ્છમાં પાકિસ્તાની બોટ પકડી, 11 માછીમારો કસ્ટડીમાં
કચ્છની દરિયાઈ સરહદે ફરી એક વખત સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ સામે આવ્યો છે. અરબ સાગરમાં રૂટીન પેટ્રોલિંગ દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડે જખૌ નજીક એક શંકાસ્પદ બોટ કબ્જે લીધી. તપાસમાં જાણવા મળ્યું કે બોટ પાકિસ્તાનની ‘અલવલી’ હતી અને તેમાં 11 પાકિસ્તાની માછીમારો, જેમાં બે સગીર પણ સામેલ છે, સવાર હતા. પ્રાથમિક તપાસમાં કોઈ હથિયાર, નશીલા પદાર્થો અથવા વાંધાજનક સામાન મળ્યો નથી. છતાં સુરક્ષા એજન્સીઓ કોઈ જોખમ ટાળી ન દેવા વધુ પૂછપરછ કરી રહી છે. માછીમારો દિશા ભટકી ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હોવાની શક્યતા છે, પણ તપાસ ટીમ તમામ ટેકનિકલ ડેટા — GPS, રૂટ અને સંદેશાવ્યવહાર સાધનોની વિગતવાર તપાસ કરી રહી છે. પકડી પાડવામાં આવેલો જૂથ હાલ જખૌ પોર્ટ ખાતે કસ્ટડીમાં છે, જ્યાં મરીન પોલીસ અને વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સીઓ સંયુક્ત…
મણિપુરમાં આસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર આતંકી હુમલો
મણિપુરમાં ફરી એકવાર સુરક્ષા પરિસ્થિતિ તંગ બની છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ, શુક્રવારે તેંગનોપાલ જિલ્લામાં અજાણ્યા આતંકવાદીઓએ અાસામ રાઇફલ્સની પેટ્રોલિંગ ટુકડી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો ભારત–મ્યાનમાર સરહદની નજીક આવેલા સંવેદનશીલ વિસ્તારમાં થયો હતો. પ્રવક્તાએ જણાવ્યું કે હુમલા બાદ સુરક્ષા દળોએ નાગરિકોની સુરક્ષા અને સ્થળની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને નિયંત્રિત અને સાવધાનીપૂર્વક જવાબી કાર્યવાહી કરી હતી. હુમલા બાદ આસપાસના વિસ્તારમાં તાત્કાલિક કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તંગનોપાલ જિલ્લો મ્યાનમારની નજીક હોવાને કારણે અહીં આ પ્રકારની આતંકી પ્રવૃત્તિઓની શક્યતા વધુ રહેતી હોય છે. હાલ સુધી હુમલાખોરોના જૂથની ઓળખ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. સુરક્ષા એજન્સીઓ વિસ્તારની સ્થિતિ પર નજર રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital…
IAF લશ્કરી કવાયત: 3-6 ડિસેમ્બર દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક એરસ્પેસ રિઝર્વ, NOTAM જારી
ભારતીય વાયુસેનાએ (IAF) 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 સુધી પાકિસ્તાન સરહદ નજીક દક્ષિણ ક્ષેત્રમાં એક મોટી લશ્કરી કવાયત માટે એરસ્પેસ રિઝર્વ કરવાની જાહેરાત કરી છે. આ માટે નોટમ (NOTAM) જારી કરવામાં આવ્યું છે, જે પાઇલટ્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને એરક્રાફ્ટ ઓપરેટર્સ માટે સત્તાવાર સૂચના છે. કવાયતનું વિસ્તાર અને અસર NOTAM અનુસાર, આ એરસ્પેસ રિઝર્વેશન રાજસ્થાનના જોધપુર અને બાડમેર જિલ્લામાં લાગુ પડશે, જે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને કરાચી હવાઈ ટ્રાફિક રૂટની નજીક છે. આ પ્રક્રિયા દરમિયાન કરાચી અને રહીમ યાર ખાન હવાઈ રૂટ પર ફ્લાઇટ્સને અસર થઈ શકે છે. કવાયતનો હેતુ આ લશ્કરી કવાયત દરમિયાન ભારતીય વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટ અને સર્વેલન્સ પ્લેટફોર્મ સક્રિય રહેશે. અધિકારીઓએ જણાવ્યું છે કે, આ કવાયત પ્રાદેશિક સુરક્ષા, ઓપરેશનલ તૈયારી અને કૌશલ્ય…
કચ્છ: હાજીપીર પાસેથી 55 વિસ્ફોટકો સાથે 3 ઝડપાયા, જાણો વિગત
કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર હાજીપીર પાસે પોલીસે 3 શંકાસ્પદ વ્યક્તિઓને ૫૫ વિસ્ફોટકો સાથે ઝડપી પાડ્યા છે. આ કામગીરી કચ્છ-ભુજ બોર્ડર રેન્જના પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન, બોલેરો પિક-અપમાંથી વિસ્ફોટકોના ગોળા મળી આવ્યા, જે ઘઉના લોટથી કવર કરવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી લોખંડનો કોચથો અને છરી પણ જપ્ત કરવામાં આવી હતી. આ ગુનાની નોંધ હાજીપીર પોલીસ સ્ટેશનમાં એક્સલોઝીવ એક્ટ હેઠળ કરવામાં આવી છે. ઝડપાયેલા લોકોના નામ અને સરનામું આ પ્રમાણે છે: – પ્રકાશ હિરાભાઈ સથવારા, ઉંમર ૨૫, હેમલાઈ ફળીયું, અંજાર – રાજુ વેલજી દાતણીયા, ઉંમર ૩૫, સતાપર, અંજાર – હિરા કાનજી દાતણીયા, ઉંમર ૨૮, હેમલાઈ ફળીયું, અંજાર સફળ કામગીરી માટે પો.સબ ઇન્સ્પેક્ટર વી.ડી. ગોહિલ, એ.એસ.આઈ કિશોરસિંહ જાડેજા, પો.હેડ કોન્સ કિરણકુમાર…
અમિત શાહે સરહદ પારથી થતી ઘૂસણખોરીને રોકવા સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી, જાણો વિગત
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં શિયાળાની હિમવર્ષા શરૂ થવાના પહેલા સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓને સખત ચેતવણી આપી છે. તેમણે સુરક્ષા તંત્રને ખાસ સૂચના આપી છે કે તેઓ સીમા પર વધુ સજાગ અને સક્રિય રહે અને કોઈ પણ પ્રકારની ઘૂસણખોરીને પુર્ણપણે નિષ્ફળ બનાવવા માટે પગલાં લેશે. મુખ્ય મુદ્દાઓ: – સીમા સુરક્ષાની કામગીરીની સમીક્ષા: બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં સલામતી સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, બ્યુરો ડિરેક્ટર તપન ડેકા, સેનાના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી, અને રાજ્ય-કેન્દ્રના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. – સંયુક્ત પ્રયાસો માટે પ્રશંસા: અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કને નષ્ટ કરવા માટે સુરક્ષા એજન્સીઓના સંયુક્ત પ્રયાસોની…















