ભારતીય વાયુસેના પાકિસ્તાન સરહદ નજીક કરશે હવાઈ અભ્યાસ, ભારતે જારી કર્યું NOTAM
ભારત સરકારે પાકિસ્તાન સાથેની દક્ષિણ સરહદ નજીક 7 અને 8 મેના રોજ મોટા પાયે હવાઈ સૈન્ય કવાયત માટે ‘એરમેનને નોટિસ’ (NOTAM) જારી કરી છે. આ માહિતી ભૂ-ગુપ્તચર નિષ્ણાત ડેમિયન સિમોને મંગળવારે આપી હતી. ભારતીય વાયુસેના આવતીકાલે, 7 મેથી ભારત-પાકિસ્તાન સરહદ પર રણ પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં કવાયત કરશે. રાફેલ, મિરાજ 2000 અને સુખોઈ-30 સહિત તમામ ફ્રન્ટલાઈન વિમાનો આ કવાયતમાં ભાગ લેશે. આ અંગે ભારત દ્વારા NOTAM જારી કરવામાં આવ્યું છે. જોકે આ કવાયત વિશેની વિગતવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ NOTAM દ્વારા સ્પષ્ટ સંકેતો છે કે આ સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારના હવાઈ ક્ષેત્રમાં પ્રતિબંધ રહેશે. આ ભારતીય વાયુસેના દ્વારા એક વિશાળ લશ્કરી કવાયતની તૈયારીઓ દર્શાવે છે. આ પણ વાંચો: ગામતળની બહાર તથા વાડી…
ચીને ફરીએકવાર સરહદ નજીક લશ્કરી કવાયત શરૂ કરી, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ
ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ ફરી એકવાર સરહદ નજીક લશ્કરી કવાયત શરૂ કરી છે. આ કવાયતમાં ડ્રોન અને માનવરહિત સિસ્ટમ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચીનનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે પેટ્રોલિંગ પુનઃસ્થાપિત કરવા માટે કરાર થયો છે..ભારત અને ચીન વચ્ચે 21 ઓક્ટોબર 2024 ના રોજ એક કરાર પર હસ્તાક્ષર થયા હતા, જે હેઠળ ડેપસાંગ અને ડેમચોક જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ફરી શરૂ કરવા સંમતિ આપવામાં આવી હતી. આ કરાર 2020 માં ગાલવાન ખીણમાં થયેલી અથડામણ પછી તણાવ ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આ કરાર છતાં, સરહદ પર બંને પક્ષો વચ્ચે અનિશ્ચિતતા…








