ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના પગલે બોર્ડે મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. નવી જાહેરાત અનુસાર હવે બોર્ડની પરીક્ષાઓ નીચે મુજબ લેવામાં આવશે: – ધોરણ 10 સામાજિક વિજ્ઞાન: અગાઉ ધૂળેટીના દિવસે નક્કી કરાયેલ પેપર હવે 18 માર્ચે લેવાશે. – ધોરણ 12 – સામાન્ય પ્રવાહ સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ હવે 18 માર્ચે યોજાશે. – ધોરણ 12 – વિજ્ઞાન પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 16 માર્ચે બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી લેવામાં આવશે. – સંસ્કૃત વિષયમાં ફેરફાર સંસ્કૃત પ્રથમા: 16 માર્ચ, સવારે 10:00 થી 1:15 સંસ્કૃત મધ્યમા: 16 માર્ચ, બપોરે…







