બાંગ્લાદેશે ભારતીયો માટે વિઝા સેવાઓ પુનઃસ્થાપિત કરી, તારિક રહેમાનના આગમન બાદ સુધારા થયા

બાંગ્લાદેશના નવા વડા પ્રધાન તરીકે રહેમાન ના સત્તામાં આવતાની સાથે જ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવગ્રસ્ત સંબંધોમાં સુધારા માટે પહેલ થઈ છે. શુક્રવારે નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઇ કમિશને ભારતીય નાગરિકો માટે તમામ વિઝા સેવાઓ ફરી શરૂ કરી, ડિસેમ્બર 2025 થી લાગૂ થયેલા પ્રતિબંધને હટાવી દીધું. કોન્સ્યુલર સેવાઓ ફરી શરૂ – બાંગ્લાદેશ હાઇ કમિશન શુક્રવારે સવારે થી તમામ વિઝા સેવાઓ પુનઃસ્થાપિત. – હવે પ્રવાસી, મેડિકલ, વ્યવસાય અને કાર્ય વિઝા સહિત તમામ કેટેગરીઝ ઉપલબ્ધ. – BNP નેતૃત્વ હેઠળ તાજેતરના પગલાં સાથે ભારત સાથે સંબંધોને ઝડપથી સામાન્ય કરવા માટે ઇચ્છા દર્શાવવામાં આવી. ભારત તરફથી સકારાત્મક સંકેતો ભારતીય વરિષ્ઠ કોન્સ્યુલર અધિકારી અનિરુદ્ધ દાસએ જણાવ્યું કે ભારત પણ ટૂંક સમયમાં બાંગ્લાદેશી નાગરિકો માટે તમામ વિઝા સેવાઓ પુનઃસ્થાપિત કરશે. ડિસેમ્બરમાં થયેલા વિરોધ…

તારિક રહેમાન બનશે બાંગ્લાદેશના નવા પ્રધાનમંત્રી, મોહમ્મદ યુનુસે શપથ પહેલા રાજીનામું આપ્યું

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે નવી સરકાર સત્તા સંભાળે તે પહેલાં રાજીનામું આપી દીધું છે. યુનસે મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી હતી અને વિદાય સંબોધનમાં આ જાહેરાત કરી. મંગળવાર બાંગ્લાદેશ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે, જ્યારે બીએનપી પ્રમુખ તારિક રહેમાન વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીન સાંજે 4 વાગ્યે શપથ ગ્રહણ કરાવશે. ભારતીય પ્રતીનિધિ તરીકે ઓમ બિરલા શપથ સમારોહમાં ભાગ લેશે. બાંગ્લાદેશની 13મી સંસદીય ચૂંટણીમાં વિજયી થયા બાદ, બીએનપીના અધ્યક્ષ તારિક રહેમાન મંગળવારે નવા વડા પ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ પરંપરાગત બંગભવનની જગ્યાએ રાષ્ટ્રીય સંસદના દક્ષિણ પ્લાઝા ખાતે યોજાશે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

PM મોદી નહીં જાય બાંગ્લાદેશ, તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં આ નેતા આપશે હાજરી

બાંગ્લાદેશના નવા ચૂંટાયેલા વડા પ્રધાન તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સૂત્રોએ જણાવ્યું છે કે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી તેમની સાથે બાંગ્લાદેશ જશે. અગાઉ એવી અટકળો ચાલી રહી હતી કે પીએમ મોદી બીએનપી અધ્યક્ષના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે પડોશી દેશની મુલાકાત લઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં. ભારત લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને બાંગ્લાદેશ મોકલી રહ્યું છે. તેમની સાથે વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ હશે. આ સમારોહ 17 ફેબ્રુઆરીએ ઢાકામાં રાષ્ટ્રીય સંસદ ભવનના દક્ષિણ પ્લાઝા ખાતે યોજાશે. જોકે, ભારતમાં એઆઈ ઇમ્પેક્ટ સમિટ સહિત અન્ય આયોજિત કાર્યક્રમોમાં વ્યસ્ત સમયપત્રક અને ઘણા દેશોના મહાનુભાવોના આગમનને કારણે, પીએમ મોદી બાંગ્લાદેશની…

બાંગ્લાદેશ ચૂંટણી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BNP ચીફ તારિક રહેમાનને ફોન કરી પાઠવ્યા અભિનંદન

બાંગ્લાદેશમાં યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં Bangladesh Nationalist Party (BNP) એ ભવ્ય વિજય મેળવ્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરીએ BNP ચીફ તારિક રહેમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા અને બાંગ્લાદેશની જનતાની આશાઓ પૂર્ણ કરવામાં ભારત તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. વડાપ્રધાન મોદીની શુભેચ્છા વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, તારિક રહેમાન સાથે વાતચીત કરીને તેમને આનંદ થયો અને બાંગ્લાદેશની જનતાના વિશ્વાસ માટે તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશ ઊંડા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોથી જોડાયેલા છે અને બંને દેશો વચ્ચેની ભાગીદારી શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા અધ્યાય લખશે. મોદીએ વધુમાં ઉમેર્યું કે ભારત લોકશાહી, સર્વસમાવેશક અને વિકાસમુખી બાંગ્લાદેશના સમર્થનમાં અડગ રહેશે.…

યુનુસની સરકારે લાખો લોકોના મતદાનનો અધિકાર છિનવ્યો! બાંગ્લાદેશની ચૂંટણી પહેલા શેખ હસીનાએ ઉઠાવ્યા સવાલો

બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા અશાંતિ સતત વધી રહી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે શેખ હસીનાના પક્ષ, અવામી લીગને ચૂંટણીમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરી દીધો છે. આ ક્રમમાં, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ દેશમાં આગામી ચૂંટણીઓ અંગે વચગાળાની સરકાર પર નિશાન સાધ્યું છે. યુનુસ સરકારને આડે હાથ લેતા હસીનાએ કહ્યું કે દેશના લાખો લોકોના મતદાન અધિકાર છીનવાઈ ગયા છે. શેખ હસીનાએ ગયા અઠવાડિયે ધ એસોસિએટેડ પ્રેસ (એપી) ને લખેલા એક ઇમેઇલમાં ચેતવણી આપી હતી કે સમાવિષ્ટ, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ વિના, બાંગ્લાદેશ લાંબા સમય સુધી અસ્થિરતાનો સામનો કરશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે ઇરાદાપૂર્વક તેમના પક્ષને ચૂંટણીમાંથી બાકાત રાખીને લાખો સમર્થકોને મતાધિકારથી વંચિત રાખ્યા છે.…

બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું નિધન, 80 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

બાંગ્લાદેશના ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયાનું અવસાન થયું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના નેતાએ ઢાકાની એવર કેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. તેઓ 80 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ખાલિદા ઝિયાના પક્ષ, બીએનપી, એ તેમના મૃત્યુની પુષ્ટિ કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, બીએનપીએ જણાવ્યું હતું કે ડોકટરોએ તેમને થોડા સમય પહેલા મૃત જાહેર કર્યા હતા. ખાલિદા ઝિયાએ સવારે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઢાકાની એવર કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બીએનપીની સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ, પૂર્વ વડા પ્રધાન ખાલિદાની તબિયત 29-30 ડિસેમ્બરની રાત્રે બગડી ગઈ હતી. તેમની તબિયત વધુ ખરાબ થતાં, તેમને સારવાર માટે વિદેશ લઈ જવાની તૈયારીઓ ચાલી રહી હતી. કતારથી એક…

કોણ છે જાઈમા રહેમાન? તારિક રહેમાનની વાપસી સાથે દેશભરમાં ચર્ચાનો વિષય

બાંગ્લાદેશની રાજનીતિમાં 25 ડિસેમ્બર 2025નો દિવસ ઐતિહાસિક બની ગયો છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષ બાદ લંડનથી વતન પરત ફર્યા છે. તેમની વાપસી સાથે દેશભરમાં રાજકીય હલચલ તેજ થઈ છે, પરંતુ આ વખતની ચર્ચા માત્ર તારિક રહેમાન સુધી સીમિત નથી. તેમની દીકરી જાઈમા જરનાજ રહેમાન પણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. એરપોર્ટ પર ઉમટ્યો જનસાગર તારિક રહેમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા લંડનથી રવાના થયા હતા. ફ્લાઈટ સિલહટમાં સ્ટોપઓવર કર્યા બાદ ગુરુવારે બપોરે ઢાકાના હજરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થઈ. એરપોર્ટની બહાર ઠંડી અને ધુમ્મસ હોવા છતાં લાખો BNP સમર્થકો પોતાના નેતાની એક ઝલક મેળવવા કલાકો સુધી રાહ જોતા નજરે પડ્યા. કેમ ચર્ચામાં છે જાઈમા રહેમાન? તારિક રહેમાન પોતાની પત્ની ડૉ.…

બાંગ્લાદેશમાં 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026 ના રોજ, આવામી લીગ પર પ્રતિબંધ

બાંગ્લાદેશની 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે. આ વખતે શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પર પ્રતિબંધ લાગવાના કારણે તે ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. ચૂંટણીના દિવસે જ જનમત સંગ્રહ (referendum) પણ હાથ ધરવામાં આવશે. મતદાન સવારે 7:30 કલાકથી સાંજના 4:30 કલાક સુધી ચાલશે. આ વખતે મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે, કારણ કે એ જ દિવસે જનમત સંગ્રહ પણ થવાનો છે. ચૂંટણી શેડ્યૂલ 29 ડિસેમ્બર 2025: ઉમેદવારી પત્રો દાખલ કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર – 4 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રોની તપાસ 4 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રોની નિયુક્તિ 18 જાન્યુઆરી 2026: અપીલ પ્રક્રિયા 20 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી 2026: ચૂંટણી પંચ ચિહ્ન ફાળવે 12 ફેબ્રુઆરી 2026: મતદાન અને…