ભાજપની સરકાર આવતાજ દિલ્હીમાં વીજ કાપ શરૂ થઇ ગયોઃ આતિશી
દિલ્હીના કાર્યકારી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ રાષ્ટ્રીય રાજધાનીમાં વીજળી કાપનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારથી ભાજપ સરકાર સત્તામાં આવી છે, ત્યારથી સતત વીજળી કાપ થઈ રહ્યો છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ભાજપ દિલ્હી માટે આફત બની ગઈ છે, સત્તામાં આવતાની સાથે જ લાંબા વીજકાપ શરૂ થઈ ગયા.” આતિશીએ કહ્યું, “છેલ્લા 3 દિવસથી દિલ્હીના વિવિધ ભાગોમાંથી વીજળી ગુલ થવાની ફરિયાદો મળી રહી છે. લાંબા વીજકાપની ફરિયાદો મળી છે. આ ફરિયાદ ફક્ત એક જ વિસ્તારમાંથી નહીં પરંતુ ઘણા વિસ્તારોમાંથી આવી રહી છે. આતિશીએ ક્હ્યું ત્રણ દિવસમાં પાવર સેક્ટરનો ઘટાડો દર્શાવે છે કે અગાઉ AAP સરકાર દરરોજ અને દર કલાકે વીજ ક્ષેત્રનું સતત નિરીક્ષણ કરતી હતી અને આવી સમસ્યાઓ ક્યારેય ઊભી થઈ ન હતી.…
દિલ્હીમાં અમારી સરકાર બન્યા બાદ તાલકટોરા સ્ટેડિયમનું નામ બદલી નાંખીશું: પ્રવેશ વર્મા
દિલ્હીમાં ભાજપની જીત બાદ, તાલકટોરા સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. નવી દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ આ જાહેરાત કરી છે. તેમણે દાવો કર્યો છે કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે.ભાજપના ઉમેદવાર પ્રવેશ સાહિબ સિંહ વર્માએ કહ્યું કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં અમારી સરકાર બનશે. તે પછી, નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) ની પહેલી બેઠકમાં, અમે તાલકટોરા સ્ટેડિયમનું નામ બદલીશું. તાલકટોરા સ્ટેડિયમનું નામ મહર્ષિ વાલ્મીકિના નામ પરથી રાખવામાં આવશે. -> ભગવાન મહર્ષિ વાલ્મીકિના નામથી રાખવામાં આવશે સ્ટેડિયમનું નામ :- પ્રવેશ શર્માએ કહ્યું, “નવી દિલ્હીમાં એક મોટું સ્ટેડિયમ છે – તાલકટોરા. મુઘલ કાળ દરમિયાન, ત્યાં એક મોટો સ્વિમિંગ પૂલ હતો જે બાઉલના આકારનો હતો. તેથી જ તેને તાલકટોરા કહેવામાં આવતું હતું. આજે હું એક મોટી…
આનાથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકારની વિચારસરણી કેટલી ધિક્કારને પાત્ર છેઃ સંજય સિંહ
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે 26 ડિસેમ્બરે એઈમ્સ, નવી દિલ્હીમાં અવસાન થયું. તેઓ આધુનિક ભારતના આર્થિક સુધારાના આર્કિટેક્ટ તરીકે ઓળખાય છે. કેન્દ્ર સરકારે તેમના માનમાં 1 જાન્યુઆરી, 2025 સુધી સાત દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. આ સાથે, સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં પૂર્વ પીએમનું સ્મારક બનાવવાની જાહેરાત કરી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને મનમોહન સિંહના પરિવારજનોને જણાવ્યું છે કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવશે. હવે પૂર્વ વડાપ્રધાનના સ્મારક માટે જગ્યા ફાળવવાના મુદ્દે રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસે સરકાર પર પૂર્વ વડાપ્રધાનના સ્મારક માટે જગ્યા ન મળી શકવાનો આરોપ લગાવ્યો. તેમણે તેને મનમોહન સિંહનું અપમાન ગણાવ્યું હતું. જોકે, આમ આદમી પાર્ટીએ પણ પૂર્વ પીએમના સ્મારક માટે જગ્યા ફાળવવાના મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.…
વન નેશન વન ઇલેકશન બિલ આજે સંસદમાં રજુ થઇ રહ્યું છે, જાણો શું છે આ બિલ, શું છે સરકાર અને વિપક્ષની દલીલો ?
કેન્દ્ર સરકાર આજે સંસદમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ એટલે કે એક દેશ, એક ચૂંટણી બિલ રજૂ કરી રહી છે. વિપક્ષ એક દેશ એક ચૂંટણીનો સતત વિરોધ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટપણે સમજી શકાય છે કે લોકસભામાં આજની કાર્યવાહી તોફાની થવાની છે.આ બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસીને પણ મોકલવા માંગે છે. જો JPC મંજૂરી આપે છે અને બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર થઈ જાય છે, તો તેને મંજૂરી માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતાં જ આ બિલ કાયદો બની જશે. જો આમ થશે તો 2029 સુધીમાં દેશભરમાં એક સાથે ચૂંટણી યોજાશે. -> વન નેશન વન ઇલેક્શન એટલે શું? :- હાલમાં ભારતમાં, રાજ્યની વિધાનસભા અને દેશની…










