રાજ્યના 6 વરિષ્ઠ IPS અધિકારીઓને બઢતી, ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય

ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં મહત્વનો વહીવટી ફેરફાર કરતા રાજ્ય કેડરના 6 વરિષ્ઠ IPS અધિકારીઓને બઢતી આપવાના આદેશ જાહેર કર્યા છે. ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ, રાજ્યમાં અને કેન્દ્રિય પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા અધિકારીઓને ‘પ્રોફોર્મા પ્રમોશન’ નો લાભ આપવામાં આવ્યો છે. આ બઢતીઓનો અમલ 1 ડિસેમ્બર 2025 થી તાત્કાલિક અસરથી શરૂ થયો છે. DG રેન્ક પર 2 અધિકારીઓને બઢતી 1. મનોજ શશિધર (IPS–1994) હાલમાં CBI માં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા મનોજ શશિધરને DG રેન્કમાં પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું છે. 2. રાજુ ભાર્ગવ (IPS–1995) હાલમાં રાજ્યમાં ADGP (Armoured Units) તરીકે સેવાઓ આપી રહેલા રાજુ ભાર્ગવને DG (Armoured Units) તરીકે બઢતી આપવામાં આવી છે. તેમની વર્તમાન પોસ્ટને પણ ‘ex-cadre DG’ તરીકે અપગ્રેડ કરવામાં…

રાશિફળ/01 ડિસેમ્બર 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. વેપાર માં ફાયદો આજે ઘણા વેપારીઓ ના ચહેરા પાર સ્મિત લાવી શકે છે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. તમારા સાથીદારની ગેરહાજરીમાં તેની હાજરી વર્તાવાની શક્યતા છે. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. આજે ખાલી સમય નું સાચું…

અંક જ્યોતિષ/01 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

ગુજરાત પોલીસમાં મોટી ભરતી: PSIની 858 અને LRDની 12,733 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ 3 થી 23 ડિસેમ્બર સુધી

ગુજરાત પોલીસમાં નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર બહાર આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRD કેડરમાં નવી ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે 3 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર વચ્ચે ઓનલાઈન અરજી કરી શકાશે. PSI કેડરમાં 858 જગ્યાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અનુસાર PSIની કુલ 858 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. – બિન હથિયારી PSI — 659 જગ્યાઓ – હથિયારી PSI — 129 જગ્યાઓ LRD (લોકરક્ષક) કેડરમાં 12,733 જગ્યાઓ LRD ભરતી માટે વિવિધ પદો પર મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે. કુલ 12,733 જગ્યાઓ નીચે મુજબ છે: – બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ — 6,942 – હથિયારી પોલીસ કોન્સ્ટેબલ — 2,458 – હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) — 3,002 – જેલ સિપાઈ…

ચક્રવાત દિત્વાહ: 47 ફ્લાઇટ્સ રદ ટ્રેનો પણ બંધ; તમિલનાડુ–પુડુચેરીમાં હાઈ એલર્ટ, NDRF તૈનાત

ચક્રવાત દિત્વાહ આજે તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા પાસે ખૂબ નજીક પહોંચી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર વાવાઝોડું આજે જ ભૂમિ પર ત્રાટકવાની શક્યતા છે. હાલમાં તોફાન “ચક્રવાતી તોફાન” સ્તરે છે અને વધુ મજબૂત થવાના કોઈ સંકેત નથી. શ્રીલંકામાં ભારે વિનાશ – દિત્વાહ ભૂમિ સ્પર્શ કરતાં પહેલાં શ્રીલંકાના પૂર્વ કિનારે ભારે તબાહી મચાવી હતી. – અત્યાર સુધી 150 થી વધુ લોકોના મોત – અનેક વિસ્તારોમાં વ્યાપક નુકસાન – હજારો લોકો બેસહારા – તમિલનાડુમાં રેડ અને ઓરેન્જ એલર્ટ IMD એ રાજ્ય માટે ગંભીર ચેતવણીઓ જાહેર કરી છે: – 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ – 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ – કેટલાક શહેરોમાં પહેલેથી જ ભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાઈ રહ્યા છે. – IMD મુજબ, ચક્રવાત…

સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરૂ, 30 નવેમ્બરે સર્વપક્ષીય બેઠકનું આયોજન

ભારતીય સંસદનું શિયાળુ સત્ર સોમવાર, 1 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. સત્રના સુચારુ સંચાલન માટે, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરન રિજિજુએ જાહેરાત કરી છે કે રવિવાર, 30 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજવામાં આવશે. કિરન રિજિજુએ જણાવ્યું, “રવિવારે એક સર્વપક્ષીય બેઠક થશે, અને અમે ત્યાં દરેકને સાંભળીશું.” તેમણે ઉમેર્યું કે, સભ્યોને સંસદીય શિષ્ટાચાર સંબંધિત બુલેટિન વિશે અગાઉથી માહિતગાર કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સરકાર લોકસભા અને રાજ્યસભાના સુવ્યવસ્થિત સંચાલન માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગશે. શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે. ‘વંદે માતરમ’ અને 10 મહત્વપૂર્ણ બિલો – સરકાર શિયાળુ સત્ર દરમિયાન અનેક મહત્વપૂર્ણ કાયદાઓ પર ચર્ચા અને પસાર કરવાની યોજના ધરાવે છે. – સત્રની શરૂઆત ‘વંદે માતરમ’ પર આખા દિવસની ચર્ચા સાથે કરવાની યોજના…

ફિન નિફ્ટી ટ્રેડિંગમાં NSEનો મોટો નિર્ણય, જથ્થાબંધ ફ્રીઝ મર્યાદામાં ઘટાડો

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ફ્યુચર્સ અને ઓપ્શન્સ (F&O) બજારમાં બજારની સ્થિરતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ડિસેમ્બર 1, 2025 થી અમલમાં આવતી સુધારણા હેઠળ, ફિન નિફ્ટી કોન્ટ્રાક્ટ્સ માટેની ક્વોન્ટિટી ફ્રીઝ મર્યાદા ઘટાડીને 1200 કોન્ટ્રાક્ટ્સ કરવામાં આવી છે, જે અગાઉ 1800 કોન્ટ્રાક્ટ્સ હતી. ક્વોન્ટિટી ફ્રીઝ મર્યાદા શું છે? ક્વોન્ટિટી ફ્રીઝ મર્યાદા બજારમાં સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. F&O ટ્રેડિંગ દરમિયાન, કોઈ ભૂલ અથવા “ફેટ ફિંગર ટ્રેડ”ના કારણે મોટા ઓર્ડર મૂકી દેવામાં આવે તો તે બજારની સ્થિરતામાં વિક્ષેપ પેદા કરી શકે છે. NSE આ જોખમ રોકવા માટે નક્કી કરે છે કે એક જ સમયે દરેક કરાર પર કોઈ વેપારી કેટલી મહત્તમ રકમ મૂકી શકે છે. મર્યાદા કરતાં વધુ ઓર્ડર મૂકાય તો સિસ્ટમ…

ભારત-અમેરિકા ડીલ: નેવી માટે 7,995 કરોડના MH-60R ‘સીહોક’ હેલિકોપ્ટર સપોર્ટ કરાર પર હસ્તાક્ષર

અમેરિકા પર 50% ટેરિફ લાગ્યા હોવા છતાં, ભારત-અમેરિકા સંબંધો નવા મજબૂત સ્તરે પહોંચ્યા છે. શુક્રવારે બંને દેશોએ ભારતીય નૌકાદળના MH-60R ‘સીહોક’ હેલિકોપ્ટર કાફલાના જાળવણી માટે ₹7,995 કરોડના મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ડીલ નૌકાદળની કાર્યકારી ક્ષમતામાં વધારો કરશે અને વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવશે. MH-60R હેલીકોપ્ટર માટે મહત્વપૂર્ણ વિગતો – આ કરારમાં પાંચ વર્ષનું ફોલો-ઓન સપોર્ટ અને સપ્લાય શામેલ છે. – 2020માં 24 MH-60R હેલિકોપ્ટર યુનિટ ફોરેન મિલિટરી સેલ્સ (FMS) હેઠળ ખરીદાયા હતા, જેમાંથી 15 યુનિટ નૌકાદળમાં સામેલ છે. – હેલિકોપ્ટર લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવે છે અને એન્ટિ-સબમરીન યુદ્ધ સહિત વિવિધ આધુનિક લશ્કરી ભૂમિકાઓ માટે જાણીતા છે. ત્રીજી સૌથી મોટી સંરક્ષણ ડીલ અલબત્ત, યુએસ DSCA દ્વારા મંજૂર અન્ય મહત્વપૂર્ણ સોદા: – એક્સકેલિબર ચોકસાઇ માર્ગદર્શિત…

રાશિફળ/30 નવેમ્બર 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. આ રાશિ ના અમુક લોકો ને પોતાના સંતાન થી આર્થિક લાભ થવા ની શક્યતા છે. આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો…

અંક જ્યોતિષ/30 નવેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…