પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 90 વર્ષની વયે અવસાન, રાજકીય આલમમાં શોક
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું શુક્રવારે વહેલી સવારે લાતુર ખાતે 90 વર્ષની વયે અવસાન થયું. લાંબા સમયથી બીમાર હોવાના કારણે તેઓ ઘરે જ સારવાર હેઠળ હતા. સવારે લગભગ 6:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. લાંબી અને સન્માનનીય રાજકીય સફર શિવરાજ પાટિલ ભારતીય રાજકારણમાં એક શાંત, સંયમિત અને સિદ્ધાંતોને અગત્ય આપતા નેતા તરીકે જાણીતા હતા. તેમના રાજકીય જીવનના મુખ્ય તબક્કાઓ: – લાતુર લોકસભા બેઠકથી 7 વખત ચૂંટાયેલા – 1991–1996 : લોકસભાના અધ્યક્ષ – આ સમયગાળા દરમિયાન લોકસભાનું આધુનિકીકરણ, કોમ્પ્યુટરાઇઝેશન, અને કાર્યવાહીનું લાઇવ પ્રસારણ શરૂ થયું – 2004–2008 : કેન્દ્રીય ગૃહમંત્રી – 26/11 મુંબઈ આતંકી હુમલા બાદ નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું – 2010–2015 : પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક વ્યક્તિગત જીવન અને શરૂઆત –…
ગુજરાતમાં ઠંડી ચમકારો યથાવત: નલિયામાં આ સિઝનનું સૌથી નીચું 9°C તાપમાન
રાજ્યમાં ઠંડીનો તીવ્ર ચમકારો યથાવત રહ્યો છે. આ સિઝનમાં પ્રથમ વખત નલિયામાં તાપમાન 9°C નોંધાયું છે, જે અત્યાર સુધીનું સૌથી નીચું છે. અનેક શહેરોમાં તાપમાન 12–15°C ની વચ્ચે રહેતાં લોકો સવાર-સાંજ ઠંડીનો મોટો અહેસાસ કરી રહ્યા છે. વિભિન્ન શહેરોમાં નોંધાયેલ તાપમાન (°C) – નલિયા: 9 – અમરેલી: 11.44 – કંડલા એરપોર્ટ: 11.7 – વડોદરા: 12 – રાજકોટ: 12.5 – ડીસા: 12.7 – મહુવા: 12.7 – કેશોદ: 12.3 – અમદાવાદ: 13.4 – ગાંધીનગર: 13 – વિદ્યાનગર: 14.4 – ભુજ: 14.6 – ભાવનગર: 14.6 – સુરેન્દ્રનગર: 14.2 – દીવ: 14.8 હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગ મુજબ— – રાજ્યમાં ઉત્તર-પૂર્વનાં ઠંડા પવનોના કારણે સવારમાં ઠંડી વધુ અનુભવાશે. – આ સ્થિતિ 14 ડિસેમ્બર સુધી યથાવત રહેવાની શક્યતા. – પવનની ગતિ…
દિલ્હીમાં 13–14 ડિસેમ્બરે આતંકી હુમલાનો અલર્ટ, સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશભરમાં સુરક્ષા એજન્સીઓને 13 અને 14 ડિસેમ્બર માટે હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. ગુપ્તચર સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ બંને દિવસોમાં આતંકવાદી હુમલાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શા માટે 13 અને 14 ડિસેમ્બર મહત્વપૂર્ણ? – 13 ડિસેમ્બર — સંસદ પર હુમલાની વર્ષગાંઠ 2001 ના સંસદ હુમલાની વર્ષગાંઠ હોવાથી સુરક્ષા એજન્સીઓ દર વર્ષે સતર્ક રહે છે. – 14 ડિસેમ્બર — યહૂદીઓનો હનુક્કાહ તહેવાર દિલ્હી સહિત દેશમાં આઠ દિવસીય હનુક્કાહ કાર્યક્રમો યોજાવાના હોવાથી સતર્કતા વધારવામાં આવી છે. લાલ કિલ્લા વિસ્ફોટ પછી સુરક્ષા વધુ કડક 10 નવેમ્બરને લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ એલર્ટ પર હતી. હવે મળેલી નવી ઈનપુટ્સ પછી સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. પન્નુની…
IND vs SA 2nd T20I: ભારતની 51 રનથી હાર, તિલક વર્માની ફિફ્ટી કામ ન આવી
દક્ષિણ આફ્રિકાએ બીજી ટી20Iમાં ભારતને 51 રનથી હરાવી પાંચ મેચની શ્રેણીમાં 1-1થી સમતુલ્ય કરી દીધું છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને 20 ઓવરમાં 4 વિકેટ માટે 213 રન બનાવ્યા. ક્વિન્ટન ડી કોકનો શાનદાર પ્રદર્શન ક્વિન્ટન ડી કોકે 46 બોલમાં 90 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગા શામેલ હતા. અંતિમ ઓવરોમાં ડેવિડ મિલર અને ડોનોવન ફેરેરાએ 5મી વિકેટ માટે 50 રનની ભાગીદારી કરી, જેનાથી દક્ષિણ આફ્રિકાનો સ્કોર 200ના પાર પહોંચી ગયો. ભારતની બેટિંગ ફેલયર જવાબમાં ભારત 19.1 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગયું. તિલક વર્માની ફિફ્ટી તેમજ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલની મહેનત કામ ન આવી. ભારતીય બોલિંગમાં વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ જ…
દમણમાં તળાવમાં ડૂબ્યા 3 કિશોર, એકનું મોત; 2ની શોધખોળ ચાલુ
દમણના ડાભેલ ગામમાં આવેલા તળાવમાં તળાવમાં ન્હાવા પડેલા 3 કિશોરો ડૂબી ગયા, જેમાંથી એક કિશોરનું મોત થયું છે અને બાકીના બે કિશોરોની શોધખોળ હાલમાં ચાલી રહી છે. ઘટના અને બચાવ કામગીરી જાણકારી મળતા ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને તરત જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. દમણ પ્રશાસન દ્વારા પણ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. તળાવમાં ન્હાવા પડેલા કિશોરો પ્રાપ્ત માહિતી અનુસાર, તળાવમાં કુલ 7 કિશોરો ન્હાવા પડ્યા હતા, જેમાંથી 3 ડૂબ્યા અને એકનું દુર્ઘટનાગ્રસ્ત મોત થઈ ગયું છે. ગામમાં પ્રતિક્રિયા આ દુઃખદ ઘટના પછી ગ્રામજનોમાં ભારે શોક પ્રસરી ગયો અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા. બચાવ ટીમો બાકીના બે કિશોરોને શોધવા માટે તળાવની તપાસ ચાલુ રાખી છે. Follow us…
PM મોદી 15 થી 18 ડિસેમ્બરે લેશે 3 દેશોની મુલાકાત, પહેલીવાર ઇથોપિયાની કરશે મુલાકાત
PM નરેન્દ્ર મોદી 15 થી 18 ડિસેમ્બર, 2025 દરમિયાન ત્રણ દેશોમાં મહત્વપૂર્ણ રાજદ્વારી મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે બુધવારે સત્તાવાર જાહેરાત કરી હતી કે પીએમ મોદી જોર્ડન, ઇથોપિયા અને ઓમાનની મુલાકાત લેશે. જોર્ડન (15–16 ડિસેમ્બર) – પ્રવાસના પહેલા તબક્કામાં પીએમ મોદી જોર્ડનના રાજા અબ્દુલ્લા બીજાના આમંત્રણ પર 15 અને 16 ડિસેમ્બરે જોર્ડન જશે. – તેમણે રાજા અબ્દુલ્લા બીજાને મળીને બંને દેશો વચ્ચેના સંપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે. – આ મુલાકાત ભારત-જોર્ડન રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે થઇ રહી છે. – બંને દેશો સહયોગના નવા માર્ગો, ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોમાં પ્રતિબદ્ધ રહેશે. ઇથોપિયા (16–17 ડિસેમ્બર) – પ્રવાસના બીજા તબક્કામાં પીએમ મોદી ઇથોપિયાના વડા પ્રધાન ડૉ. અબીય અહેમદ અલીના આમંત્રણ પર ઈથોપિયાની…
રાશિફળ/12 ડિસેમ્બર 2025: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ હાલની ઘટનાઓને કારણે તમારૂં મગજ ખલેલ પામ્યું છે. આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ધ્યાન તથા યોગ લાભકારક સાબિત થશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. દૂરનાં કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર તમારો દિવસ ઝળહળતો કરી મુકશે. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં. અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે. લકી સંખ્યા: 1…
અંક જ્યોતિષ/12 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
બાંગ્લાદેશમાં 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026 ના રોજ, આવામી લીગ પર પ્રતિબંધ
બાંગ્લાદેશની 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે. આ વખતે શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પર પ્રતિબંધ લાગવાના કારણે તે ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. ચૂંટણીના દિવસે જ જનમત સંગ્રહ (referendum) પણ હાથ ધરવામાં આવશે. મતદાન સવારે 7:30 કલાકથી સાંજના 4:30 કલાક સુધી ચાલશે. આ વખતે મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે, કારણ કે એ જ દિવસે જનમત સંગ્રહ પણ થવાનો છે. ચૂંટણી શેડ્યૂલ 29 ડિસેમ્બર 2025: ઉમેદવારી પત્રો દાખલ કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર – 4 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રોની તપાસ 4 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રોની નિયુક્તિ 18 જાન્યુઆરી 2026: અપીલ પ્રક્રિયા 20 જાન્યુઆરી 2026: ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી 2026: ચૂંટણી પંચ ચિહ્ન ફાળવે 12 ફેબ્રુઆરી 2026: મતદાન અને…
















