આજે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ: અડાલજ ત્રિમંદિરમાં પૂજા-અર્ચના કરી ભક્તિભાવ સાથે ઉજવણી.”
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ: અડાલજ ત્રિમંદિરમાં શીશ ઝુકાવી રાજ્યના કલ્યાણ માટે કરી પ્રાર્થના ગાંધીનગર: ગુજરાતના લોકપ્રિય અને ‘મૃદુ અને મક્કમ’ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ દિવસની શરૂઆત તેમણે ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણમાં કરી હતી. સવારના પહોરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ સ્થિત ત્રિમંદિર પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. દાદા ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવ્યું જન્મદિવસના પવિત્ર અવસરે મુખ્યમંત્રીએ ત્રિમંદિરમાં સિમંધર સ્વામીના આશીર્વાદ લીધા હતા. દાદા ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને તેમણે આજના દિવસની શરૂઆત કરી હતી. આ દરમિયાન મંદિરના શાંત અને ભક્તિભાવપૂર્ણ માહોલમાં મુખ્યમંત્રીએ રાજ્યના સર્વાંગી વિકાસ અને નાગરિકોના કલ્યાણ માટે વિશેષ પ્રાર્થના કરી હતી. આશીર્વાદ સાથે સેવાની ભાવના ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રીએ દાદા ફાઉન્ડેશનના વડા દીપકભાઈના આશીર્વાદ પણ મેળવ્યા હતા. આધ્યાત્મિક આસ્થા સાથે…







