SURAT : વડાપ્રધાન મોદી ફરીથી આવશે ગુજરાત, સુરત અને નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં આપશે હાજરી
વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 7 અને 8 માર્ચે ગુજરાતમાં રહેશે. પીએમ મોદી 7 માર્ચે સુરત પહોંચશે. ત્યાં તેઓ લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજર રહેશે. પ્રધાનમંત્રી ૮ માર્ચે નવસારીમાં રહેશે. સુરત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી સરકારી યોજનાના લાભાર્થી વૃદ્ધોને કીટનું વિતરણ કરશે. ૭ માર્ચની રાત્રે તેઓ સુરતના સર્કિટ હાઉસ ખાતે આરામ કરશે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક ત્યારબાદ, 8 માર્ચે,વડાપ્રધાન મોદી નવસારી પહોંચશે અને વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી સુરત અને નવસારી બંને જગ્યાએ વિશાળ જાહેર સભા સંબોધશે. વડાપ્રધાન મોદી 8 માર્ચે નવસારીથી દિલ્હી જવા…







