ક્યારે ખુલશે કેદારનાથ-બદ્રીનાથ ધામના કપાટ, જાણો ચાર ધામ યાત્રાની કેવી છે તૈયારીઓ

ઉત્તરાખંડમાં આ વર્ષની ચારધામ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ની ટીમ શુક્રવારે કેદારનાથ ધામ પહોંચી હતી. સમિતિના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, કેદારનાથ મંદિરના દરવાજા 2 મેના રોજ ભક્તો માટે ખોલવામાં આવશે અને બદ્રીનાથ મંદિરના દરવાજા 4 મેના રોજ ભક્તો માટે ખોલવામાં આવશે. BKTCC દ્વારા જારી કરાયેલી સત્તાવાર માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે શ્રી મદ્મહેશ્વર મંદિર (બીજા કેદાર) ના દરવાજા 21 મે ના રોજ ખોલવામાં આવશે. જ્યારે શ્રી તુંગનાથ મંદિર (ત્રીજો કેદાર) પણ 2 મેના રોજ ભક્તો માટે ફરીથી ખોલવામાં આવશે. શ્રી ઓમકારેશ્વર મંદિરમાં કપાટ તિથિ સંદર્ભે બેઠક યોજાઈ BKTCC ના મુખ્ય કાર્યકારી અધિકારી વિજય પ્રસાદ થાપલિયાલે તાજેતરમાં શ્રી મદમહેશ્વર મંદિરના ઉદઘાટન તારીખ અંગે ઉખીમઠ સ્થિત શ્રી ઓમકારેશ્વર મંદિર ખાતે એક બેઠક યોજી…