પાકિસ્તાનમાં ફરી રાજકીય સંકટના સંકેત? મોહસીન નકવીના નિવેદનોથી વધ્યો સત્તા પરિવર્તનનો ચર્ચા
પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય હલચલ તેજ બની છે. ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીના તાજેતરના નિવેદનો બાદ દેશમાં સત્તા પરિવર્તન અને રાજકીય સમીકરણોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નકવીએ દેશની વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવતા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. નકવીના આ નિવેદનો બાદ પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું આ માત્ર ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો ભાગ છે કે પછી દેશની સત્તા વ્યવસ્થામાં કોઈ મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાનમાં નકવીએ સરકાર અને સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ પાકિસ્તાન આર્થિક સમિટ દરમિયાન ગૃહમંત્રી મોહસીન નકવીએ દેશની હાલની વહીવટી વ્યવસ્થા અંગે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની જૂની શાસન પદ્ધતિમાં અનેક ખામીઓ છે અને તેને…
BLF એ પાકિસ્તાની સેના પર કર્યા હુમલા, 10 સૈનિકોના થયા મોત
પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાનમાંથી મોટા સમાચાર આવ્યા છે. બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) એ દાવો કર્યો છે કે તેણે અનેક હુમલાઓમાં 10 પાકિસ્તાની સૈન્ય સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે . BLF એ સોમવારે જણાવ્યું હતું કે તેના લડવૈયાઓએ ઝાઓ, બરખાન, તુમ્પ અને તુર્બતમાં અનેક હુમલા કર્યા હતા, જેમાં પાકિસ્તાની સૈન્યના 10 સભ્યો માર્યા ગયા હતા. આ હુમલાઓ બલુચ સશસ્ત્ર ગ્રુપે ઓછામાં ઓછા 15 સૈનિકોના મોતની જવાબદારી સ્વીકાર્યાના એક દિવસ કરતાં પણ ઓછા સમયમાં થયા છે. BLF પ્રવક્તા મેજર ગોહરામ બલોચે જણાવ્યું હતું કે જૂથના લડવૈયાઓએ 28 ડિસેમ્બરના રોજ બપોરે 1 વાગ્યે અવારન જિલ્લાના ઝાઓ વિસ્તારમાં પાકિસ્તાની લશ્કરી કાફલા પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલો એક જ સ્થળે સ્થિત સેનાના પગપાળા પેટ્રોલિંગ, બોમ્બ ડિસ્પોઝલ યુનિટ અને…
પાકિસ્તાનના જનરલ અસીમ મુનીરને કાશ્મીર મામલે ભારતે આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર દ્વારા કાશ્મીર અને બે રાષ્ટ્ર સિદ્ધાંત અંગે આપવામાં આવેલા નિવેદન પર ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) ભારતનો અભિન્ન ભાગ છે અને પાકિસ્તાને તેને કોઈપણ કિંમતે ખાલી કરવું પડશે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે કાશ્મીર ભારતનો એક ભાગ છે અને પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે. તેમણે જનરલ મુનીરના દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત પરના નિવેદનને નકારી કાઢ્યું અને કહ્યું કે આ સિદ્ધાંત 1971 માં બાંગ્લાદેશની સ્વતંત્રતા સાથે સમાપ્ત થઈ ગયો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન ગમે તેટલા નિવેદનો આપે, તે વાસ્તવિકતા બદલી શકતું નથી કે જમ્મુ અને કાશ્મીર ભારતનો ભાગ હતો, છે અને હંમેશા રહેશે. મુનિરે શું કહ્યું હતું જનરલ અસીમ…
પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર ભારત વિરોધી નિવેદનબાજીમાં વ્યસ્ત, નાગરિકોને અપીલ – તમારી વાર્તા ભૂલશો નહીં
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર ફરી એકવાર પોતાના ભારત વિરોધી નિવેદનોને કારણે ચર્ચામાં છે. ઇસ્લામાબાદમાં વિદેશી પાકિસ્તાનીઓના એક સંમેલનને સંબોધિત કરતી વખતે, તેમણે ‘દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત’નો ઉલ્લેખ કર્યો અને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. આ વીડિયો વાયરલ થતાં જ પાકિસ્તાનના ઈરાદાઓ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. ભારત અને પાકિસ્તાનને અલગ અલગ સભ્યતાઓ તરીકે વર્ણવ્યા:- મુનીરે પોતાના સંબોધનમાં ભાર મૂક્યો કે પાકિસ્તાન અને ભારત બે અલગ અલગ દેશો છે, જેમના વિચાર, પરંપરાઓ, સંસ્કૃતિ અને ધર્મ અલગ છે. તેમણે કહ્યું, “આપણા પૂર્વજો માનતા હતા કે આપણે દરેક બાબતમાં હિન્દુઓથી અલગ છીએ – ધર્મ, રિવાજો, પરંપરા, વિચાર અને આકાંક્ષાઓ. આ બે રાષ્ટ્ર સિદ્ધાંતનો પાયો હતો, અને આ માન્યતાના આધારે પાકિસ્તાનનું નિર્માણ થયું હતું.” પાકિસ્તાની નાગરિકોને અપીલ:…










