વાવાઝોડું ‘નારા’નો કહેર: 972 ગામો પ્રભાવિત, 1.87 લાખ લોકો મુશ્કેલીમાં

ટોંકિનની ખાડીમાં સક્રિય થયેલું ‘નારા’ નામનું ચક્રવાતી વાવાઝોડું દક્ષિણ-પૂર્વ એશિયાના અનેક દેશો માટે ગંભીર ખતરો બની રહ્યું છે. વાવાઝોડા સાથે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પણ મજબૂત બનતાં લાઓસ, વિયેતનામ, મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. હવામાન નિષ્ણાતોએ આગામી 48 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરી છે. વિયેતનામના કિનારા નજીક પહોંચ્યું ‘નારા’ હાલમાં ‘નારા’ ટોંકિનની ખાડીમાં વિયેતનામના ઉત્તરીય કિનારાની નજીક સક્રિય છે. વાવાઝોડાનું કેન્દ્ર બેક લોન્ગ વી વિશેષ આર્થિક ક્ષેત્રની ઉત્તરે હોવાનું જણાવવામાં આવ્યું છે. આ વિસ્તાર ક્વાંગ નિન્હથી આશરે 135 કિલોમીટર અને હાઇ ફોંગથી લગભગ 140 કિલોમીટર પૂર્વમાં છે. વાવાઝોડામાં પવનની ઝડપ 62થી 88 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી રહી છે. તેની સાથે દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન અને…

પાકિસ્તાનમાં ફરી રાજકીય સંકટના સંકેત? મોહસીન નકવીના નિવેદનોથી વધ્યો સત્તા પરિવર્તનનો ચર્ચા

પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય હલચલ તેજ બની છે. ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીના તાજેતરના નિવેદનો બાદ દેશમાં સત્તા પરિવર્તન અને રાજકીય સમીકરણોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નકવીએ દેશની વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવતા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. નકવીના આ નિવેદનો બાદ પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું આ માત્ર ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો ભાગ છે કે પછી દેશની સત્તા વ્યવસ્થામાં કોઈ મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાનમાં નકવીએ સરકાર અને સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ પાકિસ્તાન આર્થિક સમિટ દરમિયાન ગૃહમંત્રી મોહસીન નકવીએ દેશની હાલની વહીવટી વ્યવસ્થા અંગે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની જૂની શાસન પદ્ધતિમાં અનેક ખામીઓ છે અને તેને…