31 માર્ચ 2026 પહેલા નક્સલવાદનો અંત લાવવા કટિબદ્ધ છીએ, સુકમામાં 16 નક્સલીઓના મોત બાદ બોલ્યા અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર જાહેરાત કરી છે કે 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો નાશ કરવામાં આવશે. તેમણે નક્સલીઓને હિંસાનો માર્ગ છોડીને શાંતિ અને વિકાસનો માર્ગ પસંદ કરવાની પણ અપીલ કરી છે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં 16 નક્સલીઓના મોત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને 31 માર્ચ, 2026 પહેલા નક્સલવાદનો અંત લાવવાના સરકારના સંકલ્પનો ભાગ ગણાવ્યો. આ પણ વાંચો :- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને ગણાવ્યા ખુબજ ‘સ્માર્ટ’ વ્યક્તિ, ગણાવ્યા નિકટના મિત્ર અમિત શાહે ટ્વિટ કર્યું :- સુકમામાં સુરક્ષા એજન્સીઓના ઓપરેશન વિશે માહિતી આપતા ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, “નક્સલવાદને વધુ એક ફટકો! આપણી સુરક્ષા એજન્સીઓએ સુકમામાં એક ઓપરેશનમાં 16 નક્સલીઓને મારી નાખ્યા છે અને ઓટોમેટિક હથિયારોનો…







