કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ હાલમાં ભારતની મુલાકાતે છે. તેમણે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે તેમની ભારત મુલાકાત દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેનેડાના વિદેશ મંત્રી સાથેની તેમની મુલાકાતની તસવીરો શેર કરી છે. તસવીરો શેર કરતી વખતે પીએમ મોદીએ લખ્યું, “કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદનું સ્વાગત છે. પરસ્પર વિકાસ અને સમૃદ્ધિ માટે વેપાર, ટેકનોલોજી, ઉર્જા, કૃષિ અને લોકો-થી-લોકોના આદાનપ્રદાનમાં સહયોગને મજબૂત કરવાના પગલાંઓ પર ચર્ચા કરી.” પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “વડાપ્રધાનએ કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદનું સ્વાગત કર્યું અને કહ્યું કે તેમની મુલાકાત ભારત-કેનેડા દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપવાના ચાલુ પ્રયાસોમાં ફાળો…

કેનેડાના આગામી વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના અનિતા આનંદની મજબૂત દાવેદારી

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ તેમના અનુગામીને લઇને રાજકીય વર્તુળોમાં હલચલ વધુ તેજ બની છે. કેનેડાના આગામી વડાપ્રધાનની રેસમાં અનિતા આનંદ, ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને માર્ક કાર્ને જેવા અગ્રણી નામો ઉભરી રહ્યા છે. આ પૈકી, ભારતીય મૂળના નેતા અનિતા આનંદને તેમના અસરકારક શાસન અને જાહેર સેવાના સારા રેકોર્ડને કારણે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. જો અનિતા આનંદ કેનેડાના પીએમ બને છે, તો એવી આશા રાખી શકાય છે કે ભારત સાથે કેનેડાના સંબંધો ફરી સારા બની શકે છે, જે ટ્રુડોના સમયમાં સૌથી નીચા સ્તરે આવ્યા હતા. કેનેડામાં ભારતીય મૂળના લોકોની નોંધપાત્ર સંખ્યા છે. આ કારણથી ભારતીય મૂળની વ્યક્તિનું પીએમ બનવું ભારત માટે સારા સંકેત આપી શકે છે. આ પહેલા ટ્રુડોના શાસનકાળ દરમિયાન ભારત પર હરદીપ…