એરબસે અચાનક 6,000 વિમાન પાછા ખેંચ્યા, ભારતમાં પણ ફ્લાઇટ્સ પર પડી ગંભીર અસર ; જાણો શું છે મામલો
વિશ્વની સૌથી મોટી વિમાન ઉત્પાદકોમાંની એક, યુરોપિયન જાયન્ટ એરબસે તેના A320-સીરિઝના 6,000 વિમાનોને પાછા બોલાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે એક ગંભીર સોફ્ટવેર સમસ્યા મળી આવી છે જે ફ્લાઇટ નિયંત્રણ જેવી સિસ્ટમોને અસર કરી શકે છે. આ પગલાથી ભારત સહિત વિશ્વભરની એરલાઇન્સ માટે ફ્લાઇટમાં વિલંબ અને રદ થવાની શક્યતા વધી ગઈ છે. એરબસના જણાવ્યા અનુસાર, તાજેતરમાં A320- વિમાન સાથે થયેલા અકસ્માતમાં જાણવા મળ્યું છે કે અવકાશમાંથી નીકળતા તીવ્ર સૌર રેડીશન ફ્લાઇટ નિયંત્રણ ડેટાને અસર કરી શકે છે. આ સમસ્યા વિમાનની ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ખામી સર્જી શકે છે, જે ફ્લાઇટ કામગીરીને જોખમમાં મૂકી શકે છે. 30 ઓક્ટોબરના રોજ મેક્સિકોથી યુનાઇટેડ સ્ટેટ્સ જતી એક વિમાને ફ્લોરિડાના ટેમ્પામાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ આ સમસ્યા શોધી કાઢવામાં આવી…







