અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ન્યાયિક તપાસની માંગ, મૃતક પાઇલટના પિતાએ કરી સુપ્રીમ કોર્ટમાં અરજી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને પાઇલટ સુમિત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકારી તપાસ અહેવાલ ખોટો છે અને તેમના પુત્રને અકસ્માત માટે ખોટી રીતે દોષી ઠેરવવામાં આવ્યો છે. તેમણે હવે માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટ અકસ્માતની નવી ન્યાયિક દેખરેખ હેઠળ તપાસનો આદેશ આપે. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 229 મુસાફરો, 12 ક્રૂ સભ્યો અને જમીન પર 12 લોકોના મોત થયા હતા. પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં જાણો શું કહેવાયું અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સરકારી તપાસ પક્ષપાતી અને…