દ્વિપક્ષીય બેઠકમાં PM મોદીએ મલેશિયાને આપ્યો સ્પષ્ટ સંકેત, જાણો વિગત
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે યોજાયેલી દ્વિપક્ષીય બેઠક દરમિયાન આતંકવાદ સામે કડક વલણ વ્યક્ત કર્યું હતું. સંયુક્ત પ્રેસ નિવેદનમાં પીએમ મોદીએ જણાવ્યું કે ભારત અને મલેશિયા વિશ્વાસ અને ભાગીદારીના આધારે પોતાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. સુરક્ષા ક્ષેત્રે બંને દેશો આતંકવાદ સામે સંયુક્ત રીતે લડત આપવા, ગુપ્તચર માહિતીની આપ-લે વધારવા અને દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સાથે જ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે તે માટે સંરક્ષણ સહયોગને વધુ વિસ્તૃત કરવાની પણ વાત કરી. ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને મલેશિયા કૃત્રિમ બુદ્ધિ (AI), ડિજિટલ ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર જેવા અદ્યતન ક્ષેત્રોમાં સહયોગ વધારશે. ઉપરાંત, આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા…







