Gandhinagar : ગાંધીનગરમાં મંદિરો તોડી પડવા નોટિસ આપતા વિરોધનો વંટોળ, હિંદુ સંગઠનોની આંદોલનની ચિમકી ઉચ્ચારી
ગાંધીનગરમાં મંદિરો તોડવા નોટિસ પાઠવતા વિરોધ કરવામાં આવી રહ્યો છે હિન્દુ સંગઠનમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમા આવતા મંદિરો તોડવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવી છે. ગાંધીનગરમાં મંદિરોને નોટિસ મળી તેમના ટ્રસ્ટી મંડળ હોદેદારો એકઠા થઇને બેઠકનો ધમધમાટ શરૂ કર્યો છે. આ પણ વાંચો :- Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે ગાંધીનગર મંદિરોને નોટિસ મળી છે. તમામ ટ્રસ્ટી મંડળ તેમજ હિન્દુ સંગઠનો કાર્યકરો સાથે આજે ગાંધીનગર કલેકટરને આવેદન પાઠવવામાં આવશે. જે મંદિરોને નોટિસ મળી તેને પરત ખેંચવા અંગે રજૂઆત કરવામાં આવશે. મંદીરો તોડવા મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવાતા વિવાદ વકર્યો છે. 27 મંદીરોને તોડવાની નોટિસ સામે વિરોધના વંટોળ ફૂંકાઇ રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ 27 મંદિરો દૂર કરવા નોટીસ…
Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી
રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો છે. ત્યારે રાજકોટમાં રઘુવંશી સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રઘુવંશી સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી. રઘુવંશી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર જઈને માફી માગે, જો માફી નહીં માંગવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવાની ચિમકી સમાજ દ્વારા આપવામાં આવી છે. આ પણ વાંચો :- Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટને લઈને બે દિવસ વીરપુર રહેશે સજ્જડ બંધ, ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય આજે જ્ઞાનપ્રકાશ સ્વામીના વિરોધમાં રઘુવંશી સમાજના લોકો સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જ્ઞાનપ્રસાદ સ્વામીનું પૂતળુ બનાવીને વિરોધ કર્યો હતો. જેમાં રઘુવંશી સમાજની મહિલાઓ પણ વિરોધમાં જોડાઈ હતી. ત્યારે પોલીસે વિરોધ કરનાર રઘુવંશી સમાજના…








