સુરેન્દ્રનગર: DGPએ લીંબડી પોલીસ સ્ટેશનના 5 પોલીસકર્મીઓ સામે લીધા તાત્કાલિક પગલાં

ગુજરાત પોલીસના શિસ્ત અને કાયદાનું પાલન કરાવવાના ધોરણ સામે આજે મોટો સવાલ ઉભો થયો છે. લીંબડી પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓને ગુનેગારો અને જુગારના આરોપીઓ સાથે સાંઠગાંઠ રાખવાના ગંભીર આક્ષેપો સામે તપાસ બાદ બરતરફ કરવામાં આવ્યા છે. આ નિર્ણય ગુજરાત રાજ્યના DGPની સીધી સુચના પરથી લેવામાં આવ્યો છે.

જુગારના માફિયાઓ સાથે હતી સાંઠગાંઠ
તપાસમાં ખુલ્યું હતું કે, લીંબડીના કેટલાક પોલીસ કર્મીઓ જુગારના આરોપી નવદીપ સિંહ અને તનવીર સિંહ જેવા અસામાજિક તત્વો સાથે સંપર્કમાં હતા અને સંરક્ષણ આપતા હતા. આ સંબંધો પોલીસની નૈતિકતા અને શિસ્તના ઘોર ઉલ્લંઘન સમાન ગણાયા છે.

બરતરફ કરાયેલા પોલીસકર્મીઓના નામ:
– પો.કો. વિજયસિંહ દિલીપસિંહ ઝાલા (ડ્રાયવર)
– પો.કો. અજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ડ્રાયવર)
– આર્મડ પો.કો. મયુરધ્વજસિંહ નરવીરસિંહ ઝાલા
– અ.હે.કો. દિગપાલસિંહ લાલુભા સરવૈયા
– એ.એસ.આઈ. પુષ્પરાજ મુકેશભાઇ ધાંધલ

DGP દ્વારા કડક કાર્યવાહી
ગાંધીનગર સ્થિત DGP મુખ્યાલયે તપાસની પ્રક્રિયા હાથ ધર્યા બાદ આ તમામ અધિકારીઓ સામે સાંઠગાંઠના પુરાવા મળ્યા, અને તેમના નૈતિક પતન અને ફરજ પર ફરજદારીના ભંગને ધ્યાને લઈ તાત્કાલિક બરતરફીનો આદેશ આપ્યો.

આ નિર્ણય ગુજરાત પોલીસના લાઈન ઓફ કન્ડક્ટને જાળવવા માટે લેવાયેલું મહત્વપૂર્ણ પગલું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને ખાણી માફિયાઓ અને જુગારના ઢાંઢેરા ચલાવનારા તત્વો સામે પોલીસની સહભાગિતાના અનેક આરોપો પહેલાંથી ઉઠતા રહેતા હતા, જેને લઈને સામાન્ય જનતામાં નિરાશા હતી.

આ ઘટના ગુજરાત પોલીસ માટે એક ચેતવણીરૂપ બનાવ છે. જ્યારે પોલીસ જ અસામાજિક તત્વો સાથે સાંઠગાંઠ કરે ત્યારે ન્યાય અને કાયદાની કસોટી ક્યાં ઊભી રહી શકે? DGPએ આ મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ભવિષ્યમાં આવા ગુનાખોર મનોવૃત્તિ ધરાવતા પોલીસકર્મીઓ માટે કોઈ જગ્યા નહીં હોય.

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કમોસમી વરસાદમાં થયેલા પાક નુકશાન સામે જાણો અત્યાર સુધીમાં રાજ્યના કેટલા ખેડૂતોને મળી સહાય, આંકડા આવ્યા સામે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *