ફરજિયાત સર્વિસ ચાર્જ પર કડક કાર્યવાહી: CCPA ૨૭ રેસ્ટોરન્ટ્સ પર દંડ

દેશભરના હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકો પાસેથી ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલતી હોવાનું જાણવા મળતા *સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)*એ કડક પગલાં લીધાં છે. સ્વયં સજાગ (Suo Motu) કાર્યવાહી હેઠળ CCPA એ ૨૭ રેસ્ટોરન્ટ્સ પર ₹૩૦,૦૦૦ થી ₹૫૦,૦૦૦ સુધીનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, જેણે ફરજિયાત રીતે વસૂલવામાં આવી રકમને ગ્રાહકોને પરત કરવાની પણ આદેશ આપી છે.

ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન:
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા રેસ્ટોરન્ટ્સ બિલમાં ડિફોલ્ટ ૧૦% સર્વિસ ચાર્જ ઉમેરતા હતા. CCPA મુજબ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ની કલમ ૨(૪૭) અંતર્ગત આ પ્રકારની ફરજિયાત વસૂલાત ‘અન્યાયી ટ્રેડ પ્રેક્ટિસ’ ગણાય છે.

ઉદાહરણ:
– પટનાનો ‘કેફે બ્લુ બોટલ’ – ₹30,000 દંડ
– મુંબઈનો ‘ચાઇના ગેટ (બોરા બોરા)’ – ₹50,000 દંડ

હાઈકોર્ટના ચુકાદા અને ગાઈડલાઈન્સ:
– માર્ચ 2025: દિલ્હી હાઈકોર્ટે CCPAની ગાઈડલાઈન્સ યોગ્ય ઠેરવી રેસ્ટોરન્ટ્સ દ્વારા ફરજિયાત સર્વિસ ચાર્જ કાયદા વિરુદ્ધ હોવાનું જાહેર કર્યું.
– 4 જુલાઈ 2022: જાહેર કરાયેલી ગાઈડલાઈન્સ અનુસાર, કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ બિલમાં ડિફોલ્ટ સર્વિસ ચાર્જ ઉમેરી શકશે નહીં. આ ચાર્જ સ્વૈચ્છિક (Optional) હોવો જોઈએ.

ગ્રાહકો માટે મહત્વપૂર્ણ જાણકારી:
– સર્વિસ ચાર્જ ગ્રાહકની મરજી પર આધારિત છે.
– રેસ્ટોરન્ટે સ્પષ્ટ રીતે જણાવવું પડશે કે ચાર્જ વૈકલ્પિક છે.
– જો ગ્રાહક ચૂકવવા ઇનકાર કરે, તો તેને સેવા ન આપવામાં આવવી કે પ્રવેશ રોકાયો નહીં.

CCPA એ રેસ્ટોરન્ટ્સને બિલિંગ સિસ્ટમમાં તાત્કાલિક સુધારો કરવા સૂચના આપી છે. ઓથોરિટી ગ્રાહકોના અધિકારોની રક્ષા માટે હેલ્પલાઇન પરની ફરિયાદો પર સતત નજર રાખી રહી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરાશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in

Related Posts

નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગરમાં 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ, વડાપ્રધાને આસામથી આપી લીલી ઝંડી

ગાંધીનગર, 14 ફેબ્રુઆરી, 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આસામથી ₹5450 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પીએમ ઇ-બસ સેવા યોજના અંતર્ગત ભાવનગર શહેરમાં 50 ઇ-બસોને લીલી…

રાજૂ કરપડાના રાજીનામાં મામલે પ્રતાપ દૂધાતના નિવેદન પર ઇસુદાન ગઢવીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ગુજરાતના રાજકારણમાં છેલ્લા 3 દિવસથી રાજૂ કરપડાના રાજીનામાં અંગે સતત ચર્ચાઓ અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે. આ દરમિયાન અમરેલી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે રાજૂ…