ઈરાનની કડક ચેતવણી: ‘આક્રમણખોરોના પગ કાપી નાખીશું…’

ઈરાને મંગળવારે ફરી એકવાર અમેરિકાને કડક ચેતવણી આપી છે કે જો કોઈ દેશ તેના પર હુમલો કરશે, તો ઈરાનની સેના તેને જડબાતોડ જવાબ આપશે. તેહરાનમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના ખાતમ અલ-અનબિયા મુખ્યાલયના પ્રવક્તા ઈબ્રાહિમ જોલફાઘરીએ જણાવ્યું કે ઈરાનના સશસ્ત્ર દળો કોઈપણ હુમલાખોરના પગ કાપી નાખશે. ઈરાની સરકારી મીડિયા, પ્રેસ ટીવી દ્વારા આ જાણકારી આપાઈ હતી.

રશિયાના ચેચન લડવૈયાઓ ઇરાનમાં તૈનાત થઈ શકે છે
પ્રેસ ટીવીના અહેવાલ પ્રમાણે, રશિયાના ચેચન લડવૈયાઓ પણ જરૂર પડ્યે ઇરાનમાં તૈનાત થવા તૈયાર છે, ખાસ કરીને જો અમેરિકા જમીન પર હુમલો કરે તો. વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના અહેવાલ અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનને સમાપ્ત કરવા પર વિચાર કરી રહ્યા છે, ભલે હોર્મુઝ સ્ટ્રેટ બંધ ન રહે.

ટ્રમ્પની તૈયારી
અહેવાલ મુજબ, ટ્રમ્પે પોતાના સહયોગીઓને કહ્યું કે તેઓ ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાનને ચારથી છ અઠવાડિયામાં ઘટાડવા માટે તૈયાર છે. હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ બંધ ન થાય, તે છતાં મુખ્ય સૈન્ય લક્ષ્યો હાંસલ કરીને તેમનો ધ્યેય પૂરો થાય તે માટે તે યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

હોર્મુઝ સ્ટ્રેટ મેનેજમેન્ટ પ્લાન
ઈરાનની સંસદની સુરક્ષા સમિતિએ હોર્મુઝ સ્ટ્રેટ મેનેજમેન્ટ પ્લાન મંજૂર કર્યો છે. આ યોજના હેઠળ:
– જહાજો પર ટેક્સ વસૂલવાની વ્યવસ્થા
– સ્ટ્રેટની સુરક્ષા અને જહાજોની સલામતી
– પર્યાવરણ સંરક્ષણ અને નાણાકીય વ્યવસ્થા
– રિયાલ આધારિત ટોલ સિસ્ટમ લાગુ

ઈરાને ખાસ કરીને નિર્ણય લીધો છે કે અમેરિકન અને ઈઝરાયલના જહાજો આ માર્ગથી પસાર નહીં થઈ શકે, અને ઈરાન વિરુદ્ધ પ્રતિબંધ લગાવનારા દેશોના જહાજોને પણ મંજૂરી નહીં આપવામાં આવે. ઓમાન સાથે મળીને કાયદાકીય માળખું તૈયાર કરવામાં આવશે.

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંનો એક છે, જ્યાંથી વિશ્વના તેલનો મોટો હિસ્સો પસાર થાય છે. આ પગલાં પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ ગઠબંધન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના મધ્યમાં લેવામાં આવ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ધોરણ 9માં ત્રણ ભાષાની નીતિ ફરજિયાત ન બનાવવાની માંગ, CBSEની પોલિસી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

    કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાની નીતિને ફરજિયાત બનાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો રજૂ કરવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે દેશની અનેક શાળાઓમાં જરૂરી શિક્ષકો, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને એવી ભાષા ભણવાની ફરજ પડી રહી છે, જેના માટે પૂરતી વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ અરજદારોના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરતાં જણાવ્યું કે આ મુદ્દો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માંગ સુનાવણી દરમિયાન વકીલ ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે આ મામલો અગાઉ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી…

    NEET આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટીનો નવો રોડમેપ, દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત

    NEET પેપર લીક મુદ્દે થયેલા આંદોલન બાદ ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે પોતાના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. પાર્ટીએ દેશભરમાં યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાનારી બે દિવસીય વ્યૂહાત્મક બેઠક પહેલાં જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આગામી સમયમાં યુવાનોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંગઠનનો વિસ્તાર કરવામાં આવશે અને દેશના વિવિધ રાજ્યોમાં જઈને યુવાનોના વિચારો, અપેક્ષાઓ અને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. બે દિવસીય વ્યૂહાત્મક બેઠકમાં બનશે ભવિષ્યની રણનીતિ આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટી બુધવાર અને ગુરુવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, મુખ્ય પ્રવક્તાઓ તેમજ સંગઠનાત્મક નેતાઓ ભાગ…