કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા મુદ્દે ભારતના નવા હાઈ કમિશનર દિનેશ કે. પટનાયકે ગંભીર સવાલો ઊઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, “મને જ અહીં સુરક્ષાની જરૂર છે, તે વિચિત્ર વાત છે.” આ નિવેદન સાથે હાઈ કમિશનરે કેનેડામાં વધતી ભારતીય વિરોધી પ્રવૃત્તિઓ અને તેમાં સામેલ લોકો સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે.
દિનેશ પટનાયકે ખાલિસ્તાની જૂથોનું નામ લીધા વિના સંકેત આપ્યો કે કેટલીક તત્વો દ્વારા સર્જાતી અસુરક્ષા કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોને પણ અસર કરી રહી છે. તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “આ કોઈ ભારતીય સમસ્યા નથી, આ કેનેડિયન સમસ્યા છે.”
દેશનિકાલના આંકડાઓ ચિંતાજનક
કેનેડિયન બોર્ડર સર્વિસીસ એજન્સીના તાજેતરના ડેટા મુજબ:
– 2024 માં 1,997 ભારતીયોને કેનેડામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા.
– જુલાઈ 2025 સુધીમાં, 1,891 ભારતીયોને દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે.
– આ આંકડો 2019ની તુલનાએ ત્રણગણો છે (625 ભારતીયોને દેશનિકાલ).
– કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ પણ તાજેતરમાં વિદેશી ગુનેગારોના દેશનિકાલ માટે કડક પગલાં લેવાની ઘોષણા કરી છે.
ભારત-કેનેડા સંબંધો સામે પડકાર
ઓગસ્ટ 2025માં, દિનેશ પટનાયક અને ક્રિસ્ટોફરને ભારત અને કેનેડા વચ્ચે નવા હાઈ કમિશનરો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. છતાં, હાલના તણાવભર્યા પરિપ્રેક્ષ્યમાં આ સંબંધો કઈ દિશામાં જશે તે જોયું રહ્યું છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






