પુણ્ય કમાવવાનો અવસર: માઘ પૂર્ણિમા પર ‘રવિ પુષ્ય યોગ’નો મહાસંયોગ

હિન્દુ ધર્મમાં માઘ માસની પૂર્ણિમાનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે અને વર્ષ 2026માં આ દિવસ શ્રદ્ધાળુઓ માટે બમણું પુણ્ય લઈને આવી રહ્યો છે. 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ ઉજવાતી આ પૂર્ણિમા માઘ સ્નાનનો અંતિમ દિવસ છે. ધાર્મિક માન્યતા મુજબ, આ દિવસે દેવતાઓ સ્વર્ગમાંથી ઉતરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે. તેથી, ગંગા કે અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અશ્વમેધ યજ્ઞ જેવું ફળ મળે છે. આ વર્ષે રવિવારે આવી પૂર્ણિમા સૂર્ય ઉત્તરાયણમાં હોવાને કારણે સૌભાગ્ય અને આરોગ્ય માટે ખૂબ શુભ માનવામાં આવે છે. રવિ પુષ્ય યોગ આ વર્ષે માઘ પૂર્ણિમા પર સવારે 7:09 થી 11:58 સુધી ‘રવિ પુષ્ય યોગ’નો સંયોગ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલું દાન અને પૂજા અક્ષય ફળ આપે છે. શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ સમય 5:24 થી…

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ મોરારી બાપુની બરસાનાની રામકથાની લીધી મુલાકાત, જાણો વિગત

બ્રજની પવિત્ર ધરતી બરસાનામાં ચાલી રહેલી પ્રસિદ્ધ મોરારી બાપુની માનસ ગૌ સૂક્ત રામકથા દરમિયાન લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ વિશેષ સંબોધન કર્યું. તેમણે આ પવિત્ર ભૂમિ અને રામકથાના મહત્ત્વને ઉજાગર કરતા કહ્યું કે રાધા રાણીની ધરતી અને ગૌ સેવા માટે આ સ્થાન અનોખું છે, જેને તેઓ હૃદયપૂર્વક નમન કરે છે. ઓમ બિરલાએ જણાવ્યું કે આ અવસરે તેમને મોરારી બાપુની અમૃતમય વાણી દ્વારા રામકથાનું શ્રવણ કરવાનો વિશેષ સૌભાગ્ય પ્રાપ્ત થયો છે. તેમનું કહેવું હતું કે મોરારી બાપુની રામકથા માત્ર બરસાના જ નહીં, પરંતુ આખા દેશને રામમય બનાવી દે છે. લોકસભા અધ્યક્ષે ભગવાન રામના જીવનમૂલ્યોને પ્રેરણાસ્ત્રોત માનીને જણાવ્યું કે રામજીનું જીવન સત્ય પર ચાલવાની, કરુણાના ભાવ સાથે સમર્પિત જીવન જીવવાની ઉદાહરણરૂપ છે. તેમણે લોકોને આ આદર્શોને જીવનમાં અપનાવવા…

NAVRATRI 2025 : માતા ચંદ્રઘંટાની પૂજા થશે બે દિવસ સુધી, જાણો આરતી અને મંત્ર વિષે

સામાન્ય રીતે નવરાત્રી 9 દિવસ સુધી ચાલે છે, પણ આ વર્ષે તે 10 દિવસ સુધી ઉજવાશે. આ વિશેષતા તૃતીયા તિથિનું બે દિવસ સુધી ચાલવાનું સંયોગ બનવાથી શક્ય બન્યો છે. પંચાંગ મુજબ, તૃતીયા તિથિ 24 સપ્ટેમ્બર સવારે 4:51  થી શરૂ થઈ 25 સપ્ટેમ્બર સવારે 7:06 સુધી રહેશે. આથી માતાજીના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની પૂજા સતત બે દિવસ સુધી કરવામાં આવશે.   નવરાત્રીનું પાવન પર્વ ભારતમાં ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. નવ દિવસો સુધી દેવીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. આ દિવસ માતાની શક્તિ, શાંતિ અને આરોગ્યની ઉપાસના માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.   માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ માતા ચંદ્રઘંટાનું માથા પર અર્ધચંદ્ર જેવી ઘંટી હોય છે તેથી તેમનું…

વલસાડમાં ધર્માંતરણને લઈ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ગઇકાલે ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન મોહન ભાગવત વલસાડમાં આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં તેમણે ધર્માંતરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે લોકોને કોઈ પણ લાલચ કે ડરના કારણે ધર્મ ના બદલવા જણાવ્યું છે. વલસાડમાં ધર્માંતરણ મામલે મોહન ભાગવતે જણાવ્યું કે, રોજિંદા જીવનના લોભ અને લાલચનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આપણે ધર્મથી દૂર થઈ શકીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે, ધર્મ જ દરેકને ખુશી તરફ લઈ જઈ શકે છે.લોકોએ કોઈ પણ સંજોગોમાં લોભ કે ભયના પ્રભાવ હેઠળ પોતાનો ધર્મ બદલવો જોઈએ નહીં. આ પણ વાંચો: સાબરકાંઠા: વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ પીધી ઝેરી દવા મહાભારતનો…