IND – PAK: યુદ્ધવિરામ પર બાબા બાગેશ્વરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું….?
ઓપરેશન સિંદૂરના અસરકારક પરિણામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે બાગેશ્વર ધામના મહંત ધીન્દ્રેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પાકિસ્તાન અંગે તીખું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. છતરપુર ખાતેના એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાતચીતમાં તેમણે યુદ્ધવિરામ પર પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાનને “બગડેલી ઓલાદ” અને “કૂતરાની પૂંછડી” ગણાવ્યું. “યુદ્ધ વિના કોઈ વિજય કે હાર નથી” – શાસ્ત્રીનો પાકિસ્તાન પર કટાક્ષ ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, “યુદ્ધ વિના કોઈ વિજય કે હાર નથી. આપણી સેના હજુ સુધી યુદ્ધમાં પ્રવેશી પણ નથી, તો પછી તેઓ શું ઉજવણી કરે છે?” તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પાકિસ્તાનના વિસ્તારોમાં બોમ્બ ફૂટી રહ્યા હતા, “ત્યારે અમે અહીં મીની દિવાળી ઉજવી રહ્યા હતા.” શાસ્ત્રીએ પાકિસ્તાનની વિચારસરણીને “કુટિલ” અને “ક્યારેય ન સુધરતી” ગણાવી. પાકિસ્તાન હંમેશા પોતાને પીડિત દર્શાવે છે શાસ્ત્રીએ…







