ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો મહત્વનો નિર્ણય, વિધાનસભાના સચિવને લખેલ આ પત્ર જાણો કેમ ચર્ચામાં

ગુજરાત વિધાનસભાના સિદ્ધપુર બેઠકના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો એક પત્ર હાલ ચર્ચામાં છે. આ પત્ર સકારાત્મક રીતે ચર્ચામાં આવ્યો છે. બલવંતસિંહ રાજપૂતે વિધાનસભાના સચિવને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હું અગાઉ ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી હતો ત્યારે પણ સરકારમાંથી કોઈ જ પગાર-ભથ્થા લેતો નહોતો. આજેપણ મને મળવાપાત્ર કોઈ જ પગાર-ભથ્થા હું સ્વીકારતો નથી.

ગુજરાતમાં બહુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં થયેલા ફેરફાર બાદ સચિવાલય તરફથી સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી બળવંતસિંહ રાજપૂતને એક પત્ર લખવામાં આવ્યો હતો અને પગાર-ભથ્થાની આકારણી માટે જરુરી વિગત માંગવામાં આવી હતી. જેના જવાબમાં બળવંતસિંહ રાજપૂતે પત્ર લખી અને પગાર ભથ્થા લેવાનો ઈન્કાર કર્યો છે.

બળવંતસિંહ રાજપૂત તરફથી લખવામાં આવેલો પત્ર

મહત્વની વાત એ છે કે, બળવંતસિંહ રાજપૂત જ્યારે ગુજરાત સરકારમાં ધારાસભ્ય કે મંત્રી પદ પર ન હતા અને GIDCમાં ચેરમેન પદ પર હતા. તે દરમિયાન પણ સરકાર પાસેથી કોઈ પણ જાતનો પગાર કે ભથ્થું લેતા ન હતા. ત્યાર બાદ તેઓ ધારાસભ્ય બન્યા અને મંત્રી બન્યા આ દરમિયાન પણ તેમણે કોઈ પગાર કે ભથ્થું લીધું ન હતું, ત્યારે હવે ફરીથી તેમણે પગાર કે ભથ્થું લેવાનો ઇનકાર કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…