આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’, મળી શકે છે આટલી રકમ

* આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. 5 કરોડથી વધુની રકમ અપાઈ : પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ  
* આ યોજના હેઠળ 70 થી વધુ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને રૂ. 2 લાખનું પ્રોત્સાહક ઇનામ
રાજયમાં આદિજાતિ સહિત છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘જલ જીવન’ મિશન હેઠળ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મિશનનો વધુને વધુ ખાસ કરીને આદિજાતિના ગામોને લાભ મળે તે હેતુથી મરામત, નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાઓમાં પાણી પુરવઠા યોજનાનું સંચાલન અને મરામત નિભાવણી સારી રીતે કરતી 258 ગ્રામ પંચાયતને એપ્રિલ-2025 થી જાન્યુઆરી-2026 સુધીમાં રૂ. 5.16 કરોડની રકમ પ્રોત્સાહન સ્વરૂપે આપીને પુરસ્કૃત કરવામાં આવી છે તેમ, પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું.
પાણી પુરવઠા મંત્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશભરમાં નળ દ્વારા ઘર ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા ‘જલ જીવન મિશન યોજના’શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના’ હેઠળ 11 જિલ્લાઓમાં સૌથી વધુ સાબરકાંઠામાં 57 ગામ, જ્યારે તાપીમાં 52, ભરૂચમાં 27, સુરતમાં 25, નવસારીમાં 24, વલસાડમાં 20, બનાસકાંઠામાં 17, ડાંગમાં 16, અરવલ્લીમાં 15, દાહોદમાં 3 તેમજ પંચમહાલ જિલ્લામાં 2 એમ કુલ 258 ગામોનો સમાવેશ થાય છે.
મંત્રી ઈશ્વરસિંહે યોજના વિશે કહ્યું હતું કે, આ ગ્રામીણ કક્ષાની આંતરિક પેયજળ પુરવઠા યોજનાઓનું અમલીકરણ ગ્રામ પંચાયત વતી પાણી સમિતિ દ્વારા કરવામાં આવે છે. પાણી પુરવઠા હસ્તકના વાસ્મો દ્વારા ‘જલ જીવન મિશન’ અંતર્ગત ગ્રામ્ય પેયજળ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારમાં નળ જોડાણની કામગીરી કરવામાં આવી છે. આ યોજનાનું સંચાલન, મરામત અને નિભાવણી યોગ્ય રીતે થાય તે
જરૂરી છે.
પીવાના પાણીની મળતી ફરિયાદોને ધ્યાને લઇ, આદિજાતિ વિસ્તારની ગ્રામીણકક્ષાની આંતરિક પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવણી અંગે ગ્રામ પંચાયતમાં માલિકીપણાનો ભાવ ઉભો થાય તે જરૂરી છે. આ સાથે ફરિયાદોનું પ્રમાણ ઘટે અને પેયજળ યોજનાઓનું યોગ્ય સંચાલન થાય તે હેતુથી આદિજાતિ વિસ્તારના કુલ 14 જિલ્લાના 53 તાલુકાના ગામો માટે “મરામત અને નિભાવણી પ્રોત્સાહન અને પુરસ્કાર યોજના”ને અમલી બનાવી છે. જે અંતર્ગત નિયત માપદંડના આધારે 11 જિલ્લાના ગામોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે.
યોજનાના લાભાર્થી, માપદંડ અને પ્રોત્સાહન-પુરસ્કાર રકમ :
ગ્રામ પંચાયત / પાણી સમિતિઆ યોજનાનો લાભ, જે ગ્રામ પંચાયત ઠરાવના સૂચિત માપદંડો જેવા કે અસરકારક સંચાલન, ફરિયાદનું પ્રમાણ, પાણી ગુણવત્તા, પાણીવેરાની વસુલાત, પાણી વિતરણ, ઓપરેટર વગેરે  માપદંડોમાં સારૂ પરફોર્મન્સ ધરાવતી ગ્રામ પંચાયતને પ્રોત્સાહન રકમ  મળવાપાત્ર થાય છે. જે મુજબ આ માપદંડોમાં 100 ગુણમાંથી 70 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને આ યોજનાનો લાભ મળશે.  પ્રોત્સાહન પુરસ્કાર યોજના હેઠળ રૂ2 લાખ પ્રોત્સાહન રકમ મળવાપાત્ર થશે.
પ્રોત્સાહન યોજનાની રકમ ચૂકવણી પ્રક્રિયા અને મુખ્ય શરતોઃ-
1. ગ્રામ પંચાયત દ્વારા આ યોજનાનો લાભ લેવા જાહેરાત મુજબ અરજી કરવાની રહેશે.
2. અરજી અન્વયે જિલ્લા કક્ષાની નિયત કમિટી દ્વારા મૂલ્યાંકનની કામગીરી હાથ ધરી, જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળની કમિટીમાં મંજૂર કરવામાં આવશે.
3. રાજ્ય કક્ષાની કમિટી દ્વારા જિલ્લા દ્વારા રજૂ કરાયેલ ગ્રામ પંચાયતની પ્રોત્સાહન રકમ મંજૂર કરવામાં આવશે.
4. જિલ્લા પંચાયત દ્વારા જે તે ગામને પ્રોત્સાહન–પુરસ્કાર ફંડ ફાળવામાં આવશે.
આ યોજનાને પરિણામે ગ્રામ પંચાયતને પ્રોત્સાહન મળવાથી પાણી પુરવઠા ક્ષેત્રે અને પાણીવેરા વસૂલાત ક્ષેત્રે એક કાયમી પદ્ધતિ વિકસી છે. જે લાંબાગાળે ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા માટે ફાયદાકારક સાબિત થઇ રહી છે.

Related Posts

Gujarat Education Department Launch Revolutionary Step: ધોરણ 6 થી 12 ની દીકરીઓ માટે મોટો નિર્ણય

Gujaratગુજરાત સરકારનો મોટો નિર્ણય: 10 લાખથી વધુ દીકરીઓને મફત સેનેટરી નેપકીન, ₹46.68 કરોડનું બજેટ Gujaratની સરકારી શાળાઓમાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી 10 લાખથી વધુ દીકરીઓને દર મહિને મફત ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન આપવામાં આવશે. જાણો યોજનાની સંપૂર્ણ વિગતો. Gujarat સરકારનો દીકરીઓ માટે મોટો નિર્ણય Gujarat સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને મફત સેનેટરી નેપકીન આપવામાં આવશે. આ યોજના માટે Gujarat સરકારે ₹46.68 કરોડથી વધુના બજેટની જોગવાઈ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં…

Stock Market Weakness: ક્રૂડ ઓઈલ $89 ને પાર અને મધ્ય-પૂર્વ તણાવનો મોટો ફટકો Investor Frenzy

ભારતીય Stock Market આજે નબળું: Nifty 50 અને Sensexમાં ઘટાડો, ક્રૂડ ઓઇલના ભાવથી બજાર પર દબાણ ભારતીય Stock Marketમાં 17 ઓગસ્ટ 2026ના રોજ નબળાઈ જોવા મળી. Nifty 50 અને Sensexમાં ઘટાડો, ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ અને મધ્ય-પૂર્વની ભૂ-રાજકીય સ્થિતિ વચ્ચે બજારની સ્થિતિ જાણો. ભારતીય Stock Market આજે દબાણમાં ભારતીય Stock Marketમાં આજે, 17 ઓગસ્ટ 2026, સાવચેતીભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતો, ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ અને મધ્ય-પૂર્વમાં ચાલી રહેલી ભૂ-રાજકીય અનિશ્ચિતતાના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર દબાણ જોવા મળ્યું. શરૂઆતના ટ્રેડિંગમાં બેન્ચમાર્ક સૂચકાંકો Nifty 50 અને Sensex ઘટાડા સાથે આગળ વધ્યા હતા. રોઇટર્સના અહેવાલ મુજબ Nifty 50 લગભગ 0.34% ઘટીને 24,282.45 અને Sensex 0.46% ઘટીને 77,647 પર રહ્યો હતો. આજના સેશન પહેલાં પણ…