હોળી-ધૂળેટીનાં તહેવારને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈમરજન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ત્યારે ઈમરજન્સી વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે 838 એમ્બ્યુલન્સ 24×7 કાર્યરત રહેશે, અને હોસ્પિટલોમાં વધારાના સુપરવાઈઝરી સ્ટાફ તહેનાત કરાશે. જેથી ઝડપી પ્રતિસાદ અને ઉત્તમ ઈમર્જન્સી મેનેજમેન્ટ સુનિશ્ચિત કરી શકાય.
આ પણ વાંચો :- Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા
પાછલા વર્ષોના ડેટા અનુસાર, 108-ઈ.એમ.એસ. એ આગાહી કરી છે કે 13મી માર્ચ 2025ના હોળીના દિવસે ઈમરજન્સી કેસોમાં 3.61% (3,870 કેસ) નો વધારો થશે. અને 14મી માર્ચ 2025 ના ધુળેટીના દિવસે 29.88% (4,851 કેસ) નો વધારો થશે, જે સામાન્ય દિવસના સરેરાશ 3,735 કેસની સરખામણીએ વધુ છે. મુખ્ય રીતે, રોડ અકસ્માતો અને ટ્રોમા (નૉન-વ્હીક્યુલર) સંબંધિત ઈમર્જન્સી કેસોમાં વધારો થવાની સંભાવના છે.
હોળીના દિવસે 36.10% (656 કેસ) અને ધુળેટીના દિવસે 89% (911 કેસ) નો વધારો થવાની સંભાવના છે, જે સામાન્ય દિવસના 482 કેસની સરખામણીએ છે. આ વધારો વાહનવ્યવહારના વધારા અને સાવચેતીના અભાવના કારણે થાય છે.
આ પણ વાંચો :- Botad : બોટદામાં વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો, SOG પોલીસે બોગસ ડોકટરને ઝડપી પાડયો
શારીરિક હુમલાના કેસો :- હોળીના દિવસે 72.93% (230 કેસ) અને ધુળેટીના દિવસે 243.61% (457 કેસ) નો વધારો થવાની શક્યતા છે, જે સામાન્ય દિવસના 133 કેસની સરખામણીએ વધુ છે. આ મોટાભાગે ઉત્સવ દરમિયાન થતાં વિવાદોને કારણે થાય છે.એવા જિલ્લાઓ જ્યાં બંને દિવસ દરમિયાન 20% થી વધુ ઈમર્જન્સી કેસો વધી શકે છે, તેમાં અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા અને વલસાડનો સમાવેશ થાય છે. ધુળેટીના દિવસે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં 20% થી વધુ ઈમરજન્સી કેસો જોવા મળી શકે છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







