Gandhinagar : ગુજરાતમાં પવનોની દિશા બદલતા ગરમીમાં થયો ઘટાડો, આવતીકાલથી વધી શકે છે ગરમી

રાજ્યમાં પવનોની દિશા બદલતા તાપમાન ઘટ્યું છે. મોટાભાગના જિલ્લામાં તાપમાન 2-3 ડિગ્રી ઘટ્યું છે. તો બીજી તરફ બે દિવસ બાદ ગરમીનું જોર વધી શકે છે સાથે સાથે બે જિલ્લામાં ગરમીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. પવનોની દિશા જેમ બદલાશે તેમ આગળના સમયમાં ગરમીમાં વધારો થવાની પણ શકયતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા, સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ

આવતીકાલથી વધી શકે છે ગરમી :- આગામી 4 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ​​અને ભેજવાળી સ્થિતિ રહેવાની આગાહી છે. હાલમાં ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન પણ વધી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 19 એપ્રિલ પછી રાજ્યમાં ગરમી વધુ વધવાની શક્યતા છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં ક્રેન તૂટી પડતા દુર્ઘટનાં સર્જાઈ, એક શ્રમિકનું મોત, 1ની હાલત ગંભીર

કયાં કેટલું તાપમાન નોંધાયું? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર અને કેશોદ 38 ડિગ્રી તાપમાન,અમદાવાદમાં 36.8 ડિગ્રી,ગાંધીનગરમાં 36.5 ડિગ્રી,ડીસામાં 36.8 ડિગ્રી,વડોદરામાં 37.6 ડિગ્રી,સુરતમાં 36.8 ડિગ્રી,ભુજમાં 36.2 ડિગ્રી,અમરેલીમાં 37.8 ડિગ્રી,પોરબંદરમાં 36.6 ડિગ્રી,ભાવનગરમાં 36.1 ડિગ્રી,મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ગુજરાતમાં ભર ઉનાળે હવામાનમાં ફેરફાર: રાજ્યમાં 5 એપ્રિલ સુધી વરસાદી માહોલની આગાહી

ગુજરાતમાં ગરમી વચ્ચે અચાનક હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો રહેવાની શક્યતા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *