Congressમાં કકળાટ યથાવત, પાટણના MLA કોંગ્રેસમાં દંડક પદેથી આપશે રાજીનામું ! જાણો શું છે મામલો

ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસમાં નેતાઓન આંતરીક વિખવાદ સામે આવ્યો છે. સંગઠનમાં નિમણૂકને લઈને પાટણ બેઠકના ધારાસભ્ય કિરીટ પટેલ કોંગ્રેસમાં દંડક પદેથી રાજીનામું ધરી દેશે એવી ચીમકી ઉચ્ચારી છે.

પાટણ જિલ્લામાં અનુસૂચિત જાતિમાં પ્રમુખની નિમણુંકને લઈને ગઇકાલે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાળાંબંધી કરવામાં આવી હતી. ત્યારે હવે આજે ધારાસભ્ય કિરીટ પટેલ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક પદેથી રાજીનામું આપશે.

3 વાગ્યે આપશે રાજીનામું 

પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જયાબેન શાહની વરણી કરવામાં આવી હતી. જેને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. બીજી તરફ આ નિમણૂકને લઈ ગઇકાલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે જે નિમણુક કરવામાં આવી છે તેમાં ચાલુ ધારાસભ્યો સહિત કોંગ્રેસના જે આગેવાનો છે તેની કોઈ સેન્સ લેવામાં આવી નથી. આડેધડ જ નિમણૂકં કરવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસના નિર્ણયથી નારાજ થઈ કિરીટ પટેલ કોંગ્રેસમાં દંડક પદેથી 3 વાગ્યે આપશે રાજીનામું ધરી દેશે. જોવાનું રહ્યું કે કીટ પટેલ રાજીનામું આપે છે કે પછી ઘી ના ઠામમાં ઘી પડે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…