કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: ખેડૂતો માટે મહત્વની તારીખો જાહેર
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થતાં લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા વધી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર પશ્ચિમ વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ની અસરને કારણે વાતાવરણમાં અસ્થિરતા સર્જાઈ છે. જેના પરિણામે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આગાહી મુજબ 18 માર્ચે કચ્છ, દ્વારકા અને મોરબી જિલ્લામાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. જ્યારે 20 માર્ચે ગીર સોમનાથ, દીવ,…
ગુજરાતમાં LPG ગેસની અછત અંગે અફવાઓ ખોટી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
રાજ્યમાં LPG ગેસની અછત અંગે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં હાલમાં ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે લોકોને ગેરસમજ કે અફવાઓના આધારે ગભરાવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ ગેસની અછત અંગે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, જેના કારણે લોકોમાં અનાવશ્યક પેનિક સર્જાઈ રહ્યો છે. તેમણે નાગરિકોને અપીલ કરી કે કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન રાખે અને શાંતિ જાળવે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય પાસે LPG ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને ઘરેબેઠા ગેસ સિલિન્ડર મળી રહેશે. ગેસ સપ્લાયમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સરકાર અને સંબંધિત વિભાગો સતત દેખરેખ રાખી…
ગુજરાત : હોટેલ, રેસ્ટોરન્ટ અને શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક ગેસ કનેક્શન આપવાનો મુખ્યમંત્રીનો આદેશ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યમાં પીએનજી ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની હાલની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો કે રાજ્યના એવા વિસ્તારોમાં જ્યાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટેનું પાઈપલાઈન નેટવર્ક ઉપલબ્ધ છે, ત્યાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ, શૈક્ષણિક અને સામાજિક-ધાર્મિક સંસ્થાઓ દ્વારા પીએનજી કનેક્શન માટેની માગણી કરવામાં આવે તો તેમને તાત્કાલ કનેક્શન આપવામાં આવશે. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષામાં જણાવાયું કે રાજ્યમાં પીએનજી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઘરોએ ઘરોમાં પાઈપલાઇન મારફતે ગેસ સરળતાથી મેળવી રહ્યો છે. મુખ્य સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, અન્ન નાગરિક પુરવઠા અધિક મુખ્ય સચિવ મોના ખંધાર, ઊર્જા અને…
દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સ્થાન આપવાનાં નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માર્ગ સુધારણા માટે રૂ. 1,185 કરોડ મંજૂર કર્યા
ગાંધીનગર: ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા માર્ગોને પહોળા કરવા અને સુધારવા માટે રૂ. 1,185 કરોડનાં કામોને મંજુરી આપી છે. આનો ઉદ્દેશ સુરત ઇકોનોમિક રિજિયન (SER) ને દુબઈ અને ચીનના ગુઆંગઝૂ જેવા વૈશ્વિક ટ્રેડિંગ હબની તર્જ પર વિકસાવવાનો છે અને સુરતને વૈશ્વિક સપ્લાય ચેનમાં જોડવાનો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂર કરેલા આ પ્રોજેક્ટોમાં સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાઓમાં કુલ 383 કિમીને આવરી લેતા 24 કામોનો સમાવેશ થાય છે. આ પગલું લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી સુધારવા અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. ભારત સરકાર દ્વારા સુરત ઇકોનોમિક રિજિયન (SER)ને વિશ્વનાં નકશા પર મૂકવા માટે એક આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને બરોબર 17 મહિના પહેલા આ માસ્ટર પ્લાનનો…
આગામી તા. 30 એપ્રિલ સુધી જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી સિંચાઇ માટે પાણી ચાલુ રાખવામાં આવશે- જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ
રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઇ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી તા.30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે તેમ, જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે,રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે મોડું પૂર્ણ થયું હતું. ઉપરાંત પાછોતરા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો હતો. વળી ચોમાસુ લંબાવવાના કારણે રવિ સીઝનની વાવણી મોડી થઈ શકી હતી. જેથી આ વર્ષે રવિ સીઝનની પાકની લળણીમાં પણ વાર થવાની શકયતાઓ છે. સામાન્યત: રવિ સીઝન માટે જે તે વર્ષના ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જળ સંપત્તિ હેઠળની કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે…
‘લવ જિહાદ’માં ફસાઈ મોનાલિસા? મેનેજરે કર્યો સોદો – ડિરેક્ટરના નિવેદનથી મચ્યો વિવાદ
પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન વાયરલ થઈ લોકપ્રિય બનેલી યુવતી મોનાલિસાના લગ્નને લઈને દેશભરમાં ભારે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. મોનાલિસાએ પોતાના બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. આ લગ્નને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની અફવાઓ અને આરોપો ફેલાઈ રહ્યા છે. ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રાએ આ સમગ્ર ઘટનાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે મોનાલિસા ‘લવ જિહાદ’ના જાળમાં ફસાઈ ગઈ છે અને તેમના મેનેજરે તેનો “સોદો” કરી દીધો હોવાનો દાવો કર્યો છે. તેમના આ નિવેદન બાદ મામલો વધુ ગરમાયો છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. મોનાલિસાએ બીજી તરફ સ્પષ્ટતા કરી છે કે તેમણે પોતાની ઈચ્છાથી લગ્ન કર્યા છે અને આ મામલો ‘લવ જિહાદ’ સાથે સંબંધિત નથી. તેમણે…
ગુજરાતમાં હીટવેવની શરૂઆત: સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરી છે. સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહેસાણા, સાબરકાંઠા અને આણંદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનામાં સામાન્ય કરતાં વધુ ગરમી અનુભવાઈ રહી છે. આ વર્ષે માર્ચમાં તાપમાન સામાન્ય કરતાં લગભગ 7 ડિગ્રી વધુ નોંધાયું છે. દીવમાં તો લગભગ 100 વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો હોવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સામાન્ય રીતે દરિયાઈ…
અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટર મિહિર પટેલના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા યાત્રિકો હવે ગમે ત્યાંથી મંદિરની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે. આ મોબાઈલ એપ્લિકેશન માઇભકત દ્વારા નિશુલ્ક બનાવવામાં આવી છે. જેમાં યાત્રિકો માટે દર્શનનો સમય, જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન, ભોજનાલય માટે દાન, પ્રસાદની ઓનલાઇન બુકિંગ અને ઈ-સ્ટોર જેવી સુવિધાઓ મેળવી શકશે. આ ઉપરાંત, ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે રજીસ્ટ્રેશન અને…
Ahmedabad Cyber Fraud: OTP, પાસવર્ડ કે લિંક શેર કર્યા વગર યુવતીના ખાતામાંથી 19 ટ્રાન્ઝેક્શનમાં ₹8 લાખ ઉપડી ગયા
| પંકજ મકવાણા – અમદાવાદ | અમદાવાદમાં ડિજિટલ બેંકિંગના વધતા ઉપયોગ સાથે સાયબર ઠગાઈના કિસ્સાઓ પણ વધુ જટિલ અને ચિંતાજનક સ્વરૂપ લેતા જોવા મળે છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ Bopal પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ તાજા કેસે સાયબર સુરક્ષા અંગે નવા પ્રશ્નો ઉભા કર્યા છે. આ કેસમાં એક યુવતીના બે અલગ અલગ બેંક ખાતામાંથી ઓટીપી, પાસવર્ડ અથવા કોઈ શંકાસ્પદ લિંક શેર કર્યા વગર માત્ર 46 દિવસમાં 19 ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹8.05 લાખ ઉપાડી લેવાયા હોવાનું સામે આવ્યું છે. પોલીસ માહિતી અનુસાર મૂળ Rajkotની 34 વર્ષીય યુવતી હાલમાં અમદાવાદના Shela વિસ્તારમાં રહે છે. ગત 15 જાન્યુઆરીએ તેના State Bank of India ખાતામાંથી ₹3,690 ડેબિટ થયાનો મેસેજ મળ્યો હતો. શરૂઆતમાં આ નાની રકમ હોવાથી યુવતીએ ખાસ ધ્યાન આપ્યું નહોતું, પરંતુ…
ઓઢવ બિલ્ડર હત્યા કેસ: સ્પેશિયલ ચિલ્ડ્રન કોર્ટે સગીર આરોપીને પુખ્ત ગણી સેશન્સ ટ્રાયલનો આપ્યો આદેશ
| પંકજ મકવાણા – અમદાવાદ | અમદાવાદના ઓઢવ વિસ્તારમાં થયેલી જાણીતા બિલ્ડર હિંમત રૂડાણીની હત્યાના કેસમાં કાયદાકીય રીતે મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. આ ચકચારી કેસમાં સંડોવાયેલા સગીર આરોપી અંગે Special Children Court Ahmedabadએ મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે આરોપીની માનસિક સ્થિતિના તબીબી મૂલ્યાંકનના આધારે તેને ‘પુખ્ત’ ગણી તેના વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચલાવવાનો હુકમ કર્યો છે. કેસમાં રજૂ થયેલા દસ્તાવેજો અને નિષ્ણાતોના અભિપ્રાયો પર વિચારણા કર્યા બાદ કોર્ટે નિષ્કર્ષ આપ્યો કે આરોપીની માનસિક ક્ષમતા પુખ્ત વયની વ્યક્તિ સમકક્ષ હોવાનું જણાય છે. આ મૂલ્યાંકન માટે Ahmedabad Civil Hospitalના મનોચિકિત્સક દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટ મહત્વપૂર્ણ આધાર બન્યો હતો. આ કેસમાં અગાઉ Juvenile Justice Board દ્વારા મહેસાણા હોસ્પિટલના સાયકોલોજિસ્ટના રિપોર્ટના આધારે સગીર આરોપી સામે જુવેનાઈલ બોર્ડ સમક્ષ જ…
















