ખેડૂતો પર આફતના વાદળ: અમરેલી–જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી 3 દિવસ ભારે આગાહી

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં તથા કરા વરસતા પાકોને નુકસાનની ભીતિ વધતી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વડિયા અને બગસરા પંથકમાં અચાનક વાતાવરણ બદલાતા કમોસમી વરસાદ પડ્યો હતો. બગસરાના શાપર, સુડાવડ તેમજ વડિયા, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. અનેક વિસ્તારોમાં ખેડૂતો તૈયાર પાક કાપવાની તૈયારીમાં હતા, ત્યારે આ વરસાદે તેમની ચિંતા વધારી દીધી છે. બીજી તરફ જામનગર જિલ્લામાં પણ સમી સાંજે કરા સાથે વરસાદ વરસ્યો હતો. લાલપુર તાલુકાના બબરઝર, ટેભડા અને ખાયડી ગામોમાં કરા પડતા ચણા, ધાણા અને જીરાં જેવા પાકોને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી…

દ કેરલા સ્ટોરી- 2 નો મ્યુઝિકલ સરપ્રાઇઝ – દુર્ગા પૂજાની એક જ રાતમાં તૈયાર થયું ‘ઘૂમરગીત ’

ફિલ્મ  The Kerala Story -2 ના લોકપ્રિય બનતા ગીત ‘ઘૂમર’  પાછળનો અવાજ એટલે ગીતકાર  સાહિલ સુલતાનપુરી. આ દિવસોમાં તેઓ પોતાના સર્જન અને ફિલ્મને લઈને થયેલા વિવાદો વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં છે. એક ખાસ વાતચીતમાં સાહિલ સુલતાનપુરી એ જણાવ્યું કે ‘ઘૂમર’ ગીત તેમણે દુર્ગા પૂજા દરમિયાન માત્ર એક જ રાતમાં લખ્યું હતું. તેઓ કહે છે કે આ ગીત લખતી વખતે તેમની સામે માત્ર શબ્દો નહીં પરંતુ મા ભવાનીની ભક્તિ, રાજસ્થાની લોકસંસ્કૃતિ અને ભારતીય પરંપરાની ઝાંખી જીવંત થઈ ગઈ હતી. સાહિલના શબ્દોમાં, “જ્યારે ગીતમાં સંસ્કૃતિ અને આસ્થા જોડાયેલી હોય ત્યારે લેખક તરીકે જવાબદારી પણ વધી જાય છે. ‘ઘૂમર’ લખતી વખતે મને લાગ્યું કે હું માત્ર ગીત નહીં, પરંતુ એક પરંપરાની ભાવના વ્યક્ત કરી રહ્યો છું.” ફિલ્મને લઈને ઊઠેલા વિવાદો…

ગાંધીનગર વિધાનસભા સત્ર: ભાજપે ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યો, 3 દિવસમાં મહત્વના બિલો રજૂ થશે

ગાંધીનગરમાં યોજાનાર રાજ્ય વિધાનસભા સત્રને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાના ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યો છે. પાર્ટી દ્વારા તમામ ધારાસભ્યોને આગામી ત્રણ દિવસ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. મહત્વના બિલો રજૂ થશે માહિતી અનુસાર, 23, 24 અને 25 માર્ચ દરમિયાન વિધાનસભામાં અનેક મહત્વપૂર્ણ બિલો ચર્ચા અને મંજૂરી માટે રજૂ થવાના છે. તેમાં UCC વિધેયક અને અશાંતધારા સંબંધિત મુદ્દાઓ સહિતના અગત્યના કાયદા સામેલ છે. વ્હીપ જાહેર કરવાનો મુખ્ય હેતુ ભાજપે વ્હીપ જાહેર કરીને પોતાના તમામ ધારાસભ્યોની હાજરી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી વિધાનસભામાં રજૂ થનારા મહત્વના બિલો સરળતાથી પસાર થઈ શકે. આ સત્ર દરમિયાન રાજ્યના રાજકારણમાં ગરમાવો વધવાની શક્યતા છે અને વિપક્ષ તરફથી પણ આ મુદ્દાઓ પર જોરદાર ચર્ચા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી…

ગુજરાત સરકારનું 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર, 2 લાખથી વધુ સરકારી નોકરીઓ મળશે

ગુજરાત સરકારે રોજગારી ક્ષેત્રે મોટું પગલું ભરતા 10 વર્ષીય ભરતી કેલેન્ડર (2024-2033) જાહેર કર્યું છે. આ યોજના હેઠળ રાજ્યના વિવિધ વિભાગોમાં 2 લાખથી વધુ સરકારી ભરતી કરવામાં આવશે, જેના કારણે યુવાનો માટે રોજગારીની મોટી તકો ઉભી થશે. વિધાનસભામાં સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પર ચર્ચા દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર ‘સુશાસન, સેવા, સંકલ્પ અને સમર્પણ’ના મંત્ર સાથે કાર્ય કરી રહી છે. GYAN આધારિત બજેટ પર ભાર વર્ષ 2026-27ના બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. UPSC તાલીમ માટે ખાસ આયોજન રાજ્યના યુવાનોને રાષ્ટ્રીય સ્તરે આગળ લાવવા માટે SPIPA દ્વારા UPSC તાલીમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતે 635 ઉમેદવારો…

પાટણમાં હુમલાખોરો સામે પોલીસ પાછી ખસી, 8 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ

ગુજરાતના પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામમાં 15 માર્ચની રાત્રે 15થી 20 જેટલા શખ્સોએ ફાર્મ હાઉસ પર હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનામાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, રામાપીર મંદિર માટે ફાળો એકત્રિત કરવા મુદ્દે થયેલા વિવાદ બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો. મધરાત્રિ નજીક 11:45 વાગ્યે અનેક વાહનોમાં આવેલા હુમલાખોરોએ ફાર્મ હાઉસમાં ઘૂસી તોડફોડ મચાવી અને ધમકીઓ આપી. હુમલાખોરો ધારીયા, તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે આવ્યા હતા અને ગેટ, દીવાલો તેમજ ધાર્મિક ચિત્રોને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે કેટલાક આરોપીઓની ઓળખ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની…

ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણની નવી ગાઇડલાઇન: કોમર્શિયલ અને ઘરેલુ વપરાશ માટે ફાળવણી જાણો

ગુજરાત સરકાર ઘરેલું અને કોમર્શિયલ હેતુ માટે ગેસનો પુરવઠો સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યમાં ઘરેલું LPG સિલિન્ડર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ વપરાશ માટે ચોક્કસ મર્યાદા અને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે. LPG વિતરણ માટે નવી ફાળવણી પ્રણાલી: હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ: 100% જથ્થો. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ, એરલાઇન/રેલવે કેન્ટીન: 70% જથ્થો. હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, કોર્પોરેટ કેન્ટીન, ફૂડ પ્રોસેસિંગ એકમો: 10% જથ્થો. છેલ્લા 1 વર્ષથી કાર્યરત અને ભોજન આપતી સંસ્થાઓ: છેલ્લા 6 મહિનાના વપરાશના આધારે 10% જથ્થો. LPGને PNGમાં કન્વર્ટ કરવાની પ્રાથમિકતા: જેઓ LPG સાથે PNG કનેક્શન ધરાવે છે, તેઓ બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરશે. PNG માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કેરોસિન વિતરણ: રાજ્યના…

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીનો કાર્યક્રમ થયો જાહેર: 23 એપ્રિલે મતદાન, 4 મેના રોજ મતગણતરી

આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક માટે મતદાન આગામી 23 એપ્રિલે યોજાશે, જ્યારે 4 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 6 મે સુધી પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 30 માર્ચે ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારો માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 6 એપ્રિલ રહેશે. ત્યારબાદ 7 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 9 એપ્રિલ સુધી પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે માહિતી આપતાં જણાવ્યું કે, ઉમરેઠ વિધાનસભાની અંતિમ મતદાર યાદી 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. આ યાદી મુજબ કુલ 2,42,836 મતદારો નોંધાયેલા છે, જેમાં 1,05,990 પુરુષ મતદારો…

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અસર, 18થી 20 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી 18થી 20 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. કેટલીક જગ્યાઓ પર પવનની ઝડપ 30થી 40 કિ.મી. પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની વિગતો: – 18 માર્ચ: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ જોવા મળશે, જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છનો સમાવેશ થાય છે. – 19 માર્ચ: ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ) અને દમણ-દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ…

ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: LPG બફર સ્ટોકમાં વધારો અને PNG ને પ્રાથમિકતા

ગાંધીનગર: રાજ્યમાં ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઘરેલુ અને કોમર્શિયલ વપરાશ માટે PNG (Piped Natural Gas) અને LPG નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્ય હાઈલાઈટ્સ: બફર સ્ટોકમાં વધારો: ઘરેલુ LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો થઈ રહ્યો છે. PNG ને પ્રાથમિકતા: જે ગ્રાહકો LPG અને PNG બંને કનેક્શન ધરાવે છે, તેમણે આગામી બુધવાર સુધીમાં પોતાનું LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. કેરોસીન વિતરણ: ગ્રામ્ય વિસ્તારોમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે દરેક જિલ્લાને 36,000 લિટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. સરકારનું વિઝન: “અંત્યોદયથી સર્વોદય” અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડાએ જણાવ્યું હતું કે,…

રાજ્યમાં બટાકાના ભાવમાં ધરખમ ઘટાડો, ખેડૂતોની સરકારને રાહત પેકેજની માંગ

રાજ્યમાં બટાકાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં ફસાયા છે. બજારમાં બટાકાના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. હાલની સ્થિતિ મુજબ બટાકાના ભાવમાં 60%થી વધુ ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ પણ પૂરો નથી થતો અને ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે બટાકાના ભાવ પ્રતિ મણ 250 થી 450 રૂપિયાનું હતું, જ્યારે આ વર્ષે એ જ બટાકા માટે માત્ર 80 થી 150 રૂપિયાનું ભાવ મળતો જોવા મળે છે. ભાવમાં આ મોટો ઘટાડો ખેડૂતો માટે બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ કાઢવા પણ મુશ્કેલ બની રહ્યો છે. વિશેષ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં પરિસ્થિતિ ગંભીર છે. અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાંના ખેડૂતો પણ ભાવ ઘટતા પરેશાન થયા છે. બજારમાં બટાકાનું ઉત્પાદન…