ગુજરાત પોલીસની આ સજ્જતા અને સંવેદનશીલતા રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત સરકાર મહિલા સુરક્ષા અને સગીરા પર દુષ્કર્મના ગુનેગારો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે મક્કમતાથી કામગીરી કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દીકરીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે, ત્યારે આણંદ જિલ્લામાં ગઈ કાલે પોક્સોના ગુનામાં વધુ બે ચુકાદા આવ્યા છે જે બંને કેસમાં આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ બંને કેસની તપાસ કરીને આરોપીઓને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરનાર તપાસ અધિકારીએ પોક્સોના સાત કેસમાં 100 ટકા સજાનો દર મેળવ્યો છે જે પૈકી છ આરોપીઓને આજીવન કેદની સજા થઈ છે. આણંદ જિલ્લા પોલીસ વડા જી.જી.જસાણીના સીધા માર્ગદર્શન હેઠળ, તત્કાલીન સી.પી.આઈ. (પેટલાદ ડિવિઝન) અને હાલ બોરસદ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો: 5 દિવસ હિટવેવની આગાહી, અનેક જિલ્લામાં યલો એલર્ટ જાહેર

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ હિટવેવ રહેવાની આગાહી કરી છે. પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હિટવેવની સંભાવના સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં 36.3 ડિગ્રી, ડીસામાં 35.3 ડિગ્રી, ગાંધીનગરમાં 35.5 ડિગ્રી, વડોદરામાં 36 ડિગ્રી અને સુરતમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજમાં 37.2 ડિગ્રી, અમરેલીમાં 36.9 ડિગ્રી અને રાજકોટમાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 90 દિવસ ગરમી અને હિટવેવની શક્યતા ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ આગામી 90 દિવસ દરમિયાન દેશના ઘણા મેદાની અને અંતરિયાળ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે. જેના કારણે લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો થવાની…

ND vs NZ ફાઇનલ માટે રેલવેની તૈયારી, મુંબઈ-અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો

અમદાવાદમાં યોજાનારી ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ક્રિકેટ ચાહકો માટે ખાસ વ્યવસ્થા કરી છે. ફાઇનલ જોવા માટે દેશભરથી મોટી સંખ્યામાં ચાહકો અમદાવાદ પહોંચવાના હોવાથી પશ્ચિમ રેલ્વેએ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ખાસ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. ભારતમાં હાલમાં ક્રિકેટનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. હવે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 1 લાખ દર્શકો એકસાથે મેચનો આનંદ લઈ શકે છે. ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને દેશભર તેમજ વિદેશમાંથી હજારો ચાહકો અમદાવાદ આવવાના હોવાથી રેલ્વેએ મુસાફરોને વધારાની સુવિધા…

રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની નિમણૂક પર રાજકીય ચર્ચા, જયરાજસિંહ જાડેજાનું સ્પષ્ટ નિવેદન

રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂકને લઇને સૌરાષ્ટ્રના રાજકારણમાં તંગદિલી સર્જાઈ છે. આ મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેર નિવેદન આપીને અફવાઓનો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટથી ચર્ચા તેજ થઈ તાજેતરમાં નિખિલ દોંગાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં નિર્લિપ્ત રાયની નિમણૂકને લઈને કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. પોસ્ટમાં દાવો કર્યો હતો કે એક શક્તિશાળી નેતાએ તેમની બદલી અટકાવવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ સફળ રહ્યા નહોતાં. આ પોસ્ટ વાયરલ થતા જ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની ગઈ. જયરાજસિંહ જાડેજાનું નિવેદન જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, નિર્લિપ્ત રાયને આઈજી તરીકે મુકવાની ભલામણ તેમણે જ ગૃહમંત્રી સમક્ષ કરી હતી. તેમના મતે, ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રહે તે માટે કડક અને…

ગુજરાતમાં લાંબા ગાળાની ગરમીની આગાહી, આગામી દિવસોમાં હિટવેવનો ખતરો

ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હિટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તાપમાનમાં સતત વધારો થવાને કારણે દિવસ દરમિયાન ઉકળાટ વધશે અને લોકો માટે ગરમી સહન કરવી મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકોને સાવચેત રહેવાની જરૂરિયાત રહેશે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે હિટવેવ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. Bhavnagar જિલ્લામાં આગામી બે દિવસ હિટવેવની સ્થિતિ રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે Porbandar અને Diu માં પણ તાપમાનમાં વધારો સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાની અને દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં…

આગામી ચૂંટણીઓમાં કેટલાંયે સિટિંગ ઉમેદવારો કપાઈ જશે

15 વર્ષથી વસતિ ગણતરી થઈ નથી, 27 ટકા OBC અનામત, રોટેશન અને 50 ટકા મહિલા અનામત સમગ્ર રાજ્યમાં એક તરફ મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષોએ દોડધામ તેજ બનાવી દીધી છે, બીજી તરફ વસતિના પ્રમાણમાં ઉમેદવારોને તક મળશે કે કેમ એ બાબતે ભંભેખંભ ચાલી રહ્યું છે કારણ કે પાછલાં પંદર વર્ષથી વસતિ ગણતરી થઈ નથી, ક્યા મતવિસ્તારમાં કઈ જ્ઞાતિના ખરેખર કેટલાં મત છે એ કોઈને ખબર નથી. વસતિ ગણતરી વર્ષોથી થઈ ન હોય, જેતે મતવિસ્તારની સાચી પરિસ્થિતિઓ શું છે, શું તેના સત્તાવાર આંકડાઓ કયાંય, કોઈ પાસે છે નહીં, આથી વિવિધ સમાજોને પૂરતું પ્રતિનિધિત્વ મળશે કે કેમ- એ ભગવાન જાણે. બીજી તરફ આ ચૂંટણીઓ દરમ્યાન 27 ટકા OBC અનામતનો અમલ કરવાનો હોય, જનરલ કેટેગરીના…

ઈરાન–ઈઝરાયેલ યુદ્ધની અસર ગુજરાતમાં: ઉદ્યોગોના ગેસ સપ્લાયમાં 50% કાપ, મોરબી સિરામિક ઉદ્યોગ પર સંકટ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન–ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના વધતા તણાવની સીધી અસર હવે ગુજરાતના ઉદ્યોગો પર જોવા મળી રહી છે. કુદરતી ગેસની વૈશ્વિક સપ્લાયમાં વિક્ષેપ સર્જાતા ગુજરાત ગેસ લિમિટેડ (GGL)એ રાજ્યના ઉદ્યોગોને આપવામાં આવતા ગેસ પુરવઠામાં 50 ટકા કાપ મૂકવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગ માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. મોરબી સિરામિક ઉદ્યોગ પર મોટો અસરકારક ઝાટક મોરબી વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર તરીકે ઓળખાય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે R-LNGની ઉપલબ્ધતા ઘટતા ગુજરાત ગેસે ગેસ વેચાણ કરારની જોગવાઈઓ હેઠળ ‘ફોર્સ મેજ્યોર’ જાહેર કર્યું છે. કંપનીના નિર્ણય મુજબ 6 માર્ચ 2026થી 31 માર્ચ 2026 સુધી તમામ સિરામિક એકમોના ગેસ સપ્લાયમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. નિયમિત ગ્રાહકો માટે…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં વધારો કર્યો, 150 નવી દવાઓનો સમાવેશ

પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે આવશ્યક દવાઓની યાદી (Essential Drug List – EDL)માં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના દર્દીઓને વધુ ગુણવત્તાયુક્ત અને અસરકારક સારવાર ઉપલબ્ધ કરાવવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા વર્ષ 2024-25ની 1,386 દવાઓની સમીક્ષા કર્યા બાદ 150 નવી દવાઓ ઉમેરવામાં આવી છે. સાથે જ બિનજરૂરી ગણાયેલી 57 દવાઓને યાદીમાંથી દૂર કરવામાં આવી છે. જેના પરિણામે હવે રાજ્યના એસેન્સિયલ ડ્રગ લિસ્ટમાં કુલ 1,479 જેટલી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દવાઓમાં સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સંબંધિત અનેક મહત્વપૂર્ણ દવાઓનો પણ સમાવેશ થાય છે, જેથી દર્દીઓને જરૂરી સારવાર સરળતાથી મળી શકે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવી સુધી…

નરેન્દ્ર મોદીના ‘Women-Led Development’ વિઝનને આગળ વધારતું ગુજરાત : CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસની ત્રિવેણી ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ નામકરણ – નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ, ‘herSTART‘ની ૫મી આવૃત્તિનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિમન-લેડ ડેવલપમેન્ટ’ના વિઝનને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ :મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ:  વડાપ્રધાનના પ્રેરણાથી સ્ટાર્ટઅપ ઇન્ડિયા હવે એક રિવોલ્યુશન બનીને યુવાશક્તિ માટે આભને આંબવાના અવસરો પૂરા પાડે છે  સેમિકંડક્ટર સેક્ટરમાં મહિલાશક્તિ માટે અનેક અવસરો  ટેકનોલૉજી કેરિયર ઓપ્શન નહિ, રાષ્ટ્ર નિર્માણનું મિશન પણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિકાસ ત્રિવેણીનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિમેન-લેડ ડેવલપમેન્ટના અભિગમને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નિલકંઠ સભાપુરમ નામકરણ, નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVS સંસ્થાના સ્થાપક પૂ. બાપજીનો ૯૩મો પ્રાગટ્ય મહોત્સવ યોજાયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પૂ. બાપજીના ૯૩મા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી . સાબરમતીના કાંઠે એક આદર્શ શિલ્પી’ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી એ SMVS ના સ્થાપક પૂજ્ય બાપજીની દિવ્ય ચેતનાને વંદન કરી, સૌને એકતા, પ્રેમ અને સમરસતાના પર્વ ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે સંતો, શાસ્ત્રો અને મંદિરો ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધારસ્તંભ છે. ત્યારે SMVS સંસ્થા શિક્ષણ, સેવા અને સંસ્કારની ત્રિવેણી સરિતા વહાવીને આ સ્તંભોને વધુ મજબૂત કરી રહી છે. પૂજ્ય બાપજીએ વાવેલું ભક્તિનું બીજ આજે વટવૃક્ષ બનીને લાખો હરિભક્તોને સત્સંગનો છાયડો આપી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. પટેલે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીની આજ્ઞાને શિરોમાન્ય રાખીને SMVS દ્વારા કુદરતી કે માનવસર્જિત આફતો-જેવી કે…