ગુજરાતમાં વરસાદથી ટુરિઝમ અને ખેતીને વેગ: જળાશયો ભરાતા અર્થતંત્રમાં ફૂંકાયો નવો પ્રાણ 2026

ગુજરાતમાં વરસાદથી પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને મળશે નવી ગતિ? જળાશયો ભરાતા કૃષિ, વેપાર અને ટુરિઝમ ક્ષેત્રમાં વધ્યો આશાવાદ અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની ધીમી શરૂઆત બાદ હવે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા વરસાદથી માત્ર ગરમીમાં જ ઘટાડો થયો નથી, પરંતુ કૃષિ, જળાશયો, પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્ર માટે પણ સકારાત્મક સંકેતો મળવા લાગ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો રાજ્યના આર્થિક વિકાસને નવી દિશા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ખેડૂતોમાં નવી આશા જાગી છે. બીજી તરફ કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ સ્થળોએ હરિયાળી છવાતા પ્રવાસીઓની સંખ્યામાં પણ…

રાશિફળ/21 જુલાઈ 2026: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે-આથી દૃઢ અને નીડર બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે. આજે કાર્ય ક્ષેત્ર માં ઘર ની કોઈ બાબત ને લીધે તમારી ઉર્જા…

અંક જ્યોતિષ/21 જુલાઈ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

પંચાંગ /21 જુલાઈ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી અષ્ટમી (આઠમ) +05:18 AM નક્ષત્ર ચિત્રા 08:49 PM કરણ : વિષ્ટિ ભદ્ર 04:37 PM ભાવ 04:37 PM પક્ષ શુક્લ યોગ સિદ્ધ 06:25 PM દિવસ મંગળવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:35 AM ચંદ્રોદય 12:30 PM ચંદ્ર રાશિ કન્યા સૂર્યાસ્ત 07:18 PM ચંદ્રાસ્ત 11:38 PM ઋતું વર્ષા હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન…

TAT પરીક્ષા વિવાદ: 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં 500 જગ્યાઓ ખાલી રાખવા રજૂઆત

ગુજરાતમાં 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીને લઈને ચાલી રહેલા TAT (ટિચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ) પરીક્ષા વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે રજૂઆત કરી છે કે, કેસનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કોર્ટમાં અરજી કરનારા ઉમેદવારો માટે 500 જગ્યાઓ અનામત રાખીને બાકીની 10,500 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવે. સરકારનું કહેવું છે કે આ રીતે ભરતી પ્રક્રિયા અટકી નહીં જાય અને અંતિમ ચુકાદા બાદ બાકીની જગ્યાઓ અંગે નિર્ણય લઈ શકાય. રાજ્યમાં વિદ્યાસહાયકોની ભરતી માટે યોજાયેલી TAT પરીક્ષાના પ્રશ્નપત્રમાં પ્રથમ 18 પ્રશ્નો ખોટા હોવાનો આક્ષેપ કરીને સેંકડો ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. ઉમેદવારોનું કહેવું છે કે જો આ પ્રશ્નોના ગુણ આપવામાં આવે તો મેરિટમાં ફેરફાર થઈ શકે છે…

અમદાવાદમાં AMCના જુનિયર ક્લાર્કને ACBએ રૂ.2 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

અમદાવાદમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્રોપર્ટી ટેક્સ વિભાગના જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપીએ પ્રોપર્ટી ટેક્સ બિલમાં કબ્જેદાર તરીકે નામ દાખલ કરવાની અરજી મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી. ACBએ ફરિયાદીના સહકારથી ટ્રેપ ગોઠવી રૂ.2,000ની લાંચ સ્વીકારતા જ આરોપીને ઝડપી લીધો હતો. ACB દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આરોપીનું નામ જય દિનેશ કુલકર્ણી (ઉંમર 33 વર્ષ) છે. તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC ના ટેક્સ મધ્યઝોનના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં વર્ગ-3ના જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. તેની ઓફિસ સરદાર પટેલ ભવન, દાણાપીઠ ખાતે આવેલી છે. ટેક્સ બિલમાં નામ દાખલ કરવા માંગ્યા હતા રૂપિયા ફરિયાદી એક જાગૃત નાગરિક છે. તેમણે પોતાના મકાનના પ્રોપર્ટી…

ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ યથાવત, ભારે વરસાદનું યલો એલર્ટ

ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી 26 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, છેલ્લા 12 કલાક દરમિયાન રાજ્યના 124 તાલુકાઓમાં વરસાદ નોંધાતા નદીઓ અને જળાશયોમાં નવા પાણીની આવક શરૂ થઈ છે. આગામી છ દિવસ વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહેશે. 21 જુલાઈએ સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ જિલ્લાઓ માટે…

વડોદરામાં હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર પ્રહાર, નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબાની છૂટના આપ્યા સંકેત

એક તરફ નવરાત્રિની તૈયારી ચાલી રહી છે ત્યારે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જાહેર સભામાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ વર્ષે પણ લોકો નિરાંતે ગરબાની ઉજવણી કરી શકે તે માટે સકારાત્મક અભિગમ અપનાવી રહી છે. મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી મળી શકે આગામી નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી મળી શકે તેવા સંકેતો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં યોજાયેલી જાહેર સભામાં તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર આ વર્ષે પણ લોકો નિરાંતે ગરબાની ઉજવણી કરી શકે તે માટે સકારાત્મક અભિગમ અપનાવી રહી છે. માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો કે ગત વર્ષે મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી…

2026 : રામાયણ અપડેટ : સની દેઓલે હનુમાન પાત્રને ગણાવ્યું પડકારજનક

નિતેશ તિવારીની ‘રામાયણ’નો દબદબો: મુંબઈ: બોલિવૂડના સૌથી ચર્ચિત અને સૌથી મોટા પ્રોજેક્ટ્સમાં સામેલ **નીતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નો ટ્રેલર લોન્ચ થયા બાદ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભવ્ય વિઝ્યુઅલ્સ, શાનદાર VFX, સ્ટારકાસ્ટ અને પૌરાણિક કથાને આધુનિક ટેક્નોલોજી સાથે રજૂ કરવાની ફિલ્મની કોશિશે ચાહકોમાં ઉત્સાહ વધારી દીધો છે. ટ્રેલર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને ફિલ્મમાં હનુમાનજીના પાત્રમાં જોવા મળતા સની દેઓલે પોતાના અનુભવ શેર કરતાં કહ્યું કે આ પાત્ર ભજવવું તેમની કારકિર્દીના સૌથી પડકારજનક અનુભવોમાંનું એક રહ્યું છે. બીજી તરફ ફિલ્મની આખી ટીમના પ્રયાસોને ચાહકો અને ફિલ્મ વિશ્લેષકો તરફથી પ્રશંસા મળી રહી છે. ટ્રેલર લોન્ચ બાદ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ક્રેઝ ‘રામાયણ’નો ટ્રેલર રિલીઝ…

મ્યુઝિક પ્રેમીઓ માટે ખુશખબર: અરિજીત સિંહે ‘આવારાપન 2’ માટે ગાયું ખાસ ગીત

મુંબઈ: બોલિવૂડના સૌથી લોકપ્રિય અને દિલને સ્પર્શી જાય એવા અવાજના માલિક અરિજીત સિંહ ફરી એકવાર પોતાના મધુર અવાજથી સંગીતપ્રેમીઓનું દિલ જીતવા તૈયાર છે. લાંબા સમય બાદ તેઓ ફિલ્મ ‘આવારાપન 2’ સાથે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ધમાકેદાર વાપસી કરી રહ્યા હોવાની ચર્ચાએ સોશિયલ મીડિયા પર ભારે ઉત્સાહ જગાવ્યો છે. ફિલ્મના ગીતોને લઈને ચાહકોમાં અત્યારથી જ જબરદસ્ત આતુરતા જોવા મળી રહી છે. અરિજીત સિંહનું નામ બોલિવૂડમાં એવી ઓળખ ધરાવે છે કે તેમની દરેક નવી રચના રિલીઝ થતાં જ લાખો લોકોની પ્લેલિસ્ટમાં સામેલ થઈ જાય છે. હવે ‘આવારાપન 2’ સાથે તેમની વાપસીના સમાચાર સંગીતપ્રેમીઓ માટે મોટી ખુશખબર માનવામાં આવી રહ્યા છે. ફરી એકવાર મળશે દિલને સ્પર્શી જાય તેવી મેલોડી અરિજીત સિંહની સૌથી મોટી ઓળખ તેમની ભાવનાત્મક ગાયકી છે. પ્રેમ, વિરહ, લાગણી…