અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. બુટલેગરોના ગેરકાયદેસર મકાનો પર ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ અને કોર્પોરેશનના સંકલનથી ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી. યાદી મુજબ એક બાદ એક તમામ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યા છે. ઉજાલા સર્કલ પાસે રહેતા બુટલેગરોનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :- રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો, નરોડામાંથી ઝડપાઇ નકલી હોસ્પિટલ
સરખેજ ઉજાલા સર્કલ ખાતે રહેતા પાંચ બુટલેગરોની યાદી તૈયાર કરી હતી. યાદી મુજબ પાંચ બુટલેગરોના ગેરકાયદેસર મકાનો તોડવામાં આવી રહ્યા છે. આ પાંચ બુટલેગરો સામે સૌથી વધારે ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડીમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શંકરપુરા નજીક બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી
નોંધનીય છે કે, અમદાવાદ શહેરના અસમાજીક તત્વો વિરુદ્ધ પોલીસની સખ્ત કાર્યવાહી જોવા મળી રહી છે. 969 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ ગેરદાયકેસર બાંધકામ તોડવામાં આવી રહ્યા છે. ઉપરાંત 232 ગુનેગારોની પૂછપરછ શરુ કરાઈ છે. 20 આરોપીઓ સામે પાસા કરાઈ છે. જ્યારે 271 પ્રોહીબિશનના કેસ કરાયા છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






