રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો, નરોડામાંથી ઝડપાઇ નકલી હોસ્પિટલ

અમદાવાદના નરોડામાંથી નકલી ડોક્ટર સાથે નકલી હોસ્પિટલ પકડાઇ છે. જેમાં નરોડામાં નકલી ડોક્ટર નકલી હોસ્પિટલ ચલાવતો હતો. મળતી માહિતી મુજબ, નકલી ડોક્ટર દ્વારા થ્રી સ્ટાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. જેમાં ICU અને ટ્રોમસેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમા હોસ્પિટલના માલિકની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાતમાં પવનોની દિશા બદલતા ગરમીમાં થયો ઘટાડો, આવતીકાલથી વધી શકે છે ગરમી

ડિગ્રી વગરનો ડોક્ટર અને રજિસ્ટ્રેશન વગર ચાલતી સમગ્ર હોસ્પિટલનું તંત્ર ચાલતું હતું. જેમાં દર્દીઓને ખોટી રીતે એડમિટ બતાવી મેડિક્લેમ પકવતો હતો. આ ઘટનામાં વીમા કંપનીએ તપાસ કરતા હોસ્પિટલની પોલ ખુલી હતી. જેના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં તપાસ આદરી હતી. જેમાં ખોટા સિક્કા, ખોટા પેપર્સ , ખોટું સી ફોર્મ અને ખોટા રિપોર્ટ પોલીસે કબજે કર્યા હતા. જેમાં ખોટા બિલો , દર્દીઓ અને રિપોર્ટના આધારે હોસ્પિટલ મેડિક્લેમ પકવતી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :- Surat : સુરતમાં વિધમી યુવકને 20 વર્ષની કેદની સજા, સગીરા સાથે આચર્યું હતું દુષ્કર્મ

ત્યારે આ કિસ્સામાં નકલી ડોક્ટર ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં છાશવારે નકલી ચીજ વસ્તુઓ પકડાતી રહે છે. જેમાં હળદરથી લઇને નકલી સોડા સહિત ઘણી વસ્તુઓ ભૂતકાળમાં ઝડપાઇ છે. આ ઉપરાંત થોડા મહિનાઓ પહેલા નકલી કોર્ટનું પ્રકરણ સામે આવ્યું હતું. ત્યારે હવે આ બાદ તાજેતરમાં નકલી ડોક્ટર સાથે નકલી હોસ્પિટલ પકડાઇ છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

  • Related Posts

    આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

    16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

    સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

    B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *