અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓ સામે કાર્યવાહી કરાઈ છે. આરોપીઓએ ગેરકાયદેસર બાંધકામ ઉભુ કર્યુ છે તે આરોપીઓના મકાનો એએમસી તોડી પાડશે અને લુખ્ખાઓને રોડ પર લાવી દેશે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખાઓ સામે પોલીસે લાલઆંખ કરી છે,અને તંત્રએ પણ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે પોલીસને અને સ્થાનિકોને સાથ આપ્યો છે.
આ પણ વાંચો :- gandhinagar : વિધાનસભા ખાતે હેલ્થ ચેકઅપનું આયોજન, આગામી 18-21 માર્ચે ધારાસભ્યો, કર્મચારીઓ અને પત્રકારોનું કરાશે ચેકઅપ
ઉત્તરપ્રદેશના સીએમ યોગીની જેમ અમદાવાદમાં પણ AMCનું બુલડોઝર ફર્યુ છે,ત્યારે ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા આરોપીઓનું મકાન તોડી પડાયું છે. અમરાઈવાડીમાં લવજી દરજીની ચાલીમાં આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો :- Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે”
પોલીસની ટીમને સાથે કાર્યવાહી કરાઈ :- અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામ પર હથોડો ફેરવી નાખવામાં આવ્યો છે. ત્યારે પોલીસ દ્વારા જે કામગીરી કરાઈ તેને લઈ આસપાસા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે, આરોપીઓ તેમને પણ હેરાનગતિ કરતા હતા.
આ પણ વાંચો :- Vadodara : વડોદરામાં ગુમ થયેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો, હત્યા કરાઈ હોવાની આશંકા
અસામાજિક તત્વો બન્યા બેફામ :- અમદાવાદના વસ્ત્રાલમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા છે જેમાં અપશબ્દો બાલવાની ના પાડતા બબાલ કરવામાં આવી છે. સ્થાનિકો સાથે લુખ્ખાઓએ મારામારી કરી હતી. સોસાયટીમાં મરણ હોવાથી ધૂળેટી રમવાની ના પાડી અને સ્થાનિકો સાથે લુખ્ખાઓ બબાલ કરવા માટે આવી ગયા હતા. તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








