ઇસ્લામાબાદમાં શુક્રવારની નમાજ દરમિયાન મોટો વિસ્ફોટ, શહેરમાં કટોકટી જાહેર

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારમાં આવેલી ઇમામ બારગાહ ખાદીજાત-ઉલ-કુબ્રામાં શુક્રવારની નમાજ દરમિયાન એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે. વિસ્ફોટની માહિતી મળતાં જ પોલીસ, સુરક્ષા એજન્સીઓ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇમામ બારગાહ અને આસપાસના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા છે અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

શહેરમાં કટોકટીની સ્થિતિ
અધિકારીઓના જણાવ્યા અનુસાર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇસ્લામાબાદમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. હાલ સુધી સત્તાવાર રીતે જાનહાનિની પુષ્ટિ થઈ નથી, પરંતુ પાકિસ્તાની મીડિયા મુજબ અનેક લોકોના મોત અને ઘાયલ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા
પાકિસ્તાની મીડિયા આઉટલેટ ડોન ન્યૂઝ અનુસાર, વિસ્ફોટમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક પોલીક્લીનિક હોસ્પિટલ, પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) અને CDA હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. PIMSના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે ઇમરજન્સી, ઓર્થોપેડિક, બર્ન સેન્ટર અને ન્યુરોલોજી વિભાગોને સંપૂર્ણ રીતે સક્રિય કરવામાં આવ્યા છે.

તપાસ ચાલુ
વિસ્ફોટનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. તપાસ એજન્સીઓ ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરી રહી છે અને વિસ્ફોટ પાછળના કારણો જાણવા તપાસ શરૂ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Boatdમાં ₹44 લાખના હીરાની ચોરીનો ભેદ માત્ર 8 કલાકમાં ઉકેલાયો…

Boatdમાં ₹44 લાખના હીરાની ચોરીનો ભેદ માત્ર 8 કલાકમાં ઉકેલાયો, પોલીસની ઝડપી કાર્યવાહી -> Boatdમાં ₹44 લાખના હીરાની ચોરીનો બનાવ સામે આવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર મામલાનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા હોવાના અહેવાલ છે. પોલીસની ઝડપી અને અસરકારક તપાસના કારણે ચોરી થયેલા હીરાનો મોટો જથ્થો પણ રિકવર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. માત્ર 8 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલાતા પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.Boatdમાં હીરાની ચોરી જેવી ગંભીર ઘટના સામે આવતા વેપારીઓ અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. હીરાની કિંમત મોટી હોવાથી આ કેસ પોલીસ માટે પણ પડકારરૂપ હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમો સક્રિય થઈ હતી અને ટેક્નિકલ તેમજ અન્ય તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.મળતી…

Ahmedabadમાં પ્રી-એક્ટિવેટેડ SIM કાર્ડ કૌભાંડનો પર્દાફાશ…

Ahmedabadમાં પ્રી-એક્ટિવેટેડ SIM કાર્ડ કૌભાંડનો પર્દાફાશ, 108 SIM સાથે 3 આરોપી ઝડપાયા Ahmedabadમાં સાયબર ગુનાઓને અંજામ આપવા માટે ઉપયોગમાં લેવાતા પ્રી-એક્ટિવેટેડ SIM કાર્ડના કૌભાંડનો પર્દાફાશ થતાં પોલીસ તંત્રમાં ચકચાર મચી છે. કાગડાપીઠ પોલીસે કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી કુલ 108 પ્રી-એક્ટિવેટેડ SIM કાર્ડ સહિત આશરે ₹1.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.આ કાર્યવાહી બાદ પ્રી-એક્ટિવેટેડ અને ખોટા દસ્તાવેજોના આધારે મેળવવામાં આવતા SIM કાર્ડના ગેરકાયદેસર ઉપયોગ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આવા SIM કાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડ, ફેક એકાઉન્ટ, OTP આધારિત છેતરપિંડી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં થઈ શકે છે. શહેરમાં સાયબર ક્રાઈમ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અમદાવાદ પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં…