અમરેલી: ચિતલ-ખીજડિયા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર,જાણો વિગત

અમરેલી જિલ્લામાં ચિતલ અને ખીજડિયા વચ્ચે ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર પથ્થરો અને લોખંડના ફેન્સિંગ પોલ (થાંભલા) ગોઠવી દીધા હતા, પરંતુ ટ્રેનના પાયલોટની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી અને સેકડો મુસાફરોનો જીવ બચી ગયો.

ઘટનાની વિગત
ટ્રેન ચિતલથી ખીજડિયા તરફ જતા સમયે ટ્રેક પર અચાનક અવરોધો દેખાયા. પાયલોટે તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને રોકી દીધું, જેના કારણે ભયંકર દુર્ઘટનાથી બચી શકાય.

પોલીસ અને રેલવેની કામગીરી
ઘટના જાણતા જ અમરેલી પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. ટ્રેક પરથી પથ્થરો અને પોલ કબજે કરવામાં આવ્યા

ફોરેન્સિક તપાસ શરૂ કરાઈ
અજાણ્યા શખ્સોને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું આ કાવતરું બતાવે છે કે રેલવે સુરક્ષા જાળવવી કેટલી જરૂરી છે, ખાસ કરીને સ્થાનિક અને જાહેર ટ્રેન સેવા માટે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો: ભારતના વ્યૂહાત્મક પ્રોજેક્ટને લઈને વધી ચિંતા

ઈરાનના દક્ષિણ-પૂર્વમાં આવેલા વ્યૂહાત્મક મહત્વના ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલો મુજબ હુમલામાં મેરિટાઇમ ટ્રાફિક કંટ્રોલ ટાવરને નુકસાન થયું છે. જોકે, ભારત દ્વારા સંચાલિત શાહિદ બેહેશ્તી ટર્મિનલને…

અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે અભેદ્ય સુરક્ષા: 30 હજાર પોલીસ, 3,700 CCTV, 100થી વધુ ડ્રોન રહેશે તૈનાત

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર 16 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટ પર અંદાજે 30 હજાર પોલીસ જવાનો, અદ્યતન ટેક્નોલોજી અને પેરામિલિટરી દળોની…