વડાપ્રધાનના આગમન પૂર્વે નર્મદા ઘાટ પાસે બની ગોજારી ઘટના, ભેખડ ધસતા 3 સ્થાનિક મજૂરો દટાયા

નર્મદામાં ભેખડ ધસતા ત્રણ સ્થાનિક મજૂરો દટાયા. આ દુર્ઘટના નર્મદા ઘાટના નવીનીકરણ દરમિયાન બની હતી. ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તરત જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી અને પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ઘટના ભારતી આશ્રમની બાજુમાં બની હતી, જ્યાં દિવાલ ધરાશાહી થતાં ત્રણ મજૂરો નીચે દટ્યા. સ્થાનિક લોકોને ઘટનાસ્થળે ટોળા થઈ પહોંચ્યા હતા, અને ગરુડેશ્વર મામલતદાર સહિત નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળ પર દોડ્યું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મૃતક મજૂરો અંકતેશ્વર ગામના રહેવાસી છે. તેઓની ઓળખ આ પ્રમાણે છે:
શૈલેષભાઈ રણછોડભાઈ તડવી, 35 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું)
દિલિપભાઈ ભાણાભાઈ તડવી, 47 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું)
રોહિતભાઈ રણછોડભાઈ તડવી, 45 વર્ષ, અંકતેશ્વર (નીચલું ફળિયું)
પરિવારજનો અત્યાર સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરો તેમજ એજન્સીના માલિકોને ઘટનાસ્થળે બોલાવવાની માંગ કરી રહ્યા છે.

રેસ્ક્યુ ટીમો શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ રાખી રહી છે અને પોલીસ દ્વારા ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટના સ્થાનિક સત્તા અને એજન્સીઓ માટે ગંભીર ચિંતાનો વિષય બની છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…