નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા GSRTCના 36,000થી વધુ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તેમના હસ્તકમાં પહેલા યોજાયેલી બેઠકમાં GSRTCના કર્મચારીઓને ₹10,000 સુધીની ‘તહેવાર પેશગી એડવાન્સ’ની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાથી ફિક્સ પગાર ધરાવતી સીમિત સંખ્યાના કર્મચારીઓને ₹5,000 સુધીની પેશગી મળતી હતી, જે હવે બમણો વધારીને તમામ કર્મચારીઓ માટે લાવી દીધી છે.
આ પગલાંથી GSRTCના કર્મચારીઓને તેમની મહેનત અને યોગદાને માન્યતા મળે તેવી આશા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીે જણાવ્યું કે, રાત દિવસ પરિશ્રમ કરતા કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે આ નિર્ણય લેવાયો છે જેથી તેઓને સહારો મળે.
સ્વચ્છતા અને જળ બચાવ ઝુંબેશ
26મીથી 30મી ઓક્ટોબર સુધી રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ અને એસટી બસ સ્ટેશનમાં સ્વચ્છતા અને જળ બચાવ માટે વિશેષ ડ્રાઈવ યોજાશે. આ ઝુંબેશ હેઠળ લીકેજ નળોની મરામત અને જળ સંરક્ષણ માટે કામગીરી કરવામાં આવશે.
આ યોજના GSRTC કર્મચારીઓના હિતમાં એક સારો પગલાં માનવામાં આવી રહી છે અને આ સાથે પરિવહન વ્યવસ્થામાં સુધારો લાવવા માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






