16મીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે મતદાન

B INDIA જૂનાગઢ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય ચૂંટણીપંચે અને તંત્રએ ચૂંટણીઓની તૈયારીઓ કરી લીધી છે.મતદાન EVM દ્વારા સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થશે. તેમજ 18 ફેબ્રુઆરી 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે. અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 21 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. જુનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે.

તો સાથે જ રાજ્યની 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટે સામાન્ય ચૂંટણી, 2 નગરપાલિકા બોટાદ અને વાંકાનેરના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. આ સિવાય કઠલાલ, કપડવંજ અને ગાંધીનગરની તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થશે. મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતની 09 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકની પેટાચૂંટણી માટે મતદાન થશે. માહિતી અનુસાર, આવતીકાલે કુલ 38,86,285 મતદાતાઓ મતદાન કરશે.

-> મહાનગરપાલિકાની 8 બેઠકો બિનહરીફ :- જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર થઈ ચુકી છે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 7ની બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે. જયારે ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની બેઠક માટે પેટાચૂંટણી માટે મતદાન થશે. આ સિવાય સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 18ની બેઠક માટે પેટાચૂંટણી માટે મતદાન થશે.

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *