ભરૂચના યુવાકનું કેનેડામાં મોત, પરિવારજનોમાં શોકનો માહોલ

B INDIA ભરૂચ : ભરૂચના 23 વર્ષીય યુવકનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ભરૂચના આમોદના રહેવાસી યુવકનું કેનેડામાં એક અકસ્માતમાં મોત નીપજ્યું છે.આમોદના કાલિકા માતા મંદિર વિસ્તારમાં રહેતા યુવાનનું કેનેડાના બ્રેમટનમાં કરુણ મોત નીપજ્યું છે.જેને લઈને પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

23 વર્ષીય ઋષભ લીંબાચીયાનું મૃત્યુ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા થયું છે. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે,રાતના સમયે રસ્તા પર સ્પીડમાં જતી કારની સામેથી આવતા ટ્રક સાથે ટક્કર થઈ જાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે, કારનો આગળથી ભુક્કો બોલાઈ જાય છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો રસ્તા પરથી પસર થતી એક બીજી કારના ડેશકેમમાં રેકોર્ડ થઈ ગયો હતો.ઋષભ લીંબાચીયા 3 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં રહેતો હતો. ઋષભ લીંબાચીયા અલગોમા યુનિવર્સીટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. અને ટોરોન્ટોમાં રહેતો હતો.

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના, ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત

કંડલા પોર્ટ ખાતે ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર ઉભેલા જહાજમાં ઝેરી ગેસની અસરથી ત્રણ શ્રમિકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *