અમદાવાદનો SP રિંગરોડ બન્યો કાળમૂખો..! મંદિરેથી દર્શન કરીને આવી રહેલા દંપતીનું અકસ્માતમાં ઘટના સ્થળે મોત

B INDIA AHMEDABAD : અમદાવાદનાં SP રિંગરોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વસ્ત્રાલ રિંગરોડ પરથી પાંજરાપોળ ચાર રસ્તા તરફ જતાં માર્ગ પર મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. બેફામ આવતા એક ટ્રકચાલકે દંપતીને અડફેટે લીધા હતા.અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. રામોલ અને આઇ ડીવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

 

 

અમદાવાદના SP રિંગરોડ પર શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત
મંદિરેથી દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો
ટ્રકે દંપતીને અડફેટે લેતાં બંનેનું ઘટનાસ્થળ પર જ મોત

Truck driver crushes couple in Ahmedabad | અમદાવાદમાં ટ્રકચાલકે દંપતીને કચડી નાખ્યું: SP રિંગ રોડ પર મંદિરથી દર્શન કરીને પરત આવતા ટ્રકે અડફેટે લીધા, પતિ ...

અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક એક ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર દંપતિને 100 ફૂટ જેટલા ઢસેડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક દંપતીની ઓળખ 62 વર્ષીય કાંતિભાઈ પટેલ અને 60 વર્ષીય દક્ષાબેન પટેલ તરીકે થઈ છે.ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવર નાસી ગયો હતો, જ્યારે પોલીસનું કહેવું છે કે તેને ઝડપી પાડવામાં આવ્યો છે

Related Posts

મેઘરાજાનો બીજો રાઉન્ડ: IMDએ કરી આગાહી, આગામી ૩ દિવસ ગુજરાત માટે રહેશે ભારે.

ગુજરાતમાં મેઘતાંડવનું એલર્ટ: એકસાથે અનેક વરસાદી સિસ્ટમ સક્રિય, IMDની મોટી આગાહી! ગાંધીનગર: ગુજરાત પર ફરી એકવાર મેઘરાજા મહેરબાન થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યભરમાં આગામી થોડા…

‘સુભાષ બ્રિજ’નો અંતિમ અધ્યાય! 53 વર્ષ જૂના બ્રિજના ૩ સ્પાન નદીના પટમાં કડડભૂસ!

અમદાવાદના સુભાષ બ્રિજનું કાઉન્ટડાઉન: પિલર્સ સાથે આખું માળખું તોડીને બનાવાશે નવો બ્રિજ, ડિમોલિશન કામગીરી તેજ! અમદાવાદ: અમદાવાદના સુભાષ બ્રિજને લઈને અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *